________________
૧૪
દ્રવ્યગણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૫ ગાથા-૧
- ટાળ-૧૫
અવતરણિકા -
હિવઈ આગલી ઢાલું જ્ઞાનાધિકાર દઢ કરાઈ છઈ, દષ્ટાંતે કરીને – અવતરણિયાર્થઃ
હવે આગલી ઢાળમાં દાંતથી જ્ઞાનઅધિકાર દઢ કરે છે – ભાવાર્થ :
હવે ઢાળ-૧૫માં ક્રિયાઅધિકાર અને જ્ઞાનઅધિકારમાં જ્ઞાનઅધિકાર જ મુખ્ય છે તે દઢ કરવા અર્થે દૃષ્ટાંત બતાવે છે; કેમ કે સંયમની સર્વ ક્રિયાઓ મોહના સ્પર્શ વગરના જ્ઞાનની નિષ્પત્તિ દ્વારા જ મોક્ષનું કારણ છે, તેથી જ્ઞાનઅધિકાર જ યોગમાર્ગમાં પ્રધાન અંગ છે. ગ્રંથકારશ્રીએ સ્યાદ્વાદના પારમાર્થિક બોધ અર્થે જ પ્રસ્તુત ગ્રંથની રચના કરેલ છે, તેવો નિર્ણય કરવા અર્થે કહે છે –
ગાથા :
નાણ સહિત જે આ મુનિવરા, કિરિયાવંત મહંતો રે; તે મૃગપતિ જિમ પાખરિઆ, તેહના ગુણનો ન અંતો રે.
શ્રી જિનશાસન સેવિઈ. આંકણી. II૧૫/૧૫ ગાથાર્થ -
જ્ઞાનથી યુક્ત જે મુનિવરા દિયાવંત છે તે મહંત છે. જેમ મૃગપતિ પાખરીયા (તે મહાપરાક્રમી) છે, તેના ગુણનો અંત નથી=ઘણા ગુણો છે. શ્રી જિનશાસન સેવીએ. ll૧૫/૧૫ ટબો :
જ્ઞાન સહિત જે મુનિવર-સાધ, ચારિત્રિયા-ક્રિયાપાત્ર છે. મહંત-તે મોટા ચિત્તના ધણી થઈ તે મૃગપતિ જિમ-સિહ અને પાખરિયા-તે જિન-મહા પરાક્રમી હોય, તેહના ગુણનો અંત નથી, પરમાર્થ-બહુ ગુણના ભાજન થઈ. તેહની પ્રશંસા કહી ન જાય, એ પરમાર્થ.
એહવા જ્ઞાનારાધક સુસાધુ જેહમાં છઈ, એહવું-શી જિનશાસન સેવીઈ, ભક્તિભાવપૂર્વક આવિર્ય. ૧૫/૧