________________
૧૯૨
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૪ | ગાથા-૧૫-૧૬ તો જીવ અને પુદ્ગલમાં અશુદ્ધ પર્યાયની પ્રાપ્તિ થાય અને ધર્માસ્તિકાયમાં અશુદ્ધ પર્યાયની પ્રાપ્તિ થાય નહીં, જેથી એકાંતવાદ સ્વીકારવાની આપત્તિ આવે છે. II૧૪/૧૪ll અવતરણિકા -
હવઈ પ્રકારાન્તરઈ ચતુર્વિધ પર્યાય નય હું કહિયા, તે દેખાડઈ છઈ – અવતરણિકાર્ય :
હવે બીજા પ્રકારે ચાર પ્રકારના પર્યાય નયચક્રમાં કહ્યા છે=દિગંબરના “નયચક્ર' ગ્રંથમાં કહ્યા છે, તે દેખાડે છે –
ગાથા -
ઈમ જ સજાતિ-વિજાતિથી, દ્રવ્યઈ પજાય;
ગુણઈ સ્વભાવ-વિભાવથી, એ ચ્યાર કહાઈ. શ્રી જિન II૧૪/૧પો ગાથાર્થ :
ઈમ જ=પૂર્વમાં પર્યાયના વિભાગ પાડ્યા એમ જ, દ્રવ્યના પર્યાય સજાતિથી અને વિજાતિથી અને ગુણના પર્યાય સ્વભાવથી અને વિભાવથી એ ચાર કહેવાય=એ ચાર પ્રકારના પર્યાયના ભેદ કહેવાય. ll૧૪/૧૫ll
રબો :
ઈમ સજાતીયવ્યપર્યાય, વિજાતીયદ્રવ્યપર્યાય, સ્વભાવગુણપર્યાય, વિભાવગુણપર્યાય ૪ ભેદ પર્યાયના કહવા. ૧૪/૧પા ટબાર્થ :
એમ=પૂર્વમાં પર્યાયના ભેદો બતાવ્યા એમ, સજાતીયદ્રવ્યના પર્યાય, વિજાતીયદ્રવ્યના પર્યાય, સ્વભાવગુણપર્યાય અને વિભાવગુણપર્યાય એ પ્રકારે ચાર ભેદ પર્યાયના કહેવા. ll૧૪/૧૫ ભાવાર્થ
પૂર્વમાં શુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાય, અશુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાય, શુદ્ધગુણવ્યંજનપર્યાય, અશુદ્ધગુણવ્યંજનપર્યાય, શુદ્ધઅર્થપર્યાય અને અશુદ્ધઅર્થપર્યાય એમ પર્યાયના ભેદ બતાવ્યા. હવે ‘નયચક્રમાં અન્ય પ્રકારે પર્યાયના ચાર ભેદ કહ્યા છે તે બતાવતાં કહે છે –
સજાતીયદ્રવ્યપર્યાય, વિજાતીયદ્રવ્યપર્યાય, સ્વભાવગુણપર્યાય અને વિભાવગુણપર્યાય એ ચાર પ્રકારના પર્યાયના ભેદ “નયચક્ર'માં કહ્યા છે I૧૪/૧પણા