________________
૨૦૮
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | દુહા / ગાથા-૬
અવતરણિકા -
વળી, કિયા કરતાં સમ્યજ્ઞાન અધિક છે, તે બતાવવા અર્થે સમ્યજ્ઞાનમાં અકરણનિયમની પ્રાપ્તિ કઈ રીતે છે? અને તે અપ્રતિપાતીગુણ કઈ અપેક્ષાએ છે? તે બતાવવા અર્થે કહે છે –
ગાથા :
મિથ્યાત્વાદિક કર્મથિતિ, અકરણ નિયમઈ ભાવિ;
અપ્રતિપાતી ગ્યાનગુણ, મહાનિસીહ સાખિ. liદુહા-કા ગાથાર્થ -
મિથ્યાત્વાદિકની કર્મસ્થિતિ (જ્ઞાનગુણને કારણે) અકરણ નિયમભાવિ થાય છે. “મહાનિશીથ”ની સાક્ષીએ જ્ઞાનગુણ અપ્રતિપાતી છે. liદુહા-છા
ટબો:
જ્ઞાન, તે-સમ્યગદર્શન સહિત જ આવઈ. તે પામ્યા પછી મિથ્યાત્વમાંહિં આવશું તો પણિ કોડાર્કોડિ ૧ ઉપરાંત કર્મબંધ જીવ ન કરશું. “વંધે ન વોત્તડું વિત્તિ વનતિ એ અભિપ્રાયઈ-નંદિષણનઈં અધિકારઈં – મનસીઈં જ્ઞાનગુણઈ અપ્રતિપાતી કહિઓ છઈ.
उत्तराध्ययनेष्वप्युक्तम् - सूई जहा ससुत्ता, ण णस्सई कयवरम्मि पडियावि ।
जीवो तहा ससुत्तो, ण णस्सइ गओवि संसारे ।।१।। (उत्तराध्यननसूत्र, अध्ययन-२९, आलापक૧૨, શાંતિસૂરિ ટીવ) દુહા-છા રબાઈ -
જ્ઞાન તે સમગ્રદર્શન સહિત જ આવે. તે પામ્યા પછી જીવ મિથ્યાત્વમાં આવે તો પણ એક કોટાકોટિ ઉપરાંત કર્મબંધ કરે નહીં.
કેમ એક કોટાકોટિ ઉપરાંત કર્મબંધ તે જીવ ન કરે? તેમાં હેતુ કહે છે –
“વંધેળ ન વોનઃ વિ”=“બંધથી ક્યારેય પણ ઉલ્લંઘન કરતો નથી ગ્રંથિભેદકાલીન કર્મસ્થિતિનું ક્યારેય પણ ઉલ્લંઘન કરતો નથી,” ત્તિ વષના—એ પ્રકારનું વચન છે. એ અભિપ્રાયથી જ્ઞાનગુણને કારણે મિથ્યાત્વાદિ કર્મોની સ્થિતિ અકરણનિયમભાવિ થાય છે એ અભિપ્રાયથી, “દિષણના અધિકારમાં મહાનિશીથમાં જ્ઞાનગુણને અપ્રતિપાતી કહ્યો છે.
ઉત્તરાધ્યયનેaણુ—ઉત્તરાધ્યયનમાં પણ કહ્યું છે–ઉત્તરાધ્યયનના ૨૯મા અધ્યયનના ૧૮મા આલાવાની ટીકામાં પણ કહ્યું છે કે જ્ઞાનગુણ અપ્રતિપાતી છે.