________________
૧૧૮
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૨ | ગાથા-૮ એ વિભાવસ્વભાવ માન્યા વિના જીવન, અનિયત કહતાં નાના દેશકાલાદિવિપાકી કર્મ ઉપાધિ ન લાગો જોઈઈ.
“૩ાધિસમ્બન્ધયોયતા ત્તિ વિમાવસ્વમાવઃ ।" ||૧૨/૮ના
ટબાર્થ:
સ્વભાવથી જે અન્યથાભાવ, તે વિભાવસ્વભાવ કહેવાય. તે મહાવ્યાધિરૂપ છે. જીવનો આ વિભાવસ્વભાવ માન્યા વગર અનિયત કહેતાં નાના દેશકાલાદિ વિપાકી એવું કર્મ ઉપાધિ ન લાગો જોઈઈ=જીવને કર્મ ઉપાધિ લાગવી જોઈએ નહીં.
વિભાવસ્વભાવ શું છે ? તે સ્પષ્ટ કરે છે –
‘કપાધિસમ્બન્ધયોયતા ત્તિ વિમાવસ્વમાવઃ=ઉપાધિસંબંધની યોગ્યતા જ વિભાવસ્વભાવ છે=કર્મરૂપ ઉપાધિના સંબંધની યોગ્યતા એ જ જીવનો વિભાવસ્વભાવ છે. ૧૨/૮
ભાવાર્થ:
જીવદ્રવ્યનો જે વાસ્તવિક સ્વભાવ છે તે વાસ્તવિક સ્વભાવથી અન્યથા ભાવ=વિપરીત ભાવ, વિભાવસ્વભાવ કહેવાય, જે મહાવ્યાધિસ્વરૂપ છે.
આશય એ છે કે, જીવદ્રવ્યનો કોઈ અન્ય દ્રવ્ય સાથે સંશ્લેષ પામવાનો સ્વભાવ નથી. તેથી જો જીવદ્રવ્યમાં તે સ્વભાવ વિદ્યમાન હોય તો જીવદ્રવ્ય કોઈની સાથે સંશ્લેષ પામે નહીં; તેમ છતાં અનાદિકાળથી જીવમાં જીવના અસંશ્લેષસ્વભાવથી વિપરીત સંશ્લેષસ્વભાવ વર્તે છે. આ સંશ્લેષસ્વભાવ પણ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગસ્વરૂપ પાંચ ભૂમિકામાં વર્તે છે, જે જીવનો વિભાવસ્વભાવ છે આ વિભાવસ્વભાવ જીવ માટે મહાવ્યાધિરૂપ છે. જેમ સંસારી જીવોના દેહમાં ધાતુના વિપર્યાસને કારણે વ્યાધિ ઉત્પન્ન થાય છે તેમ આત્માની અસંશ્લેષસ્વભાવરૂપ ભાવધાતુ છે, તે મિથ્યાત્વ આદિ પરિણામરૂપે પરિણમન પામે છે તેથી વ્યાધિરૂપ છે, તેના કારણે જ સંસારી જીવો સદા પીડિત છે. માટે શરીરમાં થતી સર્વ વ્યાધિ કરતાં આત્મામાં વર્તતી વિભાવરૂપ પરિણતિ મહાવ્યાધિ છે.
આ રીતે વિભાવસ્વભાવનું સ્વરૂપ સ્પષ્ટ કર્યા પછી આત્માનો વિભાવસ્વભાવ માનવા માટે અનુભવ અનુસાર યુક્તિ બતાવે છે –
જો આત્માનો વિભાવસ્વભાવ ન માનીએ તો જીવમાં અનિયત એવાં કર્મોની ઉપાધિ લાગવી જોઈએ નહીં અર્થાત્ જુદા જુદા દેશ, જુદા જુદા કાળ અને જુદા જુદા ભાવમાં ફળને આપનારી કર્મરૂપ ઉપાધિ લાગવી જોઈએ નહીં; કેમ કે કર્મરૂપ ઉપાધિ સાથે સંબંધની જીવની જે યોગ્યતા છે, તે જ વિભાવસ્વભાવ છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે, સંસારીઅવસ્થામાં જીવને ઔદારિક આદિ શરીર સાથે સંબંધ વર્તે છે અને કાર્મણશ૨ી૨ સાથે સંબંધ વર્તે છે, તેમાં ઔદારિકશરીરના સંબંધનું કારણ કાર્યણશ૨ી૨ છે. કાર્યણશ૨ી૨ સાથે કથંચિત્ એકત્વ ભાવને પામેલ જીવદ્રવ્ય છે, તેથી કર્મ એ જીવનો ઔપાધિક ભાવ છે=આગંતુક ભાવ