________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૨ | ગાથા-૮-૯
૧૧૯
છે. કર્મ જીવને જુદા જુદા દેશ, જુદા જુદા કાળ અને જુદા જુદા ભાવમાં વિપાકને આપીને જાય છે અને જીવમાં વિભાવસ્વભાવ વિદ્યમાન હોવાને કારણે નવું નવું કર્મ બંધાય છે. કર્મરૂપ ઉપાધિ જીવને જે પ્રાપ્ત થઈ છે તેનું કારણ જીવમાં વર્તતો વિભાવસ્વભાવ છે, જે જીવના અસંશ્લેષસ્વભાવથી વિપરીત સંશ્લેષસ્વભાવરૂપ જ છે. આ સંશ્લેષ અતિ ગાઢ વર્તે છે જે મિથ્યાત્વના પરિણામરૂપ છે. આ સંશ્લેષ ઘણો ઓછો થાય છે ત્યારે જીવમાંથી મિથ્યાત્વ જાય છે. તેથી જીવને અવશિષ્ટ રહેલ સંશ્લેષ અસાર જણાય છે તોપણ અવિરતિના પરિણામરૂપે વર્તે છે. વળી, ઘણો સંશ્લેષ ઓછો થાય છે ત્યારે અવિરતિ જાય છે ત્યારબાદ અવશિષ્ટ રહેલ સંશ્લેષ પ્રમાદના પરિણામરૂપ છે. વળી, આ પ્રમાદ આપાદક સંશ્લેષ ઓછો થાય છે ત્યારે પ્રમાદ જાય છે અને જીવ નિર્વિકલ્પદશામાં વર્તે છે. આ વખતે સંશ્લેષ અતિ નષ્ટપ્રાયઃ દશામાં છે, છતાં કોઈક કષાયના પરિણામ સ્વરૂપ તે સંશ્લેષ છે. જ્યારે કષાયનો નાશ થાય છે ત્યારે ભાવથી સંશ્લેષનો પરિણામ જાય છે તોપણ, પુદ્ગલમાં પ્રવૃત્તિરૂપ યોગની પ્રવૃત્તિસ્વરૂપ અત્યંત અલ્પ સંશ્લેષ છે અને યોગનિરોધ કાળે જીવનું વીર્ય સર્વથા સંશ્લેષ વગરનું થાય છે. તેથી કર્મરૂપ ઉપાધિના સંબંધની યોગ્યતા નાશ પામે છે જે વિભાવસ્વભાવના અભાવવાળી જીવની અવસ્થા છે. યોગનિરોધકાળમાં જીવમાં વિભાવસ્વભાવ નહીં હોવાથી કર્મરૂપ કાંઈક ઉપાધિ છે જેથી સંસારીઅવસ્થામાં છે તોપણ કર્મબંધના કારણનો સર્વથા અભાવ હોવાથી અવશિષ્ટ કર્મો નાશ પામે છે ત્યારે જીવ કમરહિત શુદ્ધ આત્મદ્રવ્ય બને છે. II૧૨/૮ અવતરણિકા -
પૂર્વગાથામાં જીવનો વિભાવસ્વભાવ બતાવ્યો. હવે સંસારી જીવમાં જ્યારે વિભાવસ્વભાવ વર્તે છે ત્યારે શુદ્ધ સ્વભાવ પણ વિદ્યમાન છે અને અશુદ્ધ સ્વભાવ પણ વિદ્યમાન છે તે બતાવવા અર્થે કહે છે – ગાથા :
જી હો શુદ્ધભાવ કેવલપણું, લાલા ઉપાધિકજ અશુદ્ધ; જી હો વિણ શુદ્ધતા, ન મુક્તિ છઈ, લાલા લેપ ન, વિગર અશુદ્ધ.
ચતુo I૧૨/લા ગાથાર્થ -
શુદ્ધ સ્વભાવ કેવલપણું છે અને ઉપાધિથી થનારું અશુદ્ધ=મલિનસ્વભાવ છે. શુદ્ધતા વગર સંસારી જીવમાં શુદ્ધતા ન હોય તો, મુક્તિ નથી. અશુદ્ધ સ્વભાવ વગર સંસારીઅવસ્થામાં અશુદ્ધ સ્વભાવ વગર, લેપ નથી કર્મનો લેપ નથી. ll૧ર/ ટબો:
કેવલપણું કo ઉપાધિભાવરહિતાન્તર્ભાવપરિણત, તે શુદ્ધસ્વભાવ. ઉપાધિજનિત બહિર્ભાવપરિણમન યોગ્યતા તે અશુદ્ધ સ્વભાવ છઈ. જે શુદ્ધ સ્વભાવ ન માનિઈ તો