________________
૧૬૨
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૩ | ગાથા-૧૭
અવતરણિકાર્થ :
આ દિગંબર પ્રક્રિયા ક્યાંક ક્યાંક સ્વસમયને પણ ઉપસ્કૃત કરે છે એમાં જે ચિંત્ય છે, તે દેખાડે
છે
ગાથા:
અનુપચરિત નિજ ભાવ જે રે, તે તો ગુણ કહવાય;
ઈક દ્રવ્યાશ્રિત ગુણ કહિયા રે, ઉભયાશ્રિત ૫જ્જાયો રે. ચતુ॰ ||૧૩/૧૭ll
ગાથાર્થઃ
અનુપચરિત પોતાનો જે ભાવ=દ્રવ્યની સાથે સદા રહેનારો હોવાથી અનુપચરિત એવો દ્રવ્યનો જે ભાવ, તો ગુણ કહેવાય.
અનુપચરિત એવો દ્રવ્યનો ભાવ ગુણ કેમ કહેવાય ? તેથી કહે છે
એક દ્રવ્યાશ્રિત ગુણ કહેવાય છે. ઉભયાશ્રિત=દ્રવ્ય અને ગુણ ઉભયાશ્રિત પર્યાય કહેવાય છે. ||૧૩/૧૭II
ટબો ઃ
સ્વભાવ તે-ગુણપર્યાયથી ભિન્ન ન વિવર્ષિઈ, જે માર્ટિ, જે અનુપચરિત ભાવ, તે ગુણ જ, ઉપચરિત તે પર્યાય જ. ગત વ-એક દ્રવ્યાશ્રિત-ગુણ, ઉભયાશ્રિત-પર્યાય કહિયા,
तथोक्तम्-उत्तराध्ययनेषु
“गुणाणमासओ दव्वं एगदव्वस्सिआ गुणा ।
लक्खणं पज्जवाणं तु उभओ अस्सिआ भवे || १ || ” (उत्तराध्ययनसूत्र, अध्ययन- २८, सूत्र - ५ ) “यदि च 'स्वद्रव्यादिग्राहकेणास्तिस्वभावः परद्रव्यादिग्राहकेण नास्तिस्वभावः' इत्यभ्युपगम्यते, तदोभयोरपि द्रव्यार्थिकविषयत्वात्, सप्तभङ्ग्यामाद्यद्वितीययोर्भङ्गयोर्द्रव्यार्थिकपर्यायार्थिकाश्रयणे પ્રક્રિયા મચેત” હત્યાઘત્ર વદુ વિચારળીયમ્ ॥ ||૧૩/૧૭||
ટબાર્થ ઃ
સ્વભાવ તે ગુણપર્યાયથી ભિન્ન છે એમ વિવક્ષા કરવી જોઈએ નહીં=દિગંબર પક્ષવાળા જેમ ગુણના ભેદો અને પર્યાયના ભેદો કહ્યા પછી સ્વભાવના પણ ભેદો કહે છે તે સ્વભાવ ગુણપર્યાયથી ભિન્ન છે એમ વિવક્ષા કરવી જોઈએ નહીં. જે માટે=જે કારણથી, જે અનુપચરિત ભાવ તે ગુણ જ