________________
૧૭૩
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૪ | ગાથા-૩-૪ આઠ ભેદોની પ્રાપ્તિ થાય છે.
આ આઠ ભેદોને જ બતાવવા અર્થે શુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાય બતાવે છે –
ચેતનદ્રવ્યનો સિદ્ધ પર્યાય છે, તે જીવ કમરહિત હોવાથી કેવળ જીવ છે. એને કારણે જીવ શુદ્ધ છે. આ શુદ્ધ જીવરૂપ દ્રવ્યને વ્યંજન કરનાર=વ્યક્ત કરનાર, એવો વ્યંજન પર્યાય છે; કેમ કે સિદ્ધપર્યાયની પ્રાપ્તિથી માંડીને સદા રહેનારો છે. આ સિદ્ધપર્યાય ત્રણ કાળને સ્પર્શનારો હોવાથી વ્યંજનપર્યાય છે, જીવદ્રવ્યનો પર્યાય હોવાથી દ્રવ્યનો ભંજનપર્યાય છે અને શુદ્ધદ્રવ્યનો પર્યાય હોવાથી શુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાય છે.
પ્રસ્તુત ગાથામાં પર્યાયના આઠ ભેદો બતાવ્યા. તેમાં દ્રવ્યપર્યાય અને ગુણપર્યાય એમ બે ભેદ વ્યંજનપર્યાયના અને અર્થપર્યાયના કર્યા; પરંતુ શ્વેતાંબર પ્રક્રિયા અનુસાર દ્રવ્યના પર્યાયો છે અને ગુણના પર્યાયો નથી. “ગુણના પર્યાયો છે” એમ દિગંબર કહે છે, તેનું ગ્રંથકારશ્રીએ સ્વયે પૂર્વમાં નિરાકરણ કરેલ છે; છતાં દિગંબર પ્રક્રિયા અનુસાર પર્યાયના ભેદોના વર્ણનનો પ્રારંભ કર્યો હોવાથી તેઓ જે રીતે દ્રવ્યપર્યાય અને ગુણપર્યાય સ્વીકારે છે તે રીતે જ પ્રસ્તુત ઢાળમાં પ્રથમ બતાવેલ છે. આગળમાં સ્વયં ગ્રંથકારશ્રી કહેશે કે ગુણપર્યાય કલ્પિત છે, વાસ્તવિક નથી, ફક્ત અજ્ઞાની એવા દિગંબરનો તે મત છે.ll૧૪/all અવતરણિકા -
ગાથા-૩માં પર્યાયના આઠ ભેદમાંથી ચેતતદ્રવ્યને આશ્રયીને શુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાય બતાવ્યો. હવે અશુદ્ધવ્યવ્યંજનપર્યાય, શુદ્ધગુણવ્યંજનપર્યાય અને અશુદ્ધગુણવ્યંજનપર્યાય બતાવે છે –
ગાથા :
અશુદ્ધ દ્રવ્યવ્યંજન બહુ, મનુજાદિક ભેદ;
ગુણથી વ્યંજન ઈમ દ્વિધા, કેવલ મઈ ભેદ. શ્રી જિન. ll૧૪/ ગાથાર્થ :
અશુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાય મનુષ્યાદિક બહુ ભેજવાળો છે. ગુણથી વ્યંજન ગુણને આશ્રયીને વ્યંજન, એમ=જે રીતે દ્રવ્યવ્યંજનપર્યાય બે પ્રકારનો છે એ રીતે, બે પ્રકારનો છે.
કઈ રીતે બે પ્રકારનો છે ? તે બતાવે છે -
કેવળ અને મતિના ભેદથી બે પ્રકારનો છે. ll૧૪/૪TI. ટબો :
અશુદ્ધદ્રવ્યભંજનપર્યાય-મનુષ્ય, દેવ, નાટક, તિર્થગાદિ-બહુ ભેદ જાણવા. જે માર્ટિતે દ્રવ્યભેદ પુદ્ગલ સંગજનિત છઈ. ઈમ-શુદ્ધ ગુણવ્યંજન પર્યાય-કેવલજ્ઞાનાદિરૂપ. અશુદ્ધ ગુણવ્યંજનપર્યાય-મતિ જ્ઞાનાદિરૂપ જાણવા. ૧૪/૪lી.