________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨/ ઢાળ-૧૩/ ગાથા-૧૩
૧૫૭ અવતરણિકા -
હવે એકપ્રદેશ સ્વભાવ કયા નયથી, કોને છે ? તે સ્પષ્ટ કરવા કહે છે – ગાથા :
કાલ-પુદગલાગૃતણો રે, એક પ્રદેશ સ્વભાવ;
પરમનયઈ પરદ્રવ્યનઈ રે, ભેદકલપના અભાવો રે. ચતુ II૧૩/૧૩ ગાથાર્થ :
કાલાણુને અને પગલાણુને પરમનયથી=પરમભાવગ્રાહકનયથી, એકપ્રદેશ સ્વભાવ છે. પરદ્રવ્યને કાલાણુથી અને પરમાણૂથી અન્ય દ્રવ્યને, ભેદકલ્પનાના અભાવવાળા શુદ્ધદ્રવ્યાર્થિકનયથી (એકપ્રદેશ સ્વભાવ છે, એમ અન્વય છે.) II૧૩/૧૩ ટબો:
કાલાણુનઈ તથા પુદગલાણનઈ પરમભાવગ્રાહકનઈં એક પ્રદેશ સ્વભાવ કહિથઈ. પરદ્રવ્યનઈ-એ ૨ ટાલી બીજાં દ્રવ્યનઈ, ભેદકલ્પનારહિત, શુદ્ધદ્રવ્યાર્થિકઈં એક પ્રદેશ
સ્વભાવ કહિ. ll૧૩/૧૩ ટબાર્થ :
કાલાણુને અને પુગલાણને પરમભાવગ્રાહકનયથી એકપ્રદેશ સ્વભાવ કહેવાય. પરદ્રવ્ય=એ બે ટાળીને બીજા ધમસ્તિકાયાદિ અને પગલાસ્તિકાય એ સર્વ દ્રવ્યને, ભેદકલ્પનારહિત એવા શુદ્ધવ્યાર્થિકનયથી એકપ્રદેશ સ્વભાવ કહેવાય. ૧૩/૧૩ ભાવાર્થ :
કાલાણુ વર્તમાન સમયરૂપ છે તેથી એક સમયસ્વરૂપ જ છે, માટે કાલાણુના પરમભાવને જોનારી દૃષ્ટિથી વિચારવામાં આવે તો તેનો પરમભાવ એકપ્રદેશ સ્વભાવ છે; કેમ કે કાલાણુમાં અનંતપ્રદેશો નથી. વળી જગતમાં જે પુદ્ગલો અણુરૂપે વર્તમાનમાં વિદ્યમાન છે તે અણુના પરમભાવને જોનારી દૃષ્ટિથી વિચારીએ તો તે સર્વ પરમાણુઓ પણ એકપ્રદેશાત્મક હોવાથી એકપ્રદેશ સ્વભાવવાળા છે. તે સિવાયના અન્ય સર્વ દ્રવ્યોનો પરભાવગ્રાહકનયની દૃષ્ટિથી વિચાર કરીએ તો એકપ્રદેશ સ્વભાવ કહી શકાય નહીં; કેમ કે તે દ્રવ્યો અનેકપ્રદેશ સ્વભાવવાળા છે
વળી, કાલાણુને અને પુદ્ગલાણુને છોડીને જે સર્વ દ્રવ્યો છે તે સર્વ દ્રવ્યોને અખંડરૂપે સ્વીકારીએ ત્યારે તેના પ્રદેશોના ભેદની કલ્પના થતી નથી, પરંતુ શુદ્ધ દ્રવ્યરૂપે તે અખંડ એક દ્રવ્ય દેખાય છે. તેથી ભેદકલ્પનારહિત શુદ્ધ દ્રવ્યને જોનારી દૃષ્ટિથી એક જીવને આશ્રયીને એકપ્રદેશ સ્વભાવ છે. સર્વ જીવોમાંથી પ્રત્યેક જીવ અખંડ એકદ્રવ્યરૂપ હોવાથી તેમાંથી પ્રત્યેકનો એકપ્રદેશ સ્વભાવ છે. વળી, જે છૂટા