________________
૧૯૦
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૪| ગાથા-૧૪ જેમ ગૂંથાઈને રહેલા હોય ત્યારે તે બે આદિ તાંતણાઓમાં અશુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાયપણું પ્રાપ્ત થાય છે; કેમ કે તે બે તાંતણા પરસ્પર એકપણાથી પ્રતિબદ્ધ હોવાને કારણે અશુદ્ધ દ્રવ્ય છે અને તે દ્વિતંતુકાદિ પર્યાય ત્રણ કાળને સ્પર્શનાર હોવાથી અશુદ્ધદ્રવ્યભંજનપર્યાય છે; તેની જેમ સંસારી જીવરૂપ એકદ્રવ્યજનક એવા કર્મો, મનુષ્યાદિ દેહ અને જીવદ્રવ્ય - તેના સંઘાતને અશુદ્ધદ્રવ્યભંજનપર્યાયપણું કહેવામાં આવે તો રૂડું લાગે અથવા ઘણા પુદ્ગલોના સમુદાયથી બનેલ ગૃહ આદિ એક દ્રવ્યમાં પણ અશુદ્ધદ્રવ્યભંજનપર્યાયપણું કહીએ તો રૂડું લાગે; પરંતુ ધર્માસ્તિકાયની સાથે અધર્માસ્તિકાયનો સંયોગ છે તે એકદ્રવ્યજનક અવયવના સંઘાતરૂપ નથી. માટે ધર્માસ્તિકાયની સાથેના અધર્માસ્તિકાયના સંયોગને ધર્માસ્તિકાયના અશુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાયરૂપે કહેવું તે સંગત જણાતું નથી, તેમ દિગંબર કહે, તો તેનો સ્વીકાર કરીને ગ્રંથકારશ્રી કહે છે –
જો તે સુંદર જણાતું ન હોય તો, અપેક્ષા-અનપેક્ષા દ્વારા અશુદ્ધ પર્યાયનો જે અનેકાંત છે તે સર્વ દ્રવ્યોમાં વ્યાપક છે તેમ માનવું જોઈએ, અન્યથા એકાંતવાદના સ્વીકારની આપત્તિ આવે. હવે કઈ રીતે સર્વ દ્રવ્યમાં શુદ્ધાશુદ્ધ પર્યાયની પ્રાપ્તિ છે ? તે ગ્રંથકારશ્રી પ્રસ્તુત ગાથામાં બતાવે છે – ગાથા :
ધર્માદિક પરપwયઈ, વિસમાઈ એમ;
અશુદ્ધતા અવિશેષથી, જિઅ-પુદ્ગલિ જેમ. શ્રી જિન II૧૪/૧૪ ગાથાર્થ -
એમ અવતરણિકામાં કહ્યું એમ, પરપર્યાયથી ધર્માદિકની અશુદ્ધતા અવિશેષ હોવાને કારણે વિસમાઈ=વિલક્ષણતા (જાણવી), જેમ જીવ અને પુદ્ગલ=જેમ જીવના અને પુગલના સંયોગથી અશુદ્ધતા છે તેમ ઘટાદિના સંયોગથી ધર્માદિની અશુદ્ધતા અવિશેષ છે. II૧૪/૧૪ ટબો:
ધર્માદિકનઈ પરપર્યાય સ્વપર્યાયથી વિષમાઈ-વિલક્ષણતા ઈમ જાણવી. જે માર્ટિ-પરાપેક્ષાઈ અશુદ્ધતાનો વિશેષ નથી, જિમ-જીવદ્રવ્ય, પુદ્ગલદ્રવ્યનઈં વિષઈં. I/૧૪/૧૪ ટબાર્થ
ઈમએમઅવતરણિકામાં કહ્યું કે અપેક્ષા-અપેક્ષા દ્વારા શુદ્ધાશુદ્ધ અનેકાંતવ્યાપકપણું શ્રેય છે એમ, ધર્માસ્તિકાયાદિને પરપર્યાયને આશ્રયીને=ઘટાદિના સંયોગરૂપ પરપર્યાયને આશ્રયીને, સ્વપર્યાયથી=ધમસ્તિકાયાદિના પોતાના વર્તતા પરિણામરૂપ સ્વપર્યાયથી, વિષમતા=વિલક્ષણતા, જાણવી.
જે માટે, પરની અપેક્ષાએ અશુદ્ધતાનો વિશેષ નથી=પટમાં તંતુઓના સંયોગથી જેમ અશુદ્ધ