________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૨ | ગાથા-૧૦-૧૧
૧૨૩ જ્ઞાન ઘટમાં છે” એ રીતે ઉપચરે તે ઉપચરિત સ્વભાવ કહેવાય. જો તે ઉપચરિત સ્વભાવ ન માનીએ તો='ઘટમાં મારું જ્ઞાન છે' તેને ઉપચરિત સ્વભાવ ન માનીએ તો, “સ્વ-પરવ્યવસાયિજ્ઞાનવાળો આત્મા” છે એમ કેમ કહી શકાય ? અર્થાત્ કહી શકાય નહીં.
તે માટે જ્ઞાનનો સ્વવિષયત્વ તો અનુપચરિત છે=ઘટતું જ્ઞાન થાય છે ત્યારે તે જ્ઞાન સ્વસંવેદનરૂપ પ્રતીત થાય છે તે સ્વરૂપે તો અનુપચરિત છે, પરંતુ પરવિષયત્વ=ઘટજ્ઞાનના વિષયરૂપ પરવિષયત્વ, તે પરની અપેક્ષાએ પ્રતીયમાનપણે છે અને પરનિરૂપિતસંબંધપણે ઉપચરિત છે=પોતાના આત્માથી પર એવા ઘટ નિરૂપિત સંબંધપણું જ્ઞાનમાં છે તે સંબંધથી ઉપચરિત છે. ૧૨/૧૦|| ભાવાર્થ :
આત્મા બાહ્યપદાર્થવિષયક જ્ઞાન કરે છે ત્યારે તેના જ્ઞાનનો વિષય જેમ બાહ્ય પદાર્થ છે તેમ તે જ્ઞાન પણ તેને સ્વસંવેદિત છે. આથી જ “આ ઘટ છે' તેવો બોધ કરે છે ત્યારે ઘટનું પણ જ્ઞાન પોતાને છે તેવી તેને પ્રતીતિ વર્તે છે અને પુરોવર્તી ઘટ છે તેવી પણ તેને પ્રતીતિ વર્તે છે. આથી જ સ્યાદ્વાદના મતે સ્વપરવ્યવસાયી જ્ઞાનવાળો આત્મા છે. તેથી એ ફલિત થાય કે ઘટના જ્ઞાનકાળમાં ઘટનું જ્ઞાન પોતાને સંવેદન થાય છે તે એક સ્થાનમાં નિર્ધારિત એવો નિયમિત એકસ્વભાવ છે અર્થાત્ આત્મારૂપ એકસ્થાનમાં નિર્ધારણ કરાયેલો એવો નિયમિત એકસ્વભાવ છે. તે વખતે જે બાહ્ય ઘટની પ્રતીતિ થાય છે ત્યાં પોતાનું જ્ઞાન ઘટમાં છે તેવી પ્રતીતિ છે. તેથી ઘટના જ્ઞાનનો વિષય પર છે તે ઘટરૂપ પરની અપેક્ષાએ “આ ઘટ છે એ પ્રકારનું પ્રતીયમાન જ્ઞાન પરની અપેક્ષાએ હોવાથી પરનિરૂપિત સંબંધપણાથી ઉપચરિત છે; કેમ કે તે જ્ઞાન ઘટ સાથે સંબંધિત છે. વસ્તુતઃ તે જ્ઞાન ઘટમાં રહેતું નથી, આત્મામાં રહે છે, તોપણ તે જ્ઞાન ઘટમાં છે તેમ ઉપચાર કરાય છે. ll૧૨/૧ળી અવતરણિકા :
ગાથા-૧૦માં બે સ્વભાવ બતાવ્યા. તેમાંથી પૂર્વગાથામાં બીજો ઉપચરિત સ્વભાવ બતાવ્યો. હવે તે ઉપચરિત સ્વભાવને દષ્ટાંતથી બતાવે છે – ગાથા :
જી હો કર્મ-સહજ બિ ભેદ તે, લાલા મૂર્ત અચેતનભાવ; જી હો પ્રથમ જીવનિ સિદ્ધનઈ, લાલા અપર પરજ્ઞસ્વભાવ.
ચતુo ll૧૨/૧૧ ગાથાર્થ :
તે=ઉપચરિત સ્વભાવ, કર્મ અને સહજ બિ ભેદ=બે ભેદ છે. જીવને સંસારી જીવને, મૂર્ત અને અચેતનભાવ, પ્રથમ કર્મજ ઉપચરિત સ્વભાવ, છે સિદ્ધને અપર સહજ ઉપચરિત સ્વભાવ, છે, તે પરાસ્વભાવ છે. ll૧૨/૧૧