________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ–૧૩ | ગાથા-૧૭ ગુણના ભેદના વર્ણન પછી દિગંબરો સ્વભાવના ભેદો કઈ રીતે પાડે છે ? તે ઢાળ-૧૧ની ગાથા-૫માં બતાવીને અત્યાર સુધી તેમની પ્રક્રિયા અનુસાર સ્વભાવના ભેદો ગ્રંથકારશ્રીએ બતાવ્યા. હવે ‘ગુણના ભેદથી અને પર્યાયના ભેદથી સ્વભાવના ભેદો જુદા કહેવા જોઈએ નહીં' એમ સ્પષ્ટ કરતાં ગ્રંથકારશ્રી કહે છે કે દિગંબરો કહે છે એમ સ્વીકા૨વાથી દ્રવ્ય, ગુણ, સ્વભાવ અને પર્યાય એમ ચાર વસ્તુની પ્રાપ્તિ થાય. માટે દિગંબરોએ પાડેલા સ્વભાવના ભેદોનો ગુણ-પર્યાયમાં જ અંતર્ભાવ કરવો જોઈએ.
સ્વભાવના ભેદોનો ગુણ-પર્યાયમાં જ અંતર્ભાવ કેમ કરવો જોઈએ ? તેથી બતાવે છે –
સ્વભાવનો અર્થ થાય કે ‘પોતાનો ભાવ’. પદાર્થનો જે અનુપરિત ભાવ છે તે ગુણ છે અર્થાત્ પદાર્થમાં સ્વભાવભૂત જે ભાવ પદાર્થ સાથે સદા ૨હેનારો હોય તે ગુણ કહેવાય. આથી જ યાવદ્રવ્યભાવી= પદાર્થમાં સદા રહેનારો જે ભાવ હોય તે, ગુણ છે એ પ્રમાણે ગુણનું લક્ષણ પૂર્વમાં કર્યું. વળી, પદાર્થમાં સદા ન રહેનારો અને ક્યારેક પ્રાપ્ત થનારો ભાવ તે પદાર્થનો ઉપચરિત ભાવ છે તેને પર્યાય કહેવાય. આથી જ અયાવત્-દ્રવ્યભાવી=પદાર્થમાં સદા ન રહેનારો ભાવ, પર્યાય છે. તેથી ‘વસ્તુનો જે અનુપચરિત સ્વભાવ છે તે ગુણ છે અને વસ્તુનો જે ઉપચરિત સ્વભાવ છે તે પર્યાય છે' એ પ્રકારનો અર્થ પ્રાપ્ત થાય છે. માટે ગુણના ભેદો બતાવ્યા પછી સ્વભાવના ભેદો બતાવવા ઉચિત નથી; પરંતુ ગુણના ભેદો અને પર્યાયના ભેદોમાં જ તેનો અંતર્ભાવ કરવો ઉચિત છે.
૧૬૪
વસ્તુનો અનુપચરિત ભાવ એ ગુણ છે અને ઉપચરિત ભાવ એ પર્યાય છે આથી જ ઉત્તરાધ્યયનસૂત્રમાં ‘દ્રવ્યને આશ્રિત ગુણ છે અને દ્રવ્ય-ગુણ ઉભયને આશ્રિત પર્યાય છે' એમ કહેલ છે. તેથી એ પ્રાપ્ત થાય કે, દ્રવ્યની સાથે સદા રહેનાર ગુણ છે. ગુણ દ્રવ્યથી પૃથક્ પ્રાપ્ત થતો નથી, તેથી ગુણ દ્રવ્યને આશ્રિત છે અને ગુણથી યુક્ત એવું જે દ્રવ્ય છે તે પ્રતિક્ષણ તે તે ભાવરૂપે પરિણમન પામે છે. તેથી દ્રવ્ય અને ગુણ ઉભયાશ્રિત પર્યાય છે. જેમ જીવ જ્ઞાનગુણવાળો છે તેથી જીવદ્રવ્ય અને જ્ઞાનગુણ ઉભયાશ્રિત પ્રતિક્ષણ જે નવું નવું જ્ઞાન થાય છે તે પર્યાય છે, માટે પર્યાય ઉભયાશ્રિત છે અને સદા રહેનારો નથી માટે ઉપરિત ભાવ છે તથા ગુણ તે તે દ્રવ્યમાં સદા રહેનારો ભાવ છે માટે અનુપરિત ભાવ છે. આ કથનને સામે રાખીને જ ઉત્તરાધ્યયનસૂત્રમાં ગુણનું લક્ષણ બતાવતાં કહ્યું કે ‘ગુણોનો આશ્રય દ્રવ્ય છે અને એક દ્રવ્યને આશ્રિત ઘણા ગુણો છે' તથા પર્યાયનું લક્ષણ બતાવતાં કહ્યું કે ‘પર્યાયોનો આશ્રય દ્રવ્ય અને ગુણ છે.’
અહીં વિશેષ એ છે કે, ઢાળ-૨ની ગાથા-૧૧માં ગ્રંથકારશ્રીએ ‘સમ્મતિ’ની સાક્ષીથી કહ્યું કે, ‘દ્રવ્ય અને પર્યાયથી અતિરિક્ત ગુણ નથી’. દિગંબરો દ્રવ્યના પર્યાયો અને ગુણના પર્યાયો સ્વીકારીને ગુણને પર્યાયથી સ્વતંત્ર માને છે, તેનું નિરાકરણ કરતાં ઢાળ-૨ની ગાથા-૧૧ના ટબામાં કહેલ કે ‘ઉપચરિત ગાય દૂઝે નહીં તેમ ઉપચરિત ગુણની શક્તિ વસ્તુમાં નથી' તેમ કહીને દ્રવ્ય અને પર્યાય બે જ વસ્તુ છે, આથી જ ભગવાનના શાસનમાં દ્રવ્યાસ્તિકનય અને પર્યાયાસ્તિકનય એમ બે નય છે, ગુણાસ્તિકનય નથી એમ ઢાળબે ૨ની ગાથા-૧૨માં સ્થાપિત કરેલ. એ વચનથી ગુણ ઉપચરિત છે અને પર્યાય અનુપચરિત છે એમ સિદ્ધ