Book Title: Dravya Gun Paryayno Ras Part 02
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 255
________________ ૨૨: દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૫ | ગાથા-૯ ટબો ઃ એહવા જે જ્ઞાનરહિત પ્રાણી-અજ્ઞાનવંત પ્રાણી જે છઈં, તે જિનશાસનનું ધન તે સત્ય ભાષણ, ક્રિયા વ્યવહારરૂપ, ચોરે છે. गच्छाचारवचनं चेदम् - अगीअत्थकुसीलेहिं, संगं तिविहेण वोसिरे । મુન્નમસ્લિમે વિષે, પરંમી તેળો નહીં ।।।। (પચ્છ વાર્પયન્ના, ગ-૪૮) રૂતિ વચનાત્ તે-શિથિલતાને પરિહરું છું, પછાચારને જોરે કરીને. II૧૫/૯/ ટબાર્થ : એહવા જે જ્ઞાનરહિત પ્રાણી=અજ્ઞાનવંત જે પ્રાણી છે, તે જિનશાસનનું ધન=તે સત્ય ભાષણ અને સત્યક્રિયા વ્યવહારરૂપ ધન છે, તેને ચોરે છે. Tચ્છાચારવચન ચેમ્=અને ગચ્છાચારનું વચન આ છે . અળોઅત્યસીહિં સંñ=અગીતાર્થ એવા કુશીલોની સાથે સંગને, તિવિહેળ વોસિરે=હું ત્રિવિધથી વોસિરાવું છું. નહા=જે પ્રમાણે, પદ્મમી તેળો વિષે=માર્ગમાં ચોર વિઘ્ન છે, મુલ્લુમસ્લિમે (તે પ્રમાણે) મોક્ષમાર્ગની મર્યાદામાં (વિઘ્ન છે=અગીતાર્થકુશીલ એવા સાધુઓ વિઘ્ન છે). ॥૧॥ (ગચ્છાચારપયજ્ઞા, ગાથા-૪૮) 'રૂતિ વચનાત્=એ પ્રમાણેનું વચન હોવાથી=આ પ્રમાણેનું ગચ્છાચારનું વચન હોવાથી, છાપારને જોરે કરીને, તે શિથિલતાને પરિહરું છું. ૧૫/૯૦ ભાવાર્થ: ગાથા-૩થી ૮ સુધી કહ્યું એવા જ્ઞાનરહિત જે સાધુઓ છે તેઓ સ્થૂલ દૃષ્ટિથી આરાધક હોય તોપણ ભગવાનના વચનના ૫૨માર્થને જાણનારા નથી છતાં પોતે ભગવાનના વચનના પરમાર્થને જાણે છે તેમ માને છે, તેથી તેઓ ભગવાનના સત્યભાષણરૂપ ધનને ચોરે છે; કેમ કે તેમના વચન અનુસાર જે યથાતથા કથન છે તે ભગવાનનું વચન છે એવો લોકોને બોધ થાય છે. તેથી જૈન સંઘમાં યોગ્ય જીવોમાંથી સત્યભાષણરૂપ વચન નાશ પામે છે. વળી જિનવચનનિરપેક્ષ એવી ક્રિયા કરીને ‘આ ક્રિયા જિનવચનાનુસાર છે' તેવો લોકોમાં ભ્રમ પેદા કરે છે, તેથી તેઓ સત્યક્રિયારૂપ વ્યવહારને ચોરે છે. ‘છાપારપયન્ના'માં કહ્યું છે કે, ‘અગીતાર્થ એવા કુશીલ સાધુઓનો સંગ હું ત્રિવિધથી વોસિરાવું છું’, ત્યાં અગીતાર્થ હોવાથી સત્યભાષણરૂપ ધનને ચોરે છે તેમ ફલિત થાય છે અને કુશીલ હોવાથી ક્રિયાના વ્યવહારરૂપ ધનને તેઓ ચોરે છે તેમ ફલિત થાય છે. જેમ માર્ગમાં પ્રસ્થિત એવા પથિકને માટે ચોરો વિઘ્નરૂપ છે, તેમ ભગવાનના શાસનમાં જે મોક્ષમાર્ગ પ્રવર્તે છે તેમાં અગીતાર્થ એવા કુશીલ સાધુઓ વિઘ્નરૂપ છે. તેથી એ ફલિત થાય કે અગીતાર્થ એવા કુશીલ સાધુઓ જૈન સંઘમાં જેટલા વૃદ્ધિને પામે તેટલા અંશથી તેઓ મોક્ષમાર્ગમાં પ્રસ્થિત જીવોને લૂંટે છે; કેમ કે મોક્ષ અર્થે પ્રવૃત્ત એવા પણ તેઓ તેમના વચનથી

Loading...

Page Navigation
1 ... 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300