________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨/ ઢાળ-૧૩ | ગાથા-૧૬-૧૭
૧૬૧ ગાથાર્થ -
અસભૂત વ્યવહારનયથી ઉપચરિત સ્વભાવ છે. એ=પ્રસ્તુત ઢાળમાં અત્યાર સુધી વર્ણન કર્યું એ, સ્વભાવમાં નયયોજના મનમાં ધારણ કરીને ભાવન કરો. I૧૩/૧૦
ટબો:
અસદભૂત વ્યવહારનયથી ઉપયરિત સ્વભાવ. એ ભાવ ચિતમાંહિં ધરી સ્વભાવનયયોજના કીજÚ. ll૧૩/૧ ટબાર્થ :
અસદ્ભુત વ્યવહારનયથી ઉપચરિત સ્વભાવ છે. એ ભાવ=અત્યાર સુધી પ્રસ્તુત ઢાળમાં વર્ણન કર્યું એ ભાવને, ચિતમાં ધારણ કરીને સ્વભાવમાં લયયોજના કરવી જોઈએ. ૧૩/૧ઠ્ઠા ભાવાર્થ:
નિશ્ચયનય બે દ્રવ્યોના પરસ્પર સંબંધને સ્વીકારીને દેખાતા સ્વભાવને સ્વભાવરૂપે સ્વીકારતો નથી; પરંતુ વ્યવહારનય બે દ્રવ્યોના પરસ્પર સંબંધથી દેખાતા સ્વભાવને સ્વભાવરૂપે સ્વીકારે છે. વળી, ઉપચરિત સ્વભાવને સદ્ભુત વ્યવહારનય સ્વીકારતો નથી જ્યારે અસભૂત વ્યવહારનય સ્વીકારે છે. આત્મામાં કર્મને કારણે થયેલી અજ્ઞાનતા વ્યવહારનય સ્વીકારે છે પરંતુ તે અજ્ઞાનતા ઉપચરિત નથી; કેમ કે સંસારી જીવમાં પ્રત્યક્ષથી દેખાય છે જ્યારે શરીરમાં રહેલા રૂપને ગ્રહણ કરીને આત્માને મૂર્ત કહેવામાં આવે ત્યારે અસદભૂત વ્યવહારનય પુદ્ગલના મૂર્ત ધર્મનો આત્મામાં ઉપચાર કરે છે.
આ રીતે ઉપચરિત સ્વભાવ કયા નયથી છે ? તે બતાવ્યા પછી આખી ઢાળનું નિગમન કરતાં કહે છે
પ્રસ્તુત ઢાળમાં ગ્રંથકારશ્રીએ સ્વભાવમાં જે નયની યોજના કરી તેને મનમાં ધારણ કરીને તેનાથી આત્માને ભાવિત કરવો જોઈએ, જેથી પદાર્થની વ્યવસ્થામાં નયદૃષ્ટિઓ કઈ રીતે પદાર્થના સ્વરૂપને બતાવે છે? તેને જોનારી નિર્મળ સ્યાદ્વાદની દૃષ્ટિથી જ પદાર્થને જોનારી માર્ગાનુસારી દૃષ્ટિ પ્રવર્તે. વળી, ઉચિત સ્થાને ઉચિત નયને યોજીને જે સમ્યજ્ઞાન થાય છે તે સમ્યજ્ઞાન આત્માને અંતરંગ માર્ગાનુસારી બોધ કરાવીને અવશ્ય વીતરાગતાનું કારણ બને છે, માટે સ્વભાવમાં નયયોજનાની સર્વ દૃષ્ટિઓનું સૂક્ષ્મ બુદ્ધિથી ભાવન કરવું જોઈએ. ૧૩/૧છા અવતરણિકા -
એ દિગંબર પ્રક્રિયા કિહાં કિહાં સ્વસમાઈ પણિ ઉપસ્કૃત કરી છઈ, એહમાંહિં ચિત્ય છઈ, તે દેખાડઈ થઈ –