________________
૧૩૦
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૨ | ગાથા-૧૪ બતાવ્યું. હવે તેનો બોધ કરવા માટે વિશેષથી શું કરવું જોઈએ ? જેથી તે સર્વ સ્વભાવોનો જિતવચનાનુસાર પારમાર્થિક બોધ થાય, તે બતાવવા અર્થે કહે છે –
ગાથા -
જી હો પ્રમાણ-નયનઈં અધિગમ, લાલા જાણી એહ સ્વભાવ; જી હો મુનસવિબુધ જનસંગતિ, લાલા ધરો ચિત્તિ શુભ ભાવ.
ચતુo ll૧૨/૧૪ ગાથાર્થ -
એહ સ્વભાવ=પૂર્વમાં વર્ણન કર્યું એ એકવીસ સ્વભાવ, પ્રમાણનયનઈ અધિગમઈ=પ્રમાણ અને નયના બોધથી, જાણીને સુજસ વિબુધજન=સુંદર યશવાળા એવા પંડિતજન, તેની સંગતિ કરી એકવીસ સ્વભાવની સંગતિ કરી, ચિત્તમાં શુભ ભાવ ધરો. II૧૨/૧૪ll ટબો:
એ ૨૧ સ્વભાવ, પ્રમાણ-નયનઈં અધિગમઈ કહતાં જ્ઞાનઈં જાણીનઈં, સુજસ શોભન અનુયોગ પરિજ્ઞાન-યશવંત, જે વિબુધપંડિત, તેહની સંગતિ કરી, સર્વ શંકા દોષ ટાલી, ચિતમાંહિ શુભ ભાવ ધર. /૧૨/૧૪ ટબાર્થ :
એ એકવીસ સ્વભાવ=ઢાળ-૧૧ની ગાથા-પથી અંત સુધી અને ઢાળ-૧૨માં વર્ણન કર્યું એ એકવીસ સ્વભાવ, પ્રમાણ અને નયના અધિગમ કહેતાં જ્ઞાનથી જાણીને સુજસ=શોભન અનુયોગનું પરિજ્ઞાન-તેના થશવાળા, જે વિબુધ પંડિત છે તેઓએ તેવી-એકવીસ સ્વભાવની, સંગતિ કરી= પ્રમાણમયથી સંગતિ કરી, સર્વ શંકાદોષ ટાળી=સર્વજ્ઞનું વચન, અનુભવ અને યુક્તિ અનુસાર યથાર્થ જાણીને જિતવચનમાં સર્વ શંકાના દોષને ટાળીને, ચિત્તમાં શુભ ભાવ ધરો=ભગવાનનું આ જ વચન તત્વને બતાવનાર છે એ પ્રકારે અનુભવ અને યુક્તિ અનુસાર વિચારીને શુભ ભાવ ધારણ કરો. I/૧૨/૧૪મા ભાવાર્થ -
ઢાળ-૧૧ની પાંચમી ગાથાથી માંડીને અંત સુધી અને ઢાળ-૧૨માં અત્યાર સુધી છ દ્રવ્યોના જે એકવીસ સ્વભાવો બતાવ્યા, તે એકવીસ સ્વભાવોનો પણ બોધ પ્રમાણ અને નયથી કરવો જોઈએ. જેમ, જીવનો ચેતન સ્વભાવ કયો નય કેવા પ્રકારે સ્વીકારે છે ? તેના વિષયમાં દરેક નયનું જુદું જુદું વક્તવ્ય પ્રાપ્ત થાય, તેનો બોધ કરીને અને પ્રમાણથી પણ તેનો બોધ કરીને તે સ્વભાવની સૂક્ષ્મ વિચારણા કરવી જોઈએ.