________________
૧૬૮
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૩, ગાથા-૧૮ | યોજનનું સ્વરૂપ ટબો:
ઈમ, એ સ્વભાવભેદ સહિત ગુણના પ્રકાર કહિયા. હવઈ પર્યાયના ભેદ સાંભલ, સુયશના ભંડાર એહવા શ્રોતા પુરુષ. I૧૩/૧૮ બાર્થ :
આ પ્રમાણે=ઢાળ-૧૨ અને ૧૩માં કહ્યું એ પ્રમાણે, સ્વભાવ ભેદસહિત ગુણના પ્રકાર કહ્યા. હવે સુયશના ભંડાર એવા શ્રોતા પુરુષો પર્યાયના ભેદ સાંભળો. ll૧૩/૧૮ ભાવાર્થ:
જે શ્રોતા પુરુષો ભગવાનના વચનથી અત્યંત ભાવિત મતિવાળા છે, જિનવચનાનુસાર તત્ત્વને સાંભળીને સ્વઅનુભવ અને યુક્તિ અનુસાર તેને જોડવા માટે યત્ન કરનારા છે તથા સમ્યગુ બોધ કરીને તે ભાવોથી આત્માને ભાવિત કરનારા છે તેવા શ્રોતાઓ સુયશના ભંડાર છે. તેવા શ્રોતાઓ સતિની પરંપરા દ્વારા અવશ્ય અલ્પકાળમાં સંસારનો અંત કરશે. વળી, તેવા શ્રોતાઓને ગ્રંથકારશ્રી કહે છે કે અત્યાર સુધી દિગંબર પ્રક્રિયા અનુસાર સ્વભાવભેદ સહિત ગુણના પ્રકારો ગ્રંથકારશ્રીએ સ્પષ્ટ કર્યા અને તેમાં જે વિચારણીય વસ્તુ છે તેનો પણ સ્પષ્ટ બોધ કરાવ્યો, જેના બળથી જિનવચનાનુસાર ગુણના પ્રકારોનો યથાર્થ બોધ શ્રોતાઓએ ર્યો. હવે તે શ્રોતાઓને પર્યાયના ભેદનો બોધ કરાવવા અર્થે કહે છે-હવે પછીની ઢાળમાં તમે પર્યાયના ભેદને સાંભળો જેથી દ્રવ્ય, ગુણ અને પર્યાયનો યથાર્થ બોધ કરીને આત્મકલ્યાણની પ્રાપ્તિ કરી શકો.” II૧૩/૧૮
કે પ્રસ્તુત ઢાળના આત્મકલ્યાણના પ્રયોજન અર્થે યોજનનું સ્વરૂપ -
eી
| દિગંબરો દ્રવ્ય-ગુણ-પર્યાયથી અતિરિક્ત સ્વભાવના ભેદો જે પ્રમાણે કરે છે તે ગ્રંથકારશ્રીએ પૂર્વની ઢાળમાં બતાવ્યા. તે સર્વ સ્વભાવના ભેદોમાંથી કઈ નદૃષ્ટિથી ક્યો સ્વભાવ પ્રાપ્ત થાય છે ? તેનું યોજન પ્રસ્તુત ઢાળમાં કરેલ છે, જેનાથી પદાર્થમાં વર્તતા સ્વભાવને તે તે નયદૃષ્ટિથી જોવાને અનુકૂળ સૂક્ષ્મ બોધ થાય છે અને નયનો સૂક્ષ્મ બોધ ઉચિત સ્થાને ઉચિત રીતે કરવાથી પદાર્થના વાસ્તવિક સ્વરૂપને જોનારી સૂક્ષ્મ પ્રજ્ઞા પ્રવર્તે છે. પદાર્થના વાસ્તવિક સ્વરૂપને જોનારી સૂક્ષ્મ પ્રજ્ઞાથી જ દ્રવ્ય-ગુણ-પર્યાયના સ્વરૂપને જોવા માટે જેમ જેમ સૂક્ષ્મતાથી યત્ન કરાય છે તેમ તેમ દ્રવ્ય-ગુણ-પર્યાયના પરમાર્થને જોવાની ક્ષપકશ્રેણીને અનુકૂળ એવી સૂક્ષ્મ પ્રજ્ઞા પ્રગટ થાય છે. તેથી પ્રસ્તુત ઢાળમાં બતાવેલ સ્વભાવને જોવાની નયદૃષ્ટિ ક્ષપકશ્રેણીના પ્રથમ પાયાને અનુકૂળ જે સૂક્ષ્મ બોધ આવશ્યક છે તેના આવારક કર્મોના ક્ષયોપશમમાં પ્રબળ કારણ છે. અહીં દ્રવ્ય-ગુણ-પર્યાયથી અતિરિક્ત સ્વભાવને દિગંબરો કહે છે તે પરમાર્થથી ગુણપર્યાયમાં જ અંતર્ભાવ પામે છે, તેથી પદાર્થના વિભાગની મર્યાદાના અજ્ઞાનકૃત તેટલી ન્યૂનતા દિગંબરના તે કથનથી