________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૩ | ગાથા-૯-૧૦
૧૪૯ અનુસરણ છે=જીવમાં મૂર્તત્વનો આરોપ હોતે છતે આરોપના નિમિત્તનું અનુસરણ છે, ન તુ નિમિત્તમુરુરી ત્યારોપ =પરંતુ લિમિતને આશ્રયીને આરોપ નથી શરીરની સાથે આરોપના નિમિત્ત એવા જીવનો સંબંધ છે તેને આશ્રયીને દેહમાં અમૂર્તત્વનો આરોપ નથી. તિ ચા =એ પ્રકારનો વ્યાય, સત્ર=અહીં-પુદ્ગલનો અમૂર્ત સ્વભાવ નથી એમ સ્વીકારવામાં, ગાશ્રય =આશ્રયણીય છે, રૂક્તિ ભાવ એ પ્રકારનો ભાવ છે. I૧૩/૯ ભાવાર્થ:
અસભૂત વ્યવહારનયથી જીવમાં મૂર્તસ્વભાવ સ્વીકાર્યો તેમ અસભૂત વ્યવહારનયથી જીવ સાથે સંબંધવાળા દેહમાં જીવના અમૂર્તસ્વભાવનો ઉપચાર કરીને પણ શરીરનો અમૂર્તસ્વભાવ કહી શકાય નહીં.
કેમ કહી શકાય નહીં ? તેમાં યુક્તિ બતાવે છે –
અનુગામના વશથી જે ભાવોનો વ્યવહાર થતો હોય તેનો ઉપચાર થઈ શકે. જેમ દેહના અનુગામના વશથી “આ આત્મા રૂપવાળો છે એ પ્રકારનો વ્યવહાર થાય છે, માટે આત્મામાં મૂર્તસ્વભાવનો ઉપચાર થઈ શકે; પરંતુ દેહ સાથે જીવનો સંબંધ હોવા છતાં દેહને જોઈને અરૂપીધર્મનો અનુગમ દેહમાં થતો નથી. તેથી “આ દેહ અરૂપી છે એ પ્રકારના વ્યવહારમાં પ્રત્યક્ષબાધા થાય છે; કેમ કે ચક્ષુઇન્દ્રિયથી ગ્રાહ્ય હોય તેને અરૂપી કહી શકાય નહીં અને ચક્ષુઇન્દ્રિયથી દેહનું સાક્ષાત્ ગ્રહણ થતું હોવાથી દેહમાં આત્માના અમૂર્તસ્વભાવનો અનુગમ થતો નથી, તેથી ‘દેહ અમૂર્ત છે એ પ્રકારનો વ્યવહાર થતો નથી માટે પુદ્ગલનો અમૂર્તસ્વભાવ કહી શકાય નહીં.
વળી, તેમાં યુક્તિ બતાવતાં કહે છે કે આરોપ હોતે છતે નિમિત્તનું અનુસરણ કરાય છે. જેમ જીવમાં આ રૂપાળો છે', “આ કાળો છે” એ પ્રકારનો આરોપ થતો હોવાથી તે આરોપનું અનુસરણ કરાય છે ત્યારે જણાય છે કે “દેહના નિમિત્તે આ જીવ રૂપાળો છે'. તેથી તે પ્રતીતિની સંગતિ કયા નયથી થાય છે ? તેની વિચારણા કરાય છે અને કહેવાય છે કે અસદ્ભુત વ્યવહારનયથી “જીવ રૂપવાળો છે; પરંતુ શરીરની સાથે જીવના સંબંધ માત્રના નિમિત્તને આશ્રયીને શરીરમાં જીવના અરૂપી ધર્મનો આરોપ થતો નથી એ પ્રકારની યુક્તિ પુદ્ગલના અમૂર્તસ્વભાવને નહીં સ્વીકારવા માટે આશ્રય કરવી જોઈએ. ll૧૩/લા અવતરણિકા :
ગાથા-૯ના ઉત્તરાર્ધમાં કહ્યું કે અમને વશ જે ભાવોનો વ્યવહાર થાય તેનો ઉપચાર થાય છે તે વચનને સમ્મતિતક પ્રકરણના વચનથી સ્પષ્ટ કરવા અર્થે કહે છે – ગાથા :
એ ભાવિ “સંમતિ' ભણિઉં રે, અનુગત અર્થ અસેસ; જલ-પય જિમ નવિ વિભાજિઈ રે, યાવત અંત્ય વિસેસો રે.
ચતુo II૧૩/૧ના