________________
૧૧૬
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ / ઢાળ-૧૨ / ગાથા-૭ વૃત્તિમાં, પ્રત્યેકને આશ્રયીને=દેશથી વૃત્તિને આશ્રયીને અને સર્વથી વૃત્તિને આશ્રયી, દૂષણ અખંડ દ્રવ્યમાં અનેક પ્રદેશ સ્વભાવ ન સ્વીકારવામાં આવે તો દૂષણ, સમ્મત્તિવૃત્તિ' કહે છે.
તે પ્રત્યેકમાં દૂષણ સ્પષ્ટ કરે છે –
પરમાણુને આકાશાદિના દેશમાં વૃત્તિ માનવામાં આવે તો આકાશાદિના પ્રદેશ ન ઇચ્છતાં પણ આવે છે=આકાશના પ્રદેશો નથી એમ સ્વીકારવા છતાં આકાશના અનેક પ્રદેશોની પ્રાપ્તિ થાય છે. અને આકાશના પ્રદેશો નથી એમ સ્વીકારવા અર્થે એમ કહેવામાં આવે કે પરમાણુ આકાશાદિના દેશમાં વૃતિ નથી પરંતુ સર્વતો વૃત્તિ છે, તો આવું માનતાં પરમાણુ આકાશાદિપ્રમાણ થઈ જાય.
અહીં પૂર્વપક્ષી કહે કે “આકાશમાં પરમાણુની દેશથી પણ વૃત્તિ નથી અને સર્વથી પણ વૃત્તિ નથી અને આકાશાદિ અખંડ દ્રવ્ય હોવાથી અનેકપ્રદેશ સ્વભાવ નથી, તેના નિરાકરણ અર્થે ગ્રંથકારશ્રી કહે છે –
ઉભયના અભાવમાં આકાશમાં પરમાણુની દેશથી અને સર્વથી વૃત્તિના અભાવમાં, તો પરમાણુનું અવૃત્તિપણું જ પ્રાપ્ત થાય.
કેમ અવૃત્તિપણું પ્રાપ્ત થાય ? તેમાં યુક્તિ કહે છે –
“યાવિશેષામાવયાવદ્ધિશેષના અભાવનું, સામાન્યામાવનિયતત્વા–સામાન્યતા અભાવનું નિયતપણું છે અર્થાત્ દેશવૃત્તિ અને સર્વવૃત્તિરૂપ થાવદ્ધિશેષના અભાવનું વનિસામાન્યના અભાવ સાથે નિયતપણું છે.” રૂ=િઈત્યાદિ=ઈત્યાદિથી અન્ય યુક્તિઓનો સંગ્રહ છે. I૧૨/શા ભાવાર્થ :
આકાશાદિ દ્રવ્યોનો અનેક પ્રદેશ સ્વભાવ છે તે સ્પષ્ટ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે –
એક દ્રવ્યમાં અન્ય દ્રવ્યની વૃત્તિ બે પ્રકારે પ્રાપ્ત થાય છે : દેશથી અથવા સર્વથી. જેમ મોટા કુંડામાં બોર પડેલું હોય તો તે કુંડાના એક દેશમાં બોર વર્તે છે, આખા કુંડામાં બોર વર્તતું નથી, તેથી કુંડાના એક દેશમાં બોરની વૃત્તિ છે. વળી, બીજી વૃત્તિ સર્વથી છે. જેમ બે સમાન વસ્ત્ર હોય, તેમાં એક વસ્ત્ર ઉપર બીજું વસ્ત્ર મૂકવામાં આવે તો નીચેના વસ્ત્ર ઉપર, ઉપરનું વસ્ત્ર સર્વથી વૃત્તિ છે; કેમ કે નીચેના વસ્ત્રના પૂર્ણ ભાગને સ્પર્શીને ઉપરનું વસ્ત્ર રહેલું છે, માટે સર્વથી વૃત્તિ છે. આ રીતે દેશથી અને સર્વથી એક પદાર્થમાં બીજા પદાર્થની વૃત્તિ થઈ શકે તેમ બતાવીને આકાશાદિ દ્રવ્યનો અનેક પ્રદેશ સ્વભાવ ન માનીએ તો દેશથી વૃત્તિને અને સર્વથી વૃત્તિને આશ્રયીને દૂષણની પ્રાપ્તિ છે એમ સમ્મતિતર્કપ્રકરણ'ની ટીકામાં કહ્યું છે.
કઈ રીતે બંને વિકલ્પમાં દૂષણ છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે –
જો પરમાણુને આકાશાદિના એક દેશમાં વૃત્તિ માનવામાં આવે અને આકાશાદિનો અનેક પ્રદેશસ્વભાવ ન સ્વીકારવામાં આવે તો પણ આકાશાદિના અનેક પ્રદેશોની પ્રાપ્તિ થાય છે, કેમ કે આકાશાદિના જો અનેક પ્રદેશો ન હોય તો, પરમાણુ આકાશના એક દેશમાં રહી શકે નહીં, પરંતુ સંપૂર્ણ આકાશને વ્યાપીને રહે પરમાણુ આકાશાદિના એક પ્રદેશમાં રહેલો છે તે અનુભવસિદ્ધ છે. જ્યારે અખંડ એવા આકાશાદિ દ્રવ્યના