Book Title: Dravya Gun Paryayno Ras Part 02
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 246
________________ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૫ | ગાથા-૪ અવતરણિકા - જેઓ નિશ્ચયવ્યવહારસાપેક્ષ જિનવચનના પરમાર્થને જાણતા નથી તેવા સાધુ શરીરની બાહ્ય ક્રિયા કરીને હિત સાધતા નથી, તેમ પૂર્વ ગાથામાં કહ્યું. કેમ તેઓ હિત સાધી શકતા નથી ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે ગાથા: કપટ ન જાણઈ રે આપણું, પરનાં ગુહ્ય તે ખોલઈં રે; ગુણનિધિ ગુરુથકી બાહિરા, વિરુઉં નિજમુખિં બોલઈ રે. ૨૧૯ શ્રી જિન૦ ||૧૫/૪]] ગાથાર્થઃ આપણું અર્થાત્ પોતાનું કપટ જાણતા નથી=મોહના ઉન્મૂલનને અનુકૂળ યત્ન કરીને જિનતુલ્ય થવા માટે લેશ પણ યત્ન નહીં હોવા છતાં ‘હું ચારિત્ર પાળું છું’ એ પ્રકારે જાતને ઠગવારૂપ પોતાનું કપટ જાણતા નથી. પરનાં ગુહ્ય તે ખોલે છે=બીજા સાધુઓમાં જે ક્ષતિઓ છે તેને જોઈને તે ક્ષતિઓને પ્રકાશિત કરે છે. ગુણનિધિ ગુરુ થકી બાહિરા=ભાગ્યયોગે જિનવચનના તાત્પર્યને જાણનારા અને સન્માર્ગમાં પ્રવર્તાવનારા ગુરુ મળ્યા હોય તેવા ગુણનિધિ ગુરુ થકી દૂર રહીને, નિજમુખે વિરુó બોલે=“ તે ગુરુના દોષો કહેવાયોગ્ય નથી” એ પ્રકારનું વિપરીત થન નિજમુખથી બોલે છે. II૧૫/૪૧ ટોઃ જે પ્રાણી પોતાની કપટદશાને જાણતા નથી, સ્થા પરમાર્થે ? અજ્ઞાનરૂપ પડલઈ કરીનેં, અને વલી, પરનાં ગુહ્યુ=પારકા અવર્ણવાદ, મુખથી બોલઈ છઈ, ગુણનિધિગુણનિધાન, એહવા-જે ગુરુ, તેહથી બાહિર રહીનેં, વિરુઓ તે-કહેવા યોગ્ય નહિ, એહવું નિજમુખથી બોલઈ છઈ, અસમંજસપણું ભાખે છે, તે પ્રાણીનઈં. ૧૫/૪।। બાર્થ ઃ જે પ્રાણી પોતાની કપટદશાને જાણતા નથી. કયા પરમાર્થને કારણે પોતાની કપટદશાને જાણતા નથી ? તેથી કહે છે અજ્ઞાનરૂપ પડલે કરીને=પોતાની પ્રવૃત્તિ મોહના ઉન્મૂલનને અનુકૂળ છે કે નહીં ? તેના પરમાર્થને સ્પર્શે તેવા બાધક એવા પ્રબળ જ્ઞાનાવરણીય કર્મજન્ય અજ્ઞાનરૂપ પડલને કારણે, પોતાની કપટદશાને જાણતા નથી. અને વળી, પરનાં ગુહ્યુ=પારકા અવર્ણવાદ, મુખથી બોલે છે=‘કોઈકની પ્રવૃત્તિ ઉચિત નથી' તેમ સ્વબુદ્ધિથી જણાય ત્યારે શું ઉચિત ? અને શું અનુચિત ? તેનો વિચાર કર્યા વગર પારકા

Loading...

Page Navigation
1 ... 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300