________________
૧૮૫
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨/ ઢાળ-૧૪| ગાથા-૧૧-૧૨ ટબો:
સંયોગ પણિ આકૃતિની પરિ પર્યાય કહેવાઈ છઈ, જે માર્ટિ-પર્યાયનાં લક્ષણભેદરૂપ ઉતરાધ્યયનઈ એ રીતિ કહિયાં છઈ. ll૧૪/૧૧// ટબાર્થ :
સંયોગ પણ આકૃતિની જેમ પર્યાય કહેવાય છે. કેમ સંયોગ પણ આકૃતિની જેમ પર્યાય કહેવાય છે? તેથી કહે છે –
જે માટે પર્યાયનાં ભેદરૂપે લક્ષણ ‘ઉત્તરાધ્યયનમાં એ રીતે કહ્યાં છે=જે રીતે આકૃતિને પર્યાય કહ્યા છે, એ રીતે સંયોગને પણ પર્યાય કહ્યા છે. II૧૪/૧૧II ભાવાર્થ :
વસ્તુને દ્રવ્ય અને પર્યાયસ્વરૂપ સ્યાદ્વાદ સ્વીકારે છે તેથી ધર્માસ્તિકાયાદિ દ્રવ્ય છે અને તેની આકૃતિ એ તેનો પર્યાય છે, પ્રતિક્ષણ તેમાં થતાં પરિવર્તનો પણ પર્યાય છે અને અન્યનો સંયોગ પણ તેનો પર્યાય છે; કેમ કે પર્યાયથી જ વસ્તુ અન્ય કરતાં જુદી જણાય છે. જેમ આત્મા પોતાના જ્ઞાનગુણને કારણે જડ કરતાં જુદો જણાય છે તેથી જ્ઞાનગુણ એ જીવનો પર્યાય છે અને જીવદ્રવ્ય છે, તેમ ધર્માસ્તિકાય આદિ દ્રવ્ય પણ તેની આકૃતિથી જણાય છે તેથી તે આકૃતિ તેનો પર્યાય છે અને અન્યના સંયોગસ્વરૂપે પણ ધર્માસ્તિકાયાદિ જણાય છે, માટે અન્યનો સંયોગ પણ તેનો પર્યાય છે. ll૧૪/૧૧ાા અવતરણિકા :
‘ઉત્તરાધ્યયનમાં કહેલા પર્યાયના લક્ષણને બતાવે છે –
ગાથા -
એકત પૃથક્ત તિમ વલી, સંખ્યા સંકાણિ;
વલિ સંયોગ વિભાગ એ, મનમાં તૂ આણિ. II૧૪/૧શા શ્રી જિન ગાથાર્થ -
એકત્વ, પૃથક્વ વળી તેમ સંખ્યા, સંસ્થાન, વળી સંયોગ, વિભાગ એ=પર્યાયનું લક્ષણ છે એ, મનમાં તું આણ. II૧૪/૧ણા રબો -
તેહ જ વર્ણવીને કહે છે – उत्तराध्ययन गाथाएगत्तं च पुहत्तं च, संखा संठाणमेव य । સંનો ય વિમા ય, પન્નવા તુ નg III (૩ત્તરાધ્યયન, મ.-૨૮, સૂટ-૨૩)