________________
૧૨૦.
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૨ | ગાથા-૯ મુક્તિ ન ઘટઈ. જો અશુદ્ધસ્વભાવ ન માનિઈ, તો કર્મનો લેપ ન ઘટઈ. અત વ“શુદ્ધ સ્વભાવનઈ કદાપિ અશુદ્ધતા ન હોઈ, અશુદ્ધસ્વભાવનઈ પછઈ પણિ શુદ્ધતા ન હોઈ એ વેવાજ્યાદિ મત નિરાકરિઉં. ઉભય સ્વભાવ માનિઈ, કઈ દૂષણ ન હુઈ, તે વતી. ૧૨/૯ ટબાર્થ :
કેવલપણું કહેતાં ઉપાધિના ભાવથી રહિતઃકર્મરૂપ ઉપાધિના કારણભૂત ભાવથી રહિત, અંતરંગ ભાવપરિણત તે શુદ્ધસ્વભાવ છે. ઉપાધિજનિત બહિર્ભાવ કર્મરૂપ ઉપાધિથી જવિત એવો જે બહિર્ભાવ=મનુષ્ય-તિર્યંચ આદિ ભવોમાં તે તે ભાવોની પ્રાપ્તિરૂપ બહિર્ભાવ, તેના પરિણમનની યોગ્યતા એ અશુદ્ધ સ્વભાવ છે.
જો સંસારી આત્મામાં શુદ્ધ સ્વભાવ ન માનીએ તો મુક્તિ ઘટે નહીં. જો સંસારી આત્મામાં અશુદ્ધ સ્વભાવ ન માનીએ તો કર્મનો લેપ ન થાય.
ગત પર્વ આથી જ=જીવમાં શુદ્ધ સ્વભાવ પણ છે અને અશુદ્ધ સ્વભાવ પણ છે આથી જ, શુદ્ધસ્વભાવને ક્યારેય પણ અશુદ્ધતા ન થાય અને અશુદ્ધ સ્વભાવને પાછળથી પણ ક્યારેય શુદ્ધતા ન થાય, એ પ્રકારનો વેદાભ્યાદિનો મત નિરાકરણ કરાયોકએ પ્રકારના વેદાન્તી આદિ મતનું નિરાકરણ કરાયું. ઉભયસ્વભાવ માનીએ તો કોઈ દૂષણ ન થાય=શુદ્ધ સ્વભાવ અને અશુદ્ધ સ્વભાવ - ઉભય સ્વભાવ માનીએ તો કોઈ દૂષણ ન થાય. તે વતી તેના દ્વારા વેદાન્તી મતનું નિરાકરણ કરાયું, એમ અવય છે. ૧૨/૯ો. ભાવાર્થ :- સૂક્ષ્મ બુદ્ધિથી જોવામાં આવે તો સંસારીઅવસ્થાવાળા આત્મામાં કર્મવાળી અવસ્થામાં પણ આત્માનું પોતાના ભાવો સાથે જે તાદાભ્યપણું છે તે નાશ પામ્યું નથી, ફક્ત કર્મની ઉપાધિને કારણે તે શુદ્ધસ્વભાવ તિરોધાન થયેલ છે. જેમ કોઈ વસ્તુ ઉપર અન્ય વસ્ત્રાદિનું આચ્છાદન કરવામાં આવે તો, તે વસ્તુનું સ્વરૂપ તે વસ્ત્રમાં રહેલું જ છે, તેમ કર્મના આવરણને કારણે આત્માનું મૂળભૂત સ્વરૂપ વ્યક્ત થતું નથી તોપણ અંતરંગ ભાવની પરિણતિરૂપ આત્માનું મૂળભૂત સ્વરૂપ આત્મામાં વિદ્યમાન છે. તે બતાવવા માટે ગ્રંથકારશ્રી કહે છે –
કર્મની ઉપાધિના ભાવથી રહિત જીવના અંતરંગ ભાવની પરિણતિ સ્વરૂપ જે કેવલપણું છે આત્માનું પોતાના ભાવની સાથે એકત્વપણું છે, તે શુદ્ધસ્વભાવ છે.
આ રીતે સૂક્ષ્મ અવલોકન કરનાર નિશ્ચયનયની દૃષ્ટિથી આત્માના શુદ્ધ સ્વભાવને બતાવ્યા પછી વ્યવહારનયની દૃષ્ટિથી કર્મની સાથે એકત્વભાવ થવાને કારણે આત્મામાં જે અશુદ્ધ સ્વભાવ દેખાય છે તેનું સ્વરૂપ સ્પષ્ટ કરતાં કહે છે –