________________
૧૯૭
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૪ | ગાથા-૧૭-૧૮ દ્રવ્યપર્યાય અને ગુણપર્યાય. તે કથન તેનું પરસ્પર વિરોધી છે; કેમ કે ગુણના વિકારરૂપ જ પર્યાય હોય તો દ્રવ્યમાં વર્તતા ગુણના વિકારરૂપ પર્યાય પ્રાપ્ત થાય; પરંતુ દ્રવ્યપર્યાયથી પૃથક્ ગુણપર્યાયરૂપ પર્યાયનો બીજો ભેદ પ્રાપ્ત થાય નહીં. માટે તે દેવસેન મુનિ વસ્તુને યથાર્થ જોનારી દૃષ્ટિવાળા નહીં હોવાથી અનુભવ અનુસાર સ્યાદ્વાદને જોતા નથી, માટે કાંઈ જાણનારા નથી. આથી જ ગુણના વિકારોને પર્યાય કહ્યા પછી તે ફરી ગુણના પર્યાયો કહે છે જે વિરુદ્ધ ભાષણસ્વરૂપ છે. માટે દ્રવ્યના પર્યાય જ કહેવા જોઈએ અને ગુણના પર્યાય જુદા કહેવા જોઈએ નહીં, એ પ્રકારની સ્યાદ્વાદની મર્યાદાનો પરમાર્થ છે. ll૧૪/૧૭ના અવતરણિકા -
ગ્રંથકારશ્રીએ અત્યાર સુધીની ઢાળોમાં દ્રવ્ય, ગુણ અને પર્યાયનું સ્વરૂપ લક્ષણાદિથી બતાવ્યું, તે સર્વ કથનનું નિગમન કરતાં કહે છે –
ગાથા :
ઈમ દ્રવ્યાદિક પરખિઆ, રાખી ગુઆણ;
ઉવેખી બહુ તનુમતિ, અવગણિ અજાણ. શ્રી જિનI/૧૪/૧૮ાા ગાથાર્થ -
ઈમ આ પ્રમાણે=ઢાળ-૨થી અત્યાર સુધી વર્ણન કર્યું એ પ્રમાણે, દ્રવ્યાદિકને પરખ્યા= ગ્રંથકારશ્રીએ પરીક્ષા કરી.
કઈ રીતે પરીક્ષા કરી ? તેથી કહે છે –
ગુરુઆણને રાખીને, બહુ તનુમતિની ઉપેક્ષા કરીને (અને) અજાણને અવગણીને (દ્રવ્યાદિકની પરીક્ષા કરી છે એમ અન્વય છે.) II૧૪/૧૮ ટબો :
ઈમ, દ્રવ્ય-ગુણ-પર્યાય પરખ્યા, સ્વરૂપ-લક્ષણ-ભેદાદિકઈ કરી. ગુરુઆણ કo પરંપરાની આજ્ઞા રાખીનઈં, ઘણા તનુમતિ જે-તુચ્છ બુદ્ધિના ધણી, તેહનઈં ઊખીનઈં, અજાણ-જે કદાગ્રહી, તેહનઈં અવગણીનઈં-નિરાકરીનઈં. ll૧૪/૧૮. ટબાર્થ :
આમ=ઢાળ-રથી અત્યાર સુધી વર્ણન કર્યું એમ, દ્રવ્ય-ગુણ-પર્યાયને સ્વરૂપ, લક્ષણ ભેદાદિકથી કરીને પખ્યા=પરીક્ષા કરી. ગુરુઆણ કહેતાં–ગુરુની પરંપરાની આજ્ઞાને રાખીને પરીક્ષા કરી. ઘણા તકુમતિ=જે તુચ્છ બુદ્ધિના ધણી, તેમની ઉપેક્ષા કરીને, અજાણ-જે કદાગ્રહી, તેને અવગણીને=નિરાકરીને, દ્રવ્યગુણપર્યાયની પરીક્ષા કરી છે, એમ અત્રય છે.) NI૧૪/૧૮