________________
૧૮૪
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ / ઢાળ-૧૪ / ગાથા-૧૦-૧૧ જેમ જીવદ્રવ્યને શરીરદ્રવ્યની અપેક્ષાએ મનુષ્યપર્યાયની પ્રાપ્તિ થાય છે જે અશુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાય છે, તેમ ધર્માસ્તિકાયાદિને પણ લોકમાં વર્તતાં અન્ય દ્રવ્યોનો સંયોગ છે તે અપેક્ષાએ અશુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાય સ્વીકારવામાં અનેકાંતનો વિરોધ નથી; કેમ કે અનેકાંતવાદ વસ્તુને યથાર્થ જોવા માટે પ્રવૃત્ત છે અને પદાર્થને યથાર્થ જોવાથી જે પ્રકારે અનુભવ અનુસાર પદાર્થ દેખાય છે તે પ્રકારે અનેકાંતવાદ તેનો સ્વીકાર કરે છે. આથી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ઉત્તર ઉત્તરના સમ્યગ્દર્શનની પ્રાપ્તિનું કારણ હોવાથી મોક્ષમાર્ગની પ્રાપ્તિનું કારણ હોવા છતાં કોઈક જીવને પ્રાપ્ત થયેલા સમ્યગ્દર્શન આદિ જ ઉત્તરમાં પ્રમાદનું કારણ બને તો સંસારનું કારણ પણ બને છે એમ સ્યાદ્વાદી સ્વીકારે છે; કેમ કે સમ્યજ્ઞાન પણ અહંકારની ઉત્પત્તિ દ્વારા સંસારનું કારણ બને છે તેમ અનુભવ અનુસાર સ્યાદ્વાદી સ્વીકારે છે. આ રીતે જીવનો કર્મની સાથે જેવો સંયોગ છે તેવો વિશેષ સંયોગ નહીં હોવા છતાં ધર્માસ્તિકાયાદિના ક્ષેત્રમાં જ રહેલાં અન્ય દ્રવ્યોની સાથે તે ક્ષેત્રની અવગાહનારૂપ સંબંધ ધર્માસ્તિકાયાદિનો છે તે દૃષ્ટિથી પરના સંયોગને ગ્રહણ કરીને ધર્માસ્તિકાયાદિનો અશુદ્ધદ્રવ્યભંજનપર્યાય સ્વીકારવામાં કોઈ દોષ નથી. II૧૪/૧ના અવતરણિકા -
આકૃતિ તે પર્યાય હુસ્થઈ, સંયોગ પર્યાય નહીં હોઈ, એવી આશંકા ટાલઈ છઈ – અવતરણિકાર્ય :
આકૃતિ તે પયય થઈ શકે, સંયોગ પર્યાય થાય નહીં એવી આશંકા ટાળે છે – ભાવાર્થ :
ગાથા-૧૦માં કહેલ કે ધર્માસ્તિકાયાદિ દ્રવ્યને લોકવર્તી દ્રવ્યના સંયોગરૂપ અશુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાય પણ સ્વીકારવામાં અનેકાંતનો વિરોધ નથી. ત્યાં કોઈકને શંકા થાય કે, “ધર્માસ્તિકાયાદિની આકૃતિ તે ધર્માસ્તિકાયાદિનો પર્યાય થઈ શકે; પરંતુ ધર્માસ્તિકાયાદિ સાથે અન્ય દ્રવ્યનો સંયોગ થાય છે તે સંયોગ તે ધર્માસ્તિકાયાદિનો પર્યાય થઈ શકે નહીં, માટે અન્ય દ્રવ્યનો સંયોગ અશુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાય છે એમ કહેવું ઉચિત નથી.' આ પ્રકારની આશંકા ટાળે છે –
ગાથા :
સંયોગઈ આકૃતિ પરિ, પwય કહવાય;
ઉત્તરધ્યયનઈ ભાષિ, લક્ષણ પજાય. શ્રી જિનI/૧૪/૧૧ાા ગાથાર્થ:
આકૃતિની જેમ સંયોગ પર્યાય કહેવાય. “ઉત્તરાધ્યયનસૂત્રમાં પર્યાયનાં લક્ષણ પર્યાયના લક્ષણરૂપે સંયોગ, ભાખ્યાં છે કહ્યાં છે. ll૧૪/૧૧||