________________
૧૪૮
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ / ઢાળ-૧૩ / ગાથા-૯ ગાથાર્થ :
ઉપચારથી પણ પુગલમાં અમૂર્તસ્વભાવ નથી. ઉપચારથી પણ પુદ્ગલમાં અમૂર્તસ્વભાવ કેમ નથી? તેથી કહે છે -
અનુગામના વશથી જે ભાવો=જે ભાવો પ્રતીત થાય, વ્યવહારથી તે ભાવોનો ઉપચાર થાય, (માટે પુદ્ગલમાં અમૂર્તસ્વભાવ નથી એમ અન્વય છે.) II૧૩/૯ll ટબો :
ચેતનસંયોગઈં દેહાદિકનઈં વિષઈં જિમ ચેતનત્વ ઉપચરિઈ છઈ, તિમ અમૂર્તત્વ ઉપયરતા નથી. તે માટિ, અસભૂતવ્યવહારથી પણિ પુદગલનઈ અમૂર્ત સ્વભાવ ના કહિઈં.
“પ્રત્યાદિષઈ અમૂર્તત્વ તિહાં કિમ ન ઉપયરિ?” તે ઉપર કહઈ છઈ –
અનુગમવાિં એક સંબંધ દોષઈ, જેહ સ્વભાવ વ્યવહરિશું તે ઉપચરિઈ, પણિ સર્વ ધર્મનો ઉપચાર ન હોઈ.
तथा च
आरोपे सति निमित्तानुसरणम्, न तु 'निमित्तमरुरीकृत्यारोपः' इति न्यायोऽत्राश्रयणीयः, इति માવડા ૧૩/૯ો. ટબાર્થ :
ચેતનના સંયોગથી દેહાદિકને વિષે જેમ ચેતતત્વનો ઉપચાર છે, તેમ અમૂર્તત્વ ઉપચરતા નથી=દેહમાં અમૂર્તત્વનો ઉપચાર થતો નથી. તે માટે દેહમાં અમૂર્તત્વ ઉપચાર થતો નથી તે માટે, અસભૂતવ્યવહારથી પણ પુદ્ગલને જીવતા સંબંધરૂપ દેહના પુદ્ગલને, અમૂર્તસ્વભાવ ન કહેવાય.
પ્રત્યાસતિના દોષથી'=ગલની સાથે અમૂર્ત એવા જીવતા સંબંધરૂપ દોષથી, ત્યાં=જીવ સાથે સંબંધવાળા દેહમાં, અમૂર્તત્વ કેમ ન ઉપચારાય ? તે ઉપર કહે છે–તે શંકા ઉપર કહે છે –
અનુગામના વશ=એક સંબંધના દોષથી=વસ્તુ સાથે અર્થાત્ શરીર સાથે જીવના એક સંબંધના દોષથી, જે સ્વભાવ વ્યવહાર થાય= જે સ્વભાવ છે એ પ્રકારની લોકવ્યવહારમાં પ્રતીતિ થાય, તે ઉપચરિયે તેનો ઉપચાર થઈ શકે; પણ સર્વ ધર્મનો ઉપચાર ન થાય=અપ્રતીતિના વિષયભૂત ધર્મનો ઉપચાર ન થાય. (આથી દેહમાં અપ્રતીતિના વિષયભૂત અમૂર્તસ્વભાવનો ઉપચાર ન થાય માટે પુદ્ગલનો અમૂર્તસ્વભાવ ન કહેવાય.)
તથા ર=અને તે રીતે =અનુગમતા વશથી જે સ્વભાવનો વ્યવહાર થાય તેનો ઉપચાર થાય પરંતુ અન્ય ધર્મનો ઉપચાર ન થાય તે રીતે, આરોપે સતિ નિમિત્તાનુસરળzઆરોપ હોતે છતે નિમિત્તનું