________________
૧૨૨
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૨ ગાથા-૯-૧૦ અહીં વિશેષ એ છે કે, દૂધ અને પાણી મિશ્ર થાય છે ત્યારે દૂધ પાણીરૂપે થતું નથી અને પાણી દૂધરૂપે થતું નથી, તેથી દૂધ-પાણી મિશ્રઅવસ્થામાં પણ સૂક્ષ્મ દૃષ્ટિએ દૂધ પોતાના દૂધસ્વરૂપે જ છે તેમ દેખાય છે. તે રીતે કર્મ સાથે મિશ્રિત એવી સંસારીઅવસ્થામાં જીવ સૂક્ષ્મ દૃષ્ટિએ શુદ્ધ સ્વભાવવાળો જ દેખાય છે. વળી, દૂધ અને પાણી મિશ્ર હોય ત્યારે વ્યવહાર દૃષ્ટિથી દૂધ ચોખ્યું નથી તેમ દેખાય છે તે રીતે, વ્યવહાર દૃષ્ટિથી આત્મા રાગાદિ પરિણતિરૂપ અશુદ્ધસ્વભાવવાળો છે તેમ દેખાય છે. હંસ જેમ દૂધ-પાણીને પૃથફ કરી શકે છે તેમ વિવેકસંપન્ન યોગી પોતાની વિવેકદૃષ્ટિથી આત્માને કર્મથી પૃથક કરે ત્યારે કેવળ શુદ્ધસ્વભાવવાળો આત્મા મુક્ત અવસ્થાને પ્રાપ્ત કરે છે. ll૧૨/વા અવતરણિકા -
હવે જીવનો નિયમિત એકસ્વભાવ અને ઉપચરિત સ્વભાવ બતાવે છે –
ગાથા :
જી હો નિયમિત એક સ્વભાવ જે, લાલા ઉપચરિઈ પરઠાણ; જી હો તે ઉપચરિત સ્વભાવ છઈ, લાલા એ વિણ કિમ પરનાણ?
ચતુo ll૧૨/૧૦ના ગાથાર્થ :
જે નિયમિત=એકસ્થાનમાં નિયમિત, તે એકસ્વભાવ છે. પર સ્થાનમાં ઉપચારીએ તે ઉપચરિત સ્વભાવ છે. એ વગર=ઉપચરિત સ્વભાવ વગર, કિમ પરનાણ?પર એવા ઘટ-પટ આદિનું જ્ઞાન કેમ થાય ? અર્થાત્ થાય નહીં. I/૧૨/૧૦|| ટબો:
નિયમિત એકરસ્થાનિ નિર્દારિઉં જે એક સ્વભાવ, પર સ્થાનકિ ઉપચરિઈ તે ઉપચરિત સ્વભાવ હોઈ. તે ઉપચરિત સ્વભાવ ન માનિઈ, “સ્વ-પરવ્યવસાયિજ્ઞાનવંત આત્મા” કિમ કહિશું? તે માટઇં, જ્ઞાનનઈં સ્વવિષયત્વ, અનુપચરિત છઈ, પણિ પરવિષયત્વ, તે પરાપેક્ષાઈ પ્રતીયમાનપણઈ તથા પરનિરૂપિતસંબંધ પણઈ ઉપચરિત છઈ. ૧૨/૧૦ ટબાર્થ :
નિયમિત એકસ્થાનમાં નિર્ધાર્યુિં તે એકસ્વભાવ છે=ઘટતું જ્ઞાન કરનાર પુરુષ પોતાના આત્મામાં પોતાના જ્ઞાનને જાણે છે તેથી આત્મારૂપ એકસ્થાનમાં ‘મને ઘટતું જ્ઞાન છે એ પ્રમાણે જે નિર્ધાર્યું છે તે નિયમિત એકસ્વભાવ છે. પરસ્થાનકે ઉપચરિયું તે ઉપચરિત સ્વભાવ થાય=ઘટતું જ્ઞાન કરનાર પુરુષ “આત્માથી પર એવા ઘટમાં મારું જ્ઞાન છે" અર્થાત્ ઘટવિષયક જ્ઞાન હોય ત્યારે “મારું