________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૩ | ગાયા
* ૧૪૩
ગાથા -
અસદભૂતવ્યવહારથી રે, ચેતન કર્મ, નો-કર્મ
પરમભાવગ્રાહકન ઈ રે, તેહ અચેતન ધર્મો રે. ચતુળ ૧૩/કા ગાથાર્થ :
અસભૂતવ્યવહારથી કર્મ અને નોકર્મ ચેતન છેઃચેતન સ્વભાવ છે, પરમભાવગ્રાહકનયથી તે કર્મ અને નોકર્મ, અચેતન ધર્મ છે. ll૧૩/૬ રબો :
અસદુભૂત વ્યવહારનાથી કર્મ-જ્ઞાનાવરણાદિક, નોકર્મ-મન-વચન-કાયા, પણિ ચેતન કહિઈ, ચેતનસંયોગકૃત પર્યાય તિહાં જઈ, તે માટઈં. ‘ફ શરીરનાવર નાનાતિ' રૂતિવ્યવહારોડ ડવ મતિ, “વૃતં વતિ તિવત્ પરમભાવગ્રાહકનઈં તે-કર્મ, નોકર્મ
અર્ચતન સ્વભાવ કહિઈ, જિમ ધૃત અનુણ સ્વભાવ. ll૧૩/કા ટબાર્થ:
અસભૂત વ્યવહારનયથી જ્ઞાનાવરણીય આદિ રૂપ કર્મ અને મન, વચન, કાયારૂપ નોકર્મ પણ ચેતન કહેવાય છે; કેમ કે ચેતનના સંયોગકૃત પર્યાય તેમાં=કર્મમાં અને નોકર્મમાં, છે, તે માટે ચેતન કહેવાય છે, એમ અવય છે. “‘આ શરીર આવશ્યકને જાણે છે'=પોતાનું શરીર પોતાને માટે આવશ્યકને જાણે છે, ઈત્યાદિ વ્યવહાર આથી જ થાય છે. “ધી બાળે છે' એની જેમ આ વ્યવહાર થાય છે.”
તે કર્મ અને વોકર્મ પરમભાવગ્રાહકનયની દૃષ્ટિથી અચેતન સ્વભાવ કહેવાય. જેમ ઘીનો અનુષ્ણ સ્વભાવ કહેવાય. I૧૩/૬ ભાવાર્થ :
વ્યવહાર જીવ અને કર્મનો અભેદ કરે છે, તેથી તેને બતાવનાર નય વ્યવહારનય છે. કર્મમાં અને નોકર્મમાં જીવના ચેતનસ્વભાવનું આરોપણ અસભૂત છે. તેથી તેને સ્વીકારનાર વ્યવહારનય અસદ્દભૂત વ્યવહારનય છે. તેથી એ પ્રાપ્ત થાય કે વ્યવહારનયથી કર્મના અને નોકર્મના અભેદની પ્રાપ્તિ થાય છે અને અસભૂતને જોનાર દૃષ્ટિથી ચેતન ધર્મનો ત્યાં ઉપચાર થાય છે. તેથી અસદ્ભુત વ્યવહારનયથી જ્ઞાનાવરણીયાદિ કર્મોનો ચેતને સ્વભાવ છે અને મન, વચન, કાયાનો પણ ચેતન સ્વભાવ છે; કેમ કે ચેતનના સંયોગકૃત પર્યાય એમાં પ્રાપ્ત થાય છે. જેમ જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી જીવનું જ્ઞાન આવૃત થાય છે તેમ કંઈક અંશથી જ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી તેમાં ચેતના દેખાય છે. જેમ ચેતનના સંયોગકૃત ક્ષયોપશમભાવવાળો જ્ઞાનઅંશ જ્ઞાનાવરણીયકર્મમાં દેખાય છે તેમ વેદનીયાદિ કર્મોમાં પણ દેખાય છે. આથી શાતાdદનકાળમાં