________________
૧૮૮
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૪| ગાથા-૧૩ તો=આ પ્રમાણે કોઈ શંકા કરે તો, ગ્રંથકારશ્રી કહે છે –
મનુષ્યાદિ પર્યાય પણ અશુદ્ધ ન કહેવો જોઈએ=જીવદ્રવ્યના મનુષ્યાદિ પર્યાયો પણ અશુદ્ધ ન કહેવા જોઈએ (અ) મનુષ્યાદિ જેવદ્રવ્યના અશુદ્ધ પર્યાય છે એમ દિગંબરોને પણ સંમત છે માટે ધર્માસ્તિકાયાદિના પરદ્રવ્ય સાથેના સંયોગને પણ દિગંબરોએ અશુદ્ધ પર્યાય સ્વીકારવા જોઈએ.
અહીં પ્રશ્ન થાય કે, મનુષ્યાદિ પર્યાયો તો અન્યથાપણાના હેતુ છે તેથી અશુદ્ધ પર્યાય સ્વીકારી શકાશે. તેના નિરાકરણ માટે ગાથામાં મનુષ્યાદિના વિશેષણરૂપે “અસદ્ભૂત' મૂકેલ છે, તેનું તાત્પર્ય ટબામાં સ્પષ્ટ કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
અસદ્ભુત વ્યવહારનયથી ગ્રાહ્ય છે=મનુષ્યાદિ પર્યાયો અસદ્દભૂત વ્યવહારનયથી ગ્રાહ્ય છે. માટે અસદ્દભૂત કહો પણ અશુદ્ધ ન કહો=મનુષ્યાદિ પર્યાયને અસદ્દભૂત કહી શકાય પણ અશુદ્ધ ન કહી શકાય, એ પરમાર્થ છે. I૧૪/૧૩મા ભાવાર્થ -
દિગંબર મતાનુસાર ધર્માસ્તિકાયાદિને પરદ્રવ્યનો સંયોગ છે - તે ધર્માસ્તિકાયાદિનો ઉપચરિત પર્યાય છે; કેમ કે એક ક્ષેત્રના સંસર્ગથી તે દ્રવ્યો સંયોગવાળાં છે; છતાં ધર્માસ્તિકાયાદિને અધર્માસ્તિકાય સાથે જે સંયોગ છે તે ધર્માસ્તિકાયાદિનો અશુદ્ધ પર્યાય કહી શકાય નહીં.
ધર્માસ્તિકાયને અધર્માસ્તિકાય સાથે જે સંયોગ છે તેને ધર્માસ્તિકાયનો અશુદ્ધ પર્યાય કેમ કહી શકાય નહીં ? તેથી કહે છે –
જેમ જીવદ્રવ્ય સાથે કર્યદ્રવ્યનો સંયોગ થવાથી જીવ નર-નારકાદિરૂપે અન્યથાભાવને પામે છે તેમ ધર્માસ્તિકાય દ્રવ્યને અધર્માસ્તિકાયનો સંયોગ થવા માત્રથી ધર્માસ્તિકાય દ્રવ્યમાં કોઈ અન્યથાભાવ પ્રાપ્ત થતો નથી, તેથી ધર્માસ્તિકાયને અધર્માસ્તિકાયનો સંયોગ છે તેને અશુદ્ધ પર્યાય કહી શકાય નહીં. માટે ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોમાં જીવદ્રવ્ય અને પુદ્ગલદ્રવ્યની જેમ અશુદ્ધ પર્યાયની પ્રાપ્તિ નથી એ પ્રકારે દિગંબરોનો આશય છે. તેને ગ્રંથકારશ્રી કહે છે –
દિગંબરોએ આત્માના મનુષ્યાદિ પર્યાયોને પણ અશુદ્ધ પર્યાય કહેવા જોઈએ નહીં.
દિગંબરો આત્માના મનુષ્યાદિ પર્યાયને અશુદ્ધ પર્યાય સ્વીકારે છે. તેઓ કહે છે કે કર્મબંધ એ આત્માનો અન્યથાભાવ છે, માટે મનુષ્યાદિને જીવદ્રવ્યનો અશુદ્ધ પર્યાય કહી શકશે. તેને ગ્રંથકારશ્રી કહે છે –
અસદ્ભુત વ્યવહારનયથી મનુષ્યપર્યાય ગ્રાહ્ય છે માટે દિગંબરોએ મનુષ્યપર્યાયને અસદ્ભુતપર્યાય કહેવો જોઈએ; પરંતુ અશુદ્ધ પર્યાય કહેવો જોઈએ નહીં.
આશય એ છે કે, નિશ્ચયનયની દૃષ્ટિથી આત્મા પોતાના ભાવોમાં જ રહે છે અને મનુષ્ય શરીર આદિ