________________
૧૫૦
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૩ | ગાથા-૧૦
ગાથાર્થઃ
એ ભાવે=અનુગમને વશ ઉપચારનો વ્યવહાર થાય છે એ ભાવે, ‘સમ્મતિ’ ગ્રંથમાં કહ્યું છે. શું કહ્યું છે ? તે બતાવે છે
--
જલ-પય જિમ=પાણી-દૂધની જેમ, નવિ વિભજઈં=જ્યાં સુધી વિભાગ ન કરાય ત્યાં સુધી, અનુગત અર્થ અસેસ છે=જીવ અને પુદ્ગલરૂપ અર્થ પરસ્પર અનુગત છે અર્થાત્ અત્યંત સંબંધ છે.
ક્યાં સુધી અત્યંત સંબંધ છે ? તેથી કહે છે
જ્યાં સુધી અંત્યવિશેષ છે (ત્યાં સુધી અત્યંત સંબંધ છે, એમ અન્વય છે.). ।।૧૩/૧૦/I ટબો ઃ
એ ભાવિ=એ અભિપ્રાયઈં, સમ્મતિગ્રંથમાંહિ કહિઉં છઈં, જે અનુગત=અત્યંત સંબદ્ધ, અશેષ કહિતાં-સર્વ અર્થ, જલ-૫ય જિમ=ખીર-નીર પર્સિ, વિભજિઈ નહીં=પૃથક્ કરિઈં નહી, કિહાંતાંઈ ? અંત્ય વિશેષતાઈ-અંત્ય વિશેષ-શુદ્ધ પુદ્ગલ જીવ લક્ષણઈં વિભજિઈં. યથા
'
“औदारिकादिवर्गणानिष्पन्नाच्छरीरादेर्ज्ञानघनासंख्येयप्रदेश आत्मा भिन्नः” इति । अत्र गाथा
अन्नुन्नाणुगयाणं ‘इमं व तं व' त्ति विभयणमजुत्तं ।
નહ યુદ્ધપાળિયાળું ખાવંત વિસેસપન્નાયા ।।૨.૪૭।। કૃતિ ||૧૩/૧૦||
ટબાર્થ ઃ
એ ભાવથી=એ અભિપ્રાયથી=અનુગમને વશ ઉપચારનો વ્યવહાર થાય છે એ અભિપ્રાયથી, ‘સમ્મતિ’ ગ્રંથમાં કહ્યું છે. જે=જે વસ્તુ, અનુગત=અત્યંત સંબદ્ધ છે, (તે) વસ્તુ અશેષ કહેતાં સર્વ અર્થ પાણી-દૂધની જેમ દૂધ-પાણીની પરિં, વિભજન કરાય નહીં=પૃથક્ કરાય નહીં.
ક્યાં સુધી પૃથક્ કરાય નહીં ? તેથી કહે છે
-
અંત્યવિશેષતા સુધી પૃથક્ કરાય નહીંઅંત્યવિશેષ અર્થાત્ શુદ્ધ પુદ્દગલના અને શુદ્ધ જીવના લક્ષણનો વિભાગ થાય. (ત્યાં સુધી પૃથક્ કરાય નહીં.)
યથા=જે પ્રમાણે –
“ઓવારિવિવર્માળાનિષ્પના∞રીરાવેર્રાનધનાસંધ્યેયપ્રવેશ માત્મા મિન્નઃ”=“ઔારિકાદિ વર્ગણાથી નિષ્પન્ન એવા શરીરાદિથી જ્ઞાનના ઘનસ્વરૂપ અને અસંખ્યપ્રદેશવાળો આત્મા ભિન્ન છે.” ‘કૃતિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે.
અત્ર ગાથા=અહીં ગાથા=‘સમ્મતિ’ની ગાથા આ પ્રમાણે છે
—