________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૪ | ગાથા-૨-૩
અવતરણિકા :
પૂર્વમાં પર્યાયના બે ભેદો કહ્યા. હવે તે બન્ને પર્યાયોના પણ બે-બે ભેદો બે રીતે છે, તે બતાવવા અર્થે કહે છે
ગાથાઃ
૧૭૨
-
દ્રવ્ય-ગુણઈં બિહું ભેદ તે, વલી શુદ્ધ, અશુદ્ધ;
શુદ્ધ દ્રવ્યવ્યંજન તિહાં, ચેતનનઈં સિદ્ધ. શ્રી જિન૦ ||૧૪/૩/
ગાથાર્થ ઃ
તે=ભંજનપર્યાય અને અર્થપર્યાય-પ્રત્યેક, દ્રવ્ય અને ગુણ ભેદથી બે પ્રકારના ભેદવાળો છે. વળી, શુદ્ધ અને અશુદ્ધના ભેદથી (બે પ્રકારના ભેદવાળો છે.) તિહાં=પર્યાયના આઠ ભેદોમાં, શુદ્ધ દ્રવ્યયંજન (પર્યાય) ચેતનને ચેતનદ્રવ્યનો, સિદ્ધ=સિદ્ધપર્યાય છે. ।।૧૪/૩/I
ટબો ઃ
તે પ્રત્યેકઈં-૨ પ્રકારÜ હુઈ. એક દ્રવ્યપર્યાય, ગુણપર્યાય-ઈમ ભેદથી. તે વલી શુદ્ધ, અશુદ્ધ ભેદથી ૨ પ્રકારે હોઈ. તિહાં-શુદ્ધદ્રવ્ય વ્યંજનપર્યાય કહિઈં, ચેતન-ટ્રનેં સિદ્ધપર્યાય જાણો, કેવલભાવથી. ।।૧૪/૩||
ટબાર્થ :
તે પ્રત્યેકગાથા-૧માં કહેલ તે વ્યંજનપર્યાય અને અર્થપર્યાય-પ્રત્યેક, બે પ્રકારે થાય.
કયા બે પ્રકારે થાય ? તે સ્પષ્ટ કરે છે
—
(૧) દ્રવ્યનો પર્યાય અને (૨) ગુણનો પર્યાય - એમ ભેદથી બે પ્રકારે થાય. તે વળી=અત્યાર સુધી પ્રાપ્ત થયેલા તે ચારે પર્યાયો વળી, શુદ્ધ-અશુદ્ધ ભેદથી બે પ્રકારે થાય. તિહાં=તેમાં=પૂર્વમાં બતાવેલા આઠ પ્રકારના ભેદમાં, શુદ્ધદ્રવ્ય વ્યંજનપર્યાય કહેવાય છે. ચેતનદ્રવ્યને સિદ્ધપર્યાય કેવલભાવથી જાણવો=અન્ય દ્રવ્યના સંયોગ વગરના આત્માના કેવળભાવથી જાણવો. ।।૧૪/૩।।
ભાવાર્થ: :
પૂર્વગાથામાં પદાર્થના વ્યંજનપર્યાય અને અર્થપર્યાય બતાવ્યા. હવે તે પ્રત્યેક દ્રવ્ય અને ગુણના ભેદથી બે પ્રકારે છે અર્થાત્ (૧) દ્રવ્યવ્યંજનપર્યાય અને દ્રવ્યઅર્થપર્યાય, (૨) ગુણવ્યંજનપર્યાય અને (૩) ગુણઅર્થપર્યાય એમ ચાર (૪) ભેદોની પ્રાપ્તિ થાય છે. વળી, તે ચારેય પર્યાયના ભેદો શુદ્ધ અને અશુદ્ધના ભેદથી બે બે પ્રકારે થાય છે, તેથી શુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાય, અશુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાય, શુદ્ધગુણવ્યંજનપર્યાય, અશુદ્ધગુણવ્યંજનપર્યાય, શુદ્ધદ્રવ્યઅર્થપર્યાય, અશુદ્ધદ્રવ્યઅર્થપર્યાય, શુદ્ધગુણઅર્થપર્યાય અને અશુદ્ધગુણઅર્થપર્યાય એમ કુલ