________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૫ | ગાથા-૪
અવતરણિકા -
જેઓ નિશ્ચયવ્યવહારસાપેક્ષ જિનવચનના પરમાર્થને જાણતા નથી તેવા સાધુ શરીરની બાહ્ય ક્રિયા કરીને હિત સાધતા નથી, તેમ પૂર્વ ગાથામાં કહ્યું. કેમ તેઓ હિત સાધી શકતા નથી ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે
ગાથા:
કપટ ન જાણઈ રે આપણું, પરનાં ગુહ્ય તે ખોલઈં રે; ગુણનિધિ ગુરુથકી બાહિરા, વિરુઉં નિજમુખિં બોલઈ રે.
૨૧૯
શ્રી જિન૦ ||૧૫/૪]]
ગાથાર્થઃ
આપણું અર્થાત્ પોતાનું કપટ જાણતા નથી=મોહના ઉન્મૂલનને અનુકૂળ યત્ન કરીને જિનતુલ્ય થવા માટે લેશ પણ યત્ન નહીં હોવા છતાં ‘હું ચારિત્ર પાળું છું’ એ પ્રકારે જાતને ઠગવારૂપ પોતાનું કપટ જાણતા નથી. પરનાં ગુહ્ય તે ખોલે છે=બીજા સાધુઓમાં જે ક્ષતિઓ છે તેને જોઈને તે ક્ષતિઓને પ્રકાશિત કરે છે. ગુણનિધિ ગુરુ થકી બાહિરા=ભાગ્યયોગે જિનવચનના તાત્પર્યને જાણનારા અને સન્માર્ગમાં પ્રવર્તાવનારા ગુરુ મળ્યા હોય તેવા ગુણનિધિ ગુરુ થકી દૂર રહીને, નિજમુખે વિરુó બોલે=“ તે ગુરુના દોષો કહેવાયોગ્ય નથી” એ પ્રકારનું વિપરીત થન નિજમુખથી બોલે છે. II૧૫/૪૧
ટોઃ
જે પ્રાણી પોતાની કપટદશાને જાણતા નથી, સ્થા પરમાર્થે ? અજ્ઞાનરૂપ પડલઈ કરીનેં, અને વલી, પરનાં ગુહ્યુ=પારકા અવર્ણવાદ, મુખથી બોલઈ છઈ, ગુણનિધિગુણનિધાન, એહવા-જે ગુરુ, તેહથી બાહિર રહીનેં, વિરુઓ તે-કહેવા યોગ્ય નહિ, એહવું નિજમુખથી બોલઈ છઈ, અસમંજસપણું ભાખે છે, તે પ્રાણીનઈં. ૧૫/૪।।
બાર્થ ઃ
જે પ્રાણી પોતાની કપટદશાને જાણતા નથી. કયા પરમાર્થને કારણે પોતાની કપટદશાને જાણતા નથી ? તેથી કહે છે
અજ્ઞાનરૂપ પડલે કરીને=પોતાની પ્રવૃત્તિ મોહના ઉન્મૂલનને અનુકૂળ છે કે નહીં ? તેના પરમાર્થને સ્પર્શે તેવા બાધક એવા પ્રબળ જ્ઞાનાવરણીય કર્મજન્ય અજ્ઞાનરૂપ પડલને કારણે, પોતાની કપટદશાને જાણતા નથી. અને વળી, પરનાં ગુહ્યુ=પારકા અવર્ણવાદ, મુખથી બોલે છે=‘કોઈકની પ્રવૃત્તિ ઉચિત નથી' તેમ સ્વબુદ્ધિથી જણાય ત્યારે શું ઉચિત ? અને શું અનુચિત ? તેનો વિચાર કર્યા વગર પારકા