________________
૧88
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨/ ઢાળ-૧૩ | ગાથા-૧-૨ ભાવાર્થ -
દરેક વસ્તુ સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવની અપેક્ષાએ અસ્તિત્વ ધરાવે છે. સ્વદ્રવ્યાદિને જોનાર દ્રવ્યાર્થિકનય પદાર્થમાં અસ્તિસ્વભાવનો બોધ કરાવે છે. અહીં “અસ્તિ' શબ્દથી સત્તાનો બોધ થાય છે, તેથી સત્તાને સ્વીકારનાર દ્રવ્યાર્થિકનયનું ગ્રહણ કરેલ છે. દરેક પદાર્થમાં સત્તા છે માટે તેમાં અસ્તિસ્વભાવ છે પરંતુ તે પદાર્થની સત્તા પોતાના દ્રવ્યરૂપે છે. જેમ જીવની સત્તા પોતાના દ્રવ્યરૂપે છે, અન્ય દ્રવ્યરૂપે નથી; સ્વક્ષેત્રમાં છે, અન્યક્ષેત્રમાં નથી; સ્વકાળમાં છે, અન્યકાળમાં નથી અને પોતાનામાં જે ભાવો વર્તે છે તે ભાવોથી પોતાની સત્તા છે, અન્યભાવથી પોતાની સત્તા નથી.
વળી, દરેક પદાર્થમાં નાસ્તિસ્વભાવ પણ છે. તે નાસ્તિસ્વભાવ પરદ્રવ્યાદિકને ગ્રહણ કરનાર દ્રવ્યાર્થિકનયથી છે. નાસ્તિ કહેતાં સત્તાનો અભાવ પ્રાપ્ત થાય છે પર્યાયનો અભાવ પ્રાપ્ત થતો નથી. તેથી દ્રવ્યાર્થિકનયથી નાસ્તિસ્વભાવનો સ્વીકાર છે દરેક દ્રવ્ય બીજા દ્રવ્યની અપેક્ષાએ નથી. તેવી પ્રતીતિ થાય છે, તેથી પરદ્રવ્યની અપેક્ષાએ નાસ્તિસ્વભાવ પ્રતીત થાય છે. વળી તે દ્રવ્ય પરક્ષેત્રમાં નથી, તેથી પરક્ષેત્રની અપેક્ષાએ નાસ્તિસ્વભાવ પ્રતીત થાય છે. પરના કાળમાં નથી=પોતાના અસ્તિત્વ સિવાયના કાળમાં નથી, તેથી પરકાળની અપેક્ષાએ નાસ્તિસ્વભાવ પ્રતીત થાય છે અને પરના ભાવ સ્વરૂપે નથી તેથી પરના ભાવની અપેક્ષાએ નાસ્તિસ્વભાવ પ્રતીત થાય છે. ll૧૩/ના. અવતરણિકા:
હવે નિત્ય સ્વભાવ અને અનિત્ય સ્વભાવ કથા નયથી છે ? તે બતાવે છે – ગાથા :
ઉત્પાદ-વ્યયગૌણતા રે, સત્તાગ્રાહક નિત્ય
કોઈક પર્યાયાર્થિકઈ રે, જાણો સ્વભાવ અનિત્યો રે. ચતુળ ૧૩/શા ગાથાર્થ -
ઉત્પાદ-વ્યયની ગૌણતા એ સત્તાનો ગ્રાહક સત્તાનો ગ્રાહક દ્રવ્યાથિકનય, નિત્ય-નિત્યસ્વભાવ કહે છે. કોઈક પર્યાયાર્થિકઈ=કોઈક પર્યાયાર્થિકનયથી, અનિત્ય સ્વભાવ જાણો. II૧૩/ચા. બો -
ઉત્પાદબથગીણcઈ સતાગ્રાહક દ્રવ્યાર્થિકનઈં નિત્ય સ્વભાવ કહિૐ ૩. કોઈક પર્યાયાર્થિકનથ ઉત્પાદ, વ્યય, ગ્રાહક હોઈ, તેણઈ કરી અનિત્યસ્વભાવ જાણ. ૪. JI૧૩/૨