SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૨ | ગાથા-૧૪ બતાવ્યું. હવે તેનો બોધ કરવા માટે વિશેષથી શું કરવું જોઈએ ? જેથી તે સર્વ સ્વભાવોનો જિતવચનાનુસાર પારમાર્થિક બોધ થાય, તે બતાવવા અર્થે કહે છે – ગાથા - જી હો પ્રમાણ-નયનઈં અધિગમ, લાલા જાણી એહ સ્વભાવ; જી હો મુનસવિબુધ જનસંગતિ, લાલા ધરો ચિત્તિ શુભ ભાવ. ચતુo ll૧૨/૧૪ ગાથાર્થ - એહ સ્વભાવ=પૂર્વમાં વર્ણન કર્યું એ એકવીસ સ્વભાવ, પ્રમાણનયનઈ અધિગમઈ=પ્રમાણ અને નયના બોધથી, જાણીને સુજસ વિબુધજન=સુંદર યશવાળા એવા પંડિતજન, તેની સંગતિ કરી એકવીસ સ્વભાવની સંગતિ કરી, ચિત્તમાં શુભ ભાવ ધરો. II૧૨/૧૪ll ટબો: એ ૨૧ સ્વભાવ, પ્રમાણ-નયનઈં અધિગમઈ કહતાં જ્ઞાનઈં જાણીનઈં, સુજસ શોભન અનુયોગ પરિજ્ઞાન-યશવંત, જે વિબુધપંડિત, તેહની સંગતિ કરી, સર્વ શંકા દોષ ટાલી, ચિતમાંહિ શુભ ભાવ ધર. /૧૨/૧૪ ટબાર્થ : એ એકવીસ સ્વભાવ=ઢાળ-૧૧ની ગાથા-પથી અંત સુધી અને ઢાળ-૧૨માં વર્ણન કર્યું એ એકવીસ સ્વભાવ, પ્રમાણ અને નયના અધિગમ કહેતાં જ્ઞાનથી જાણીને સુજસ=શોભન અનુયોગનું પરિજ્ઞાન-તેના થશવાળા, જે વિબુધ પંડિત છે તેઓએ તેવી-એકવીસ સ્વભાવની, સંગતિ કરી= પ્રમાણમયથી સંગતિ કરી, સર્વ શંકાદોષ ટાળી=સર્વજ્ઞનું વચન, અનુભવ અને યુક્તિ અનુસાર યથાર્થ જાણીને જિતવચનમાં સર્વ શંકાના દોષને ટાળીને, ચિત્તમાં શુભ ભાવ ધરો=ભગવાનનું આ જ વચન તત્વને બતાવનાર છે એ પ્રકારે અનુભવ અને યુક્તિ અનુસાર વિચારીને શુભ ભાવ ધારણ કરો. I/૧૨/૧૪મા ભાવાર્થ - ઢાળ-૧૧ની પાંચમી ગાથાથી માંડીને અંત સુધી અને ઢાળ-૧૨માં અત્યાર સુધી છ દ્રવ્યોના જે એકવીસ સ્વભાવો બતાવ્યા, તે એકવીસ સ્વભાવોનો પણ બોધ પ્રમાણ અને નયથી કરવો જોઈએ. જેમ, જીવનો ચેતન સ્વભાવ કયો નય કેવા પ્રકારે સ્વીકારે છે ? તેના વિષયમાં દરેક નયનું જુદું જુદું વક્તવ્ય પ્રાપ્ત થાય, તેનો બોધ કરીને અને પ્રમાણથી પણ તેનો બોધ કરીને તે સ્વભાવની સૂક્ષ્મ વિચારણા કરવી જોઈએ.
SR No.022386
Book TitleDravya Gun Paryayno Ras Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy