________________
૧૧૩
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૨ / ગાથા-૬ અને અન્ય દેશમાં નિષ્કપતા કેમ થાય, વળી, સકલ આદેશના દેશમાં અણુ સંગતિ પણ કેમ ઘટે?=અખંડ મોટા દ્રવ્યરૂપ સકલ આદેશના એક દેશમાં અણુની સંગતિ પણ કેમ ઘટે? અર્થાત્ અનેકપ્રદેશસ્વભાવ સ્વીકારવાથી ઘટે. ll૧૨/કા. બો -
જે અનેક પ્રદેશ સ્વભાવ દ્રવ્યનઈં ન કહિઈ, તો ઘટાદિક અવયવી દેશથી સકંપ, દેશથી નિષ્કપ દેખિઈ છઈ, તે કિમ મિલઈ?“અવયવ કંપઈં પણિ અવયવી નિષ્ફમ્પ.” ઈમ કહિઈ, તો રત્નતિ એ પ્રયોગ કિમ થાઈ? દેશવૃત્તિકંપનો જિમ પરંપરા સંબંધ છઈ, તિમ દેશવૃતિકંપાભાવનો પણિ પરંપરા સંબંધ છઈ. તે માટેિ, “દેશથી ચલઈ છઈ, દેશથી નથી ચલત.” એ અખ્ખલિત વ્યવહારઈં અનેક પ્રદેશ સ્વભાવ માનવેં.
તથા અનેક પ્રદેશસ્વભાવ ન માનિઈં, તો આકાશાદિદ્રવ્યÉ, અણુસંગતિ કહિતાં પરમાણુસંયોગ, તે કિમ ઘટઈ? I/૧૨/કાઈ ટબાર્થ :
જો અનેક પ્રદેશ સ્વભાવ દ્રવ્યને ન સ્વીકારીએ તો, ઘટાદિક અવયવી દેશથી સકંપ અને દેશથી નિષ્કપ દેખાય છે ઘટાદિ દ્રવ્યનો કોઈક દેશ ઢીલો પડ્યો હોય ત્યારે તે દેશને હલાવવાથી તે દેશ કંપતો દેખાય છે અને અન્ય દેશ લિન્કંપ દેખાય છે, તે કેમ મળે ?=કેમ સંગત થાય ? અર્થાત્ અનેકપ્રદેશસ્વભાવ સ્વીકાર્યા વગર સંગત થાય નહીં. અહીં તૈયાયિક કહે કે “અવયવ કંપે છે=ઘટનો એક અવયવ કંપે છે, પણ અવયવી એવો ઘટ લિન્કંપ છે માટે અનેક પ્રદેશસ્વભાવ ઘટના નથી” તો ગ્રંથકારશ્રી કહે છે – “પતિ આ ઘટ હાલે છે એ પ્રયોગ કેમ થાય ? અર્થાત્ થઈ શકે નહીં, કેમ કે દેશવૃત્તિકંપનો જેમ પરંપરાએ સંબંધ છે=ઘટની સાથે સંબંધ છે, તેમ દેશવૃત્તિકંપાભાવનો પણ પરંપરાએ સંબંધ છે=હાલતા ઘટના અવયવ સાથે સંબંધ છે, તે માટે “દેશથી હાલે છે=ઘડો દેશથી હાલે છે, દેશથી હાલતો નથી” એ અખ્ખલિત વ્યવહારને કારણે અનેક પ્રદેશ સ્વભાવ માનવો=ઘટનો અનેકપ્રદેશસ્વભાવ માનવો.
અને અનેક પ્રદેશ સ્વભાવ ન માનીએ, તો આકાશાદિદ્રવ્યની=આકાશાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને જીવદ્રવ્યની, અણુસંગતિ કહેતાં પરમાણુનો સંયોગ, તે કેમ ઘટે ? અર્થાત્ પરમાણુનો સંયોગ આકાશાદિના એક દેશમાં હોવાથી અને તે જ આકાશાદિ દ્રવ્યના અન્ય દેશોમાં તે પરમાણુનો સંયોગ નહીં હોવાથી આકાશાદિતો અનેક પ્રદેશ સ્વભાવ માનવો જોઈએ. I૧૨/૬
ભાવાર્થ :
દેખાતા ઘટાદિ પદાર્થોમાં અને નહીં દેખાતા આકાશાસ્તિકાયમાં, ધર્માસ્તિકાયમાં, અધર્માસ્તિકાયમાં તથા જીવાસ્તિકાયના પ્રત્યેક આત્મામાં અનેકપ્રદેશસ્વભાવ છે તે બતાવવા અર્થે કહે છે –