________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૩/ ગાથા-૧૭
૧૫ થાય, જ્યારે અહીં કહ્યું કે અનુપચરિત ભાવ એ ગુણ છે અને ઉપચરિત ભાવ એ પર્યાય છે તેથી સ્થૂળથી એ વચનથી વિરોધ જણાય. વસ્તુત: વિવક્ષાભેદથી બંને વચનોમાં વિરોધ નથી, તે આ રીતે –
ભગવાનની દેશના દ્રવ્યાસ્તિકનયથી અને પર્યાયાસ્તિકનયથી છે. તેથી પદાર્થ દ્રવ્ય અને પર્યાયસ્વરૂપ જ છે પરંતુ પર્યાયથી અતિરિક્ત ગુણ નથી, ફક્ત અન્ય અન્ય વસ્તુથી તે વસ્તુનો ભેદ બતાવવા ગુણનો બોધ આવશ્યક છે. તેથી પર્યાયથી ગુણ પૃથગુ નહીં હોવા છતાં પર્યાયથી ગુણનો પૃથગુ ઉપચાર કરીને ઢાળરમાં ગુણને સ્વીકારેલ છે. જેમ આત્મા દ્રવ્ય છે અને તે આત્મદ્રવ્ય પ્રતિક્ષણ તે તે જ્ઞાનાદિ ભાવરૂપે પરિણમન પામે છે. આ બે વસ્તુથી અન્ય કોઈ જ્ઞાનગુણ નથી; પરંતુ જ્ઞાનની પરિણતિની ધારારૂપ પર્યાયમાં એકપણાનો ઉપચાર કરીને પર્યાયથી પૃથફરૂપે જ્ઞાનગુણ બતાવેલ છે, જેનાથી “જીવનો જ્ઞાનગુણ છે આથી તે જડ કરતાં જુદો છે તેવો બોધ થઈ શકે છે. તેથી તે સ્થાનને આશ્રયીને પર્યાય અને દ્રવ્ય બન્ને વસ્તુ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. પર્યાયના સમુદાયમાં જ ગુણનો ઉપચાર છે તેથી ગુણ ઉપચરિત છે અને પર્યાય અનુપચરિત છે એમ કહેલ છે.
વળી, પ્રસ્તુત ગાથામાં ગુણપર્યાયથી સ્વભાવનો ભેદ નથી તે બતાવવા માટે “આત્મામાં સદા રહેનારો ભાવ તે આત્માનો અનુપચરિત ભાવ છે” લખ્યું અને આ રીતે સર્વત્ર બતાવવા માટે વસ્તુમાં સદા રહેનારા ભાવોને અનુપચરિત ભાવ કહીને ગુણરૂપે કહેલ છે. વળી, વસ્તુમાં પર્યાય પ્રતિક્ષણ પરિવર્તન પામે છે અને તે તે ગુણવાળી વસ્તુમાં પ્રતિક્ષણ પર્યાયાંતર પામનાર ભાવને ગ્રહણ કરીને કહેલ કે ગુણથી યુક્ત એવા દ્રવ્યને આશ્રિત પર્યાય છે. “પર્યાય સતત પ્રાપ્ત થતા નથી માટે વસ્તુનો ઉપચરિત ભાવ છે અને વસ્તુનો ગુણરૂપ ભાવ સદા રહેનારો હોવાથી અનુપચરિત ભાવ છે એ પ્રકારે ભિન્ન વિવક્ષા કરીને ગુણપર્યાયના ભેદોમાં સ્વભાવના ભેદોનો અંતર્ભાવ છે એમ ગ્રંથકારશ્રીએ કહેલું છે, માટે ઢાળ-રના કથન સાથે પ્રસ્તુત ગાથાના કથનનો કોઈ વિરોધ નથી.
વળી, પર્યાયથી ગુણનો ભેદ કરવાથી એક દ્રવ્ય કરતાં અન્ય દ્રવ્યને ગુણના ભેદથી પૃથર્ગ બતાવી શકાય છે, માટે પદાર્થની વિચારણામાં દ્રવ્ય-પર્યાયથી અતિરિક્ત ગુણની વિવક્ષા કરવી ઉચિત છે. જ્યારે ગુણ અને પર્યાય એ બન્નેમાં જ સર્વ પ્રકારના સ્વભાવો અતંર્ભાવ પામતા હોય અને તે સ્વભાવને ભિન્ન બતાવવાથી કોઈ પ્રયોજનની સિદ્ધિ થતી ન હોય ત્યારે ગુણના ભેદો અને પર્યાયના ભેદોથી પૃથક સ્વભાવના ભેદો કહેવાથી કોઈ પ્રયોજનની સિદ્ધિ નથી. માટે ગુણપર્યાયથી ભિન્ન સ્વભાવભેદ કહેવા જોઈએ નહીં એ પ્રકારનો ગ્રંથકારશ્રીનો આશય છે.
વળી, સપ્તભંગીમાં સર્વત્ર પ્રતિપક્ષ બે નયો દ્વારા જ સપ્તભંગી કરાય છે પરંતુ દિગંબરોએ સ્વદ્રવ્યાદિગ્રાહકપણાથી વસ્તુમાં અસ્તિસ્વભાવ છે અને પરદ્રવ્યાદિગ્રાહકપણાથી વસ્તુમાં નાસ્તિસ્વભાવ છે તેમ કહ્યું તે પ્રમાણે ઉભય સ્વભાવવાળો એક જ દ્રવ્યાસ્તિકનય પ્રાપ્ત થાય છે; કેમ કે કોઈક વિવક્ષિત દ્રવ્યમાં અસ્તિસ્વભાવ પણ છે અને નાસ્તિસ્વભાવ પણ છે, તેને આશ્રયીને “સ્યાતું અસ્તિ” અને “સ્માતુ