________________
દ્રવ્યગણપર્યાયનો રાસ ભાગ-૨/ ઢાળ-૧૧ | ગાથા-૧૨
૧૦૧
ટબો:
સ્વલક્ષણીભૂત પારિણામિકભાવ પ્રધાનતાઈ પરમભાવ સ્વભાવ કહિઈ. જિમ જ્ઞાનસ્વરૂપ આત્મા.
એ પરમભાવ સ્વભાવ ન કહિÉ, તો દ્રવ્યનઈં વિષઈં પ્રસિદ્ધ રૂપ કિમ દીજઈ? અનંતધર્માત્મક વસ્તુનઈ એક ધર્મપુરસ્કાર બલાવિશું, તેહજ પરમભાવનું લક્ષણ. ૧૧.
એ ૧૧ સામાન્ય સ્વભાવ સર્વ દ્રવ્યનઈં ધારવા.
એહવા આગમ અર્થ વિચારીનઈ જગમાંહિ સુરા વિસ્તારો. f/૧૧/૧૨ ટબાર્થ:
સ્વલક્ષણીભૂત પરિણામિકભાવ=દરેક દ્રવ્યના અન્ય દ્રવ્યથી ભિન્ન સ્વરૂપનો બોધ કરાવનાર એવો સ્વલક્ષણીભૂત પારિણામિકભાવ, પ્રધાનતાની અપેક્ષાએ=પદાર્થમાં રહેલા અન્ય ધર્મોથી તે ધર્મની પ્રધાનતાની અપેક્ષાએ, પરમભાવ સ્વભાવ કહેવાય. જેમ જ્ઞાનસ્વરૂપ આત્મા છે.
એ પરમભાવ સ્વભાવ ન કહીએ તો, દ્રવ્યના વિષયમાં પ્રસિદ્ધ એવું સ્વરૂપ કેમ દેવાય ?= અનંતધર્માત્મક વસ્તુને એક ધર્મપૂર્વક કઈ રીતે બોલાવાય? અર્થાત એક ધર્મપૂર્વક બોલાવાય છે, તે જ પરમભાવનું લક્ષણ.
એ ૧૧ સામાન્ય સ્વભાવ સર્વ દ્રવ્યના ધારવા=સર્વ દ્રવ્યતા સ્વીકાર કરવા. આવા આગમનો અર્થ વિચારીને, જગતમાં સુયશનો વિસ્તાર કો=તે અર્થને જાણનારા મહાત્મા સુંદર બોધવાળા છે એ પ્રકારના સુંદર યશનો વિસ્તાર જગતમાં કરો. ૧૧/૧૨ ભાવાર્થ :
ગ્રંથકારશ્રીએ પૂર્વમાં દરેક દ્રવ્યના દસ સ્વભાવોનું વર્ણન કર્યું. હવે સર્વ દ્રવ્યમાં પરમભાવરૂપ પારિણામિકસ્વભાવ છે તે સ્પષ્ટ કરે છે –
પરમભાવ સ્વભાવ એટલે તે તે દ્રવ્યનો સ્વલક્ષણીભૂત પારિણામિકભાવ છે, જેનાથી અન્ય દ્રવ્ય કરતાં તે દ્રવ્યના ભિન્નપણાનો બોધ થાય છે. જેમ આત્મા જ્ઞાનસ્વરૂપ છે, તે આત્માનો સ્વલક્ષણીભૂત પરિણામિકભાવ છે અર્થાત્ આત્માનો દ્રવ્યત્વસ્વભાવ છે, પદાર્થ–સ્વભાવ છે તે પણ આત્માના પરિણામિકભાવો જ છે તોપણ તે આત્માના સ્વલક્ષણભૂત પરિણામિકભાવ નથી; કેમ કે દ્રવ્યત્વસ્વભાવથી કે પદાર્થ–સ્વભાવથી આત્મા અન્ય દ્રવ્ય કરતાં પૃથફ છે તેવી પ્રતીતિ થતી નથી, જ્યારે જ્ઞાન એ આત્માનો સ્વલક્ષણભૂત પારિણામિકસ્વભાવ છે, માટે આત્મામાં જ્ઞાનસ્વરૂપ પરમભાવસ્વભાવ છે. વળી, ધર્માસ્તિકાયમાં જીવપુદ્ગલને ગતિમાં સહાય કરવા સ્વરૂપ પરમભાવસ્વભાવ છે. અધર્માસ્તિકાયમાં જીવ-પુદ્ગલને સ્થિતિમાં સહાય કરવા સ્વરૂપ પરમભાવસ્વભાવ છે. આકાશાસ્તિકાયમાં જીવ-પુદ્ગલને અવગાહનાદાનધર્મરૂપ પરમભાવસ્વભાવ છે અને પુદ્ગલદ્રવ્યમાં પૂરણ-ગલનસ્વરૂપ પરમભાવ સ્વભાવ છે.