________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ / ઢાળ-૧૧ / ગાથા-૧૧
થાય. અને અભવ્ય સ્વભાવ ન માનીએ તો, દ્રવ્યના સંયોગમાં દ્રવ્યાંતરપણું થવું જોઈએ.
કેમ દ્રવ્યાંતરપણું થવું જોઈએ ? તેથી કહે છે –
જે માટે ધમધમદિકને ધમસ્તિકાય-અધમસ્તિકાયાદિકને જીવ-પગલાદિકને એક અવગાહતાવગાઢને કારણે કાર્યનું સંકર-એક ક્ષેત્રમાં રહેલાં દરેક દ્રવ્યોમાં થતાં કાર્યોનું પરસ્પર એકપણારૂપ સંકર, અભવ્ય સ્વભાવને કારણે જ ન થાય=થતું નથી. તે તે દ્રવ્યને–તે તે દ્રવ્યમાં, તે તે કાર્યની હેતુતાનું કલ્પના પણ અભવ્યત્વસ્વભાવગર્ભ જ છે=અભવ્ય સ્વભાવને કારણે જ સંભવ છે. I૯/૧૦
આત્મા આત્માદિ વસ્તુની સ્વવૃનન્તરાર્થનનનp:સ્વવૃત્તિ અનન્તકાર્યના જનનની શક્તિ પોતાનામાં ક્રમસર થતાં અનંતાં કાર્યોને નિષ્પન્ન કરવાની શક્તિ, વ્યતા=ભવ્યતા છે. તત્તત્સદરિસમવધાન ર=અને તે તે સહકારીના સમવધાનથી, તત્તર્યોપથાયતાશp:=તે તે કાર્યની ઉપધાયકતા શક્તિને તે કાર્યને પ્રગટ કરવાની શક્તિ, તથાપવ્યતા તથાભવ્યતા છે, તથાતિયા વિ અતિપ્રસ: તથાભવ્યતાને કારણે જ અનતિપ્રસંગ છે જે વસ્તુમાં જે કાર્ય થતું નથી તે કાર્ય થવાનો અનતિપ્રસંગ છે.” રિ તુ હરિદાવા એ પ્રકારે હરિભદ્રાચાર્ય (કહે છે.) ૯.૧૦. II૧૧/૧૧] ભાવાર્થ -
જગતવર્તી દરેક વસ્તુમાં કોઈક અપેક્ષાએ ભવ્યત્વસ્વભાવ છે અને કોઈક અપેક્ષાએ અભવ્યત્વસ્વભાવ છે, તે સ્પષ્ટ કરે છે. તેમાં કઈ રીતે દરેક વસ્તુમાં ભવ્યત્વસ્વભાવ છે ? તે બતાવતાં કહે છે –
દરેક દ્રવ્ય અવસ્થિત છે અર્થાતુ ક્યારેય પણ તે દ્રવ્ય નાશ પામતું નથી. તે તે દ્રવ્યમાં જે જે પર્યાય પ્રગટ થાય છે તેના પૂર્વે તે તે પર્યાયરૂપે કાર્ય કરવાની શક્તિ વિદ્યમાન છે તેને ભવ્યત્વસ્વભાવ કહેવાય છે. આ ભવ્યત્વસ્વભાવ તે દ્રવ્યમાં ક્રમસર થતા વિશેષ વિશેષ પર્યાયના આવિર્ભાવથી અભિવ્યંજિત થાય છે. જેમ સરાવમાં ગંધ વિદ્યમાન છે અને જળ નાખવાથી તે ગંધ અભિવ્યક્ત થાય છે તેમ દરેક પદાર્થોનો તે તે ભાવરૂપે થવાનો સ્વભાવ વિદ્યમાન છે, તેથી ક્રમસર તે તે ભાવો આવિર્ભાવ પામે છે. તે આવિર્ભાવને જોઈને બોધ થાય છે કે આ દ્રવ્યમાં આ ભાવ થવાની યોગ્યતા છે. જેમ સંસારી જીવ નર-નારકાદિ પર્યાયરૂપે સતત પરિવર્તન પામે છે. તેથી નક્કી થાય છે કે સંસારી જીવોમાં તે પ્રકારે થવાયોગ્ય સ્વભાવ છે. વળી, ત્રણે કાળમાં પરદ્રવ્ય સાથે એક ક્ષેત્રમાં ભેગા થાય તોપણ પરસ્વભાવે પરિવર્તન ન પામે તે અભવ્યસ્વભાવ છે. આથી જ, સંસારી જીવરૂપ દ્રવ્ય કર્મના અને દેહના પુદ્ગલો સાથે એક ક્ષેત્રમાં અણુતણુની જેમ રહેલા હોવા છતાં પુદ્ગલરૂપે પરિવર્તન પામતું નથી અને પુગલરૂપ દ્રવ્ય પણ ચેતનરૂપ બનતું નથી. તેનું કારણ જીવનો પુદ્ગલરૂપે નહીં થવાનો સ્વભાવ છે, પુદ્ગલનો જવરૂપે નહીં થવાનો સ્વભાવ છે જે અભવ્યસ્વભાવ છે.
અભવ્યસ્વભાવને સ્પષ્ટ કરવા અર્થે ઉદાહરણ આપે છે -
ધર્માસ્તિકાયાદિ પાંચે દ્રવ્યો એક જ સ્થાનમાં રહેલાં છે તેથી તેઓના પ્રદેશો અન્યોન્ય પ્રવેશ પામે છે અને દરેક દ્રવ્યો અન્યોન્યને અવકાશ પણ આપે છે. આથી જ, જ્યાં ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો છે તે દ્રવ્યો