________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૦ | ગાથા-૨૦-૨૧
૫૧
આત્મા ચેતના ગુણવાળો છે. આત્મા કોઈ શબ્દથી વાચ્ય નથી માટે અશબ્દ છે; કેમ કે શુદ્ધ આત્માનું સ્વરૂપ કોઈ શબ્દથી બતાવી શકાતું નથી માટે અશબ્દ છે. વળી, કોઈ લિંગથી આત્માનું ગ્રહણ થઈ શકતું નથી તેથી લિંગથી ગ્રહણ ન થાય તેવું આત્માનું સ્વરૂપ છે. વળી, આત્મા અનિર્દિષ્ટ સંસ્થાનવાળો છે. ||૧૦/૨૦
અવતરણિકા :
દસમી ઢાળના કથનનું નિગમન કરતાં કહે છે
ગાથા:
ઈમ એ ભાષ્યા રે સંખેપĚ કરી, દ્રવ્યતણા ખટ ભેદ;
વિસ્તારŪ તે રે જાણી શ્રુતથી, સુનસ લહો ગત ખેદ. સમ૦ ||૧૦/૨૧/
ગાથાર્થ =
ઈમ=આ પ્રમાણે=પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રમાણે, સંખેપઈં=સંક્ષેપથી કરી, આ દ્રવ્યતણા છ ભેદ ભાખ્યા=ગ્રંથકારશ્રીએ કહ્યા. શ્રુતથી વિસ્તારપૂર્વક જાણી, ગતખેદવાળા સુજશને પ્રાપ્ત કરો=પ્રવચનદક્ષતાનો સુયશ પ્રાપ્ત કરો. ૧૦/૨૧૩I
ઢબો ઃ
ઈમ એ દ્રવ્યતણાસંક્ષેપઈં ષટ્ ભેદ ભાષા છઈ. વિસ્તારÖ શ્રુત કહિઈં=સિદ્ધાંત, તેહ થકી જાણીનઈં, ખેદરહિત થકા પ્રવચન દક્ષપણાનો સુયશ ૪૦ સુબ્બલ તે પામ્યું. ||૧૦/૨૧||
ટબાર્થ :
આ પ્રમાણે=પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રમાણે, સંક્ષેપથી દ્રવ્યના આ છ ભેદો ગ્રંથકારશ્રીએ કહ્યા છે. વિસ્તારથી શ્રુત કહેતાં સિદ્ધાંતથી તે ભેદો જાણો.
ખેદરહિત થઈને પ્રવચનદક્ષપણાનો, સુયશ કહેતાં સુબોલ, તેને પામો. ૧૦/૨૧।।
ભાવાર્થ:
દ્રવ્યાનુયોગના પરમાર્થને જાણીને દ્રવ્યાનુયોગથી આત્માને વાસિત કરવા માટે ષટ્દ્રવ્યોની વિચારણા અત્યંત આવશ્યક છે જેનાથી જૈનશાસનના પરમાર્થનો સૂક્ષ્મ બોધ થાય છે. આ બોધ કરાવવા અર્થે ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત ઢાળમાં તે છ દ્રવ્યોના ભેદો સંક્ષેપથી કહ્યા છે. જેના પરમાર્થને જાણીને આત્માર્થી જીવોને ઉદ્દેશીને ગ્રંથકારશ્રી કહે છે કે, છ દ્રવ્યોનો સૂક્ષ્મ બોધ ક૨વા માટે પ્રમાદરૂપ આળસનો ત્યાગ કરીને શાસ્ત્રવચનથી તેના વિસ્તારને તમે જાણો, જેનાથી ખેદરહિત ભગવાનના વચનની દક્ષતાનો સુયશ તમે પામો અર્થાત્ ભગવાનના વચનના પારમાર્થિક બોધને પ્રાપ્ત કરીને તેના દ્વારા આત્માને ભાવિત કરીને શીઘ્ર