________________
૨૦૯
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | દુહા | ગાથા-૬-૭
નહી સૂરું સસુરા=જે પ્રમાણે સૂત્રથી=દોરાથી પરોવાયેલી સોય, સ્સિ યવરAિ ડિવિ-કચરામાં પડેલી (સોયો પણ નાશ પામતી નથી=શીધ્ર પ્રાપ્ત થાય છે, તહીં નીવવિ સસુત્તો=એ રીતે સસૂત્રવાળો જીવ પણ= ભગવાનના વચનના સમ્યજ્ઞાનથી પરોવાયેલો જીવ પણ, ન ગરૂડુ ગોવિ સંસારે સંસારમાં ગયેલો જીવ પણ નાશ પામતો નથી=શી જ જ્ઞાનગુણને પ્રાપ્ત કરે છે. ll૧u (ઉત્તરાધ્યયનસૂત્ર, અધ્યયન-૨૯, આલાવા-૫૯ શાંતિસૂરિ ટીકા) "દુહા-છા ભાવાર્થ
ગ્રંથકારશ્રીએ અત્યાર સુધી દ્રવ્ય-ગુણ-પર્યાયનું જે વર્ણન કર્યું તે વર્ણનને સુગુરુના મુખથી જેઓ યથાર્થ અવધારણ કરે છે તેઓને ભગવાનના વચનનું રહસ્ય પ્રાપ્ત થાય એવું સમ્યજ્ઞાન પ્રાપ્ત થાય છે. આવું સમ્યજ્ઞાન સમ્યગ્દર્શન સહિત જ આવે છે. આવું સમ્યક્તયુક્ત સમ્યજ્ઞાન પામ્યા પછી પ્રમાદને વશ કોઈ જીવ મિથ્યાત્વમાં જાય તો પણ તે એક બેડાકોડીથી વધારે કર્મ બાંધતો નથી; કેમ કે શાસ્ત્રમાં કહ્યું છે કે ગ્રંથિભેદને કરતો જીવ ગ્રંથિભેદકાળમાં જે કર્મની સ્થિતિની સત્તા છે તેને ઓળંગીને અધિક સ્થિતિ મિથ્યાત્વને પામે તોપણ બાંધે નહીં. ગ્રંથિભેદકાળમાં કર્મની સ્થિતિની સત્તા અવશ્ય અંતઃકોટાકોટિ જ છે, અધિક નથી, તેથી એક કોટાકોટિથી અધિક કર્મ ન બાંધે તેવા પાપના અકરણનિયમની પ્રાપ્તિ ગ્રંથિભેદથી જીવને પ્રાપ્ત થાય છે. તેથી એકવાર સમ્યક્ત પામ્યા પછી જીવ મિથ્યાત્વ પામીને ચાર ગતિમાં પરિભ્રમણ કરે, નરકે જાય, તોપણ એક કોટાકોટિથી અધિક પાપને અનુકૂળ સંશ્લેષ તે જીવને ક્યારેય ન થાય તેવા પાપના અકરણનિયમને તે જીવ પ્રાપ્ત કરે છે. આથી જ પૂર્વે મોહનીયકર્મની ૭૦ કોટાકોટિ બાંધવાની જે શક્તિ હતી તે સદા માટે અપ્રાપ્ય બને છે, માટે તે જીવ પાપના અકરણનિયમને તેટલા અંશથી પ્રાપ્ત કરે છે.
વળી, સમ્યક્ત પામતી વખતે જે જ્ઞાનગુણ પ્રગટ થાય છે તે જ્ઞાનગુણને “નંદિષણના અધિકારમાં મહાનિશીથસૂત્રમાં અપ્રતિપાતી કહ્યો છે. તેથી જે જીવો સમ્યક્ત પામ્યા પછી મિથ્યાત્વમાં જાય તોપણ જે સમ્યજ્ઞાન પ્રાપ્ત થયેલું છે તે સર્વથા નાશ પામતું નથી. આથી જ અલ્પકાળમાં ફરી તેની પ્રાપ્તિ થાય છે.
જેમ દોરા સાથે પરોવાયેલી સોય કચરામાં પડી ગઈ હોય તોપણ તે શીધ્ર મળી જાય છે તેમ ભગવાનના વચનના રહસ્યને પ્રાપ્ત કરે તેવું જ્ઞાન કોઈ જીવ પ્રાપ્ત કરે પછી દુર્ગતિ આદિમાં જાય તોપણ તે જીવનું જ્ઞાન નાશ પામતું નથી, પરંતુ અલ્પકાળમાં ફરી તે જ્ઞાનને પ્રાપ્ત કરે છે, તેથી જ્ઞાનગુણને અપ્રતિપાતી કહેલ છે. વળી, જ્ઞાનવગરની ક્રિયા અનંતી વખત કરી હોય છતાં ફરી તે ક્રિયાને પ્રાપ્ત કરે એવો નિયમ નથી તેથી ક્રિયા પ્રતિપાતી છે. માટે કલ્યાણના અર્થીએ પ્રસ્તુત ગ્રંથમાં વર્ણન કરાયેલા દ્રવ્યગુણ-પર્યાયના રહસ્યને જાણવા માટે અત્યંત યત્ન કરવો જોઈએ, જેથી સોયમાં પરોવાયેલા દોરાની જેમ પોતાનો આત્મા સૂત્રથી અનુવિદ્ધ બને. તેથી જેમ નંદિષણમુનિ સંયમથી પ્રતિપાત પામ્યા તોપણ જ્ઞાનગુણથી પ્રતિપાત પામ્યા નહીં તેમ પોતાનો આત્મા પણ જ્ઞાનગુણથી પ્રતિપાત પામે નહીં. દુહા-કા અવતરણિકા - -
હવે આગમમાં શ્રુતજ્ઞાનીને કેવલી સમાન કહ્યા છે તેમ બતાવીને પ્રસ્તુત ગ્રંથના મર્મને જાણનારા બહુશ્રુતો કેવળીની જેમ સન્માર્ગ બતાવનારા છે અને સ્વયં સમ્યજ્ઞાતવાળા હોવાથી સુખપૂર્વક સન્માર્ગમાં પ્રસ્થિત થઈ શકે છે, તે બતાવવા અર્થે કહે છે –