________________
૧૦૭
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૨ | ગાથા-૨ માનવું જોઈએ. વળી, ચેતના ઉપર થતા અચેતનતાના વ્યવહારને દૂર કરવા અર્થે જ સર્વ શાસ્ત્રવ્યવહાર છે તેમ માનવું જોઈએ, પરંતુ એકાંત શુદ્ધ નિશ્ચયનયની દૃષ્ટિને ગ્રહણ કરીને ચેતના ઉપર દેખાતા સ્પષ્ટ કર્મના વિકારનો અપલાપ કરવો જોઈએ નહીં.
અહીં એકાંત શુદ્ધ નિશ્ચયનયની દૃષ્ટિવાળો પુરુષ કહે કે, સંસારી જીવો પરમાર્થથી તો શુદ્ધ જ છે, તેથી સિદ્ધસદશ જ છે, માટે સંસારી જીવોમાં સર્વથા ચેતન સ્વભાવ જ છે, ફક્ત એક જ ક્ષેત્રમાં અણુ-તણુની જેમ કર્યદ્રવ્યો રહેલાં હોવાથી પોતે કર્મથી લેપાયેલા છે તેવા ભ્રમને કારણે સંસારી જીવોમાં અજ્ઞાનકૃત અવિદ્યા વર્તે છે. આ અવિદ્યાની નિવૃત્તિ અર્થે જ સર્વ શાસ્ત્રવ્યવહાર છે માટે સંસારી જીવોમાં અચેતન સ્વભાવ સ્વીકારવો એ ઉચિત નથી. તેના નિવારણ માટે ગ્રંથકારશ્રી કહે છે –
જો આત્મા સંસારીઅવસ્થામાં સર્વથા શુદ્ધ જ હોય તો, અવિદ્યાની નિવૃત્તિથી પણ એનો શો ઉપકાર થાય ? અર્થાત્ કોઈ ઉપકાર થાય નહીં અને શુદ્ધ આત્માને જો અવિદ્યાની નિવૃત્તિથી કોઈ ઉપકાર થતો ન હોય તો તે અવિદ્યાની નિવૃત્તિ અર્થે પણ સર્વ શાસ્ત્રવ્યવહાર નિરર્થક છે તેમ જ માનવું પડે. જો આમ સ્વીકારીએ તો સર્વ યોગીઓની યોગમાર્ગની પ્રવૃત્તિ સર્વથા નિરર્થક ચેષ્ટારૂપ સિદ્ધ થાય; કેમ કે જે ચેષ્ટાથી પોતાને કોઈ ફળની પ્રાપ્તિ થતી ન હોય તેવી પ્રવૃત્તિ કોઈ બુદ્ધિમાન પુરુષ કરે નહીં. માટે વિચારકોની યોગપ્રવૃત્તિ જોઈને પણ અવશ્ય માનવું જોઈએ કે સંસારી જીવો સર્વથા શુદ્ધ નથી, તેથી કર્મજનિત ચેતનાનો વિકાર તેઓમાં વર્તે છે. આથી “લવણ વગરની રાબ છે” એવો જે બોધ થાય છે એ રીતે “અચેતન આત્મા છે' એમ પણ કથંચિત્ કહેવું જોઈએ. જેમ રાબમાં મીઠું અલ્પ પ્રમાણમાં કોઈથી નંખાયું હોય ત્યારે રાબ પીનાર પુરુષ કહે કે મીઠા વગરની રાબ છે. તે સ્થાનમાં પ્રમાણોપેત મીઠાથી કંઈક અલ્પ મીઠું છે તેને સામે રાખીને ‘લવણ વગરની રાબ છે એમ કહેવાય છે તેમ સંસારી જીવોમાં સ્પષ્ટ ચેતના હોવા છતાં કર્મના વિકારોને પામે તેવો અચેતન અંશ પણ છે, તે અંશને સામે રાખીને તેમનામાં ચેતનાનો અભાવ છે એમ પણ સ્વીકારવું જોઈએ. - અહીં વિશેષ એ છે કે, કેવળજ્ઞાનની અપેક્ષાએ ચૌદ પૂર્વધર મહાત્મામાં પણ ઘણી અલ્પ ચેતના છે અને ચૌદપૂર્વી સિવાયના સામાન્ય સંસારી જીવોમાં તો અત્યંત અજ્ઞાનતા વર્તે છે, જ્ઞાનઅંશ અત્યંત અલ્પ છે, તે અપેક્ષાએ તે ચેતનાનો અંશ અત્યંત અલ્પ છે, અચેતન અંશ જ અધિક છે, પરંતુ તે પ્રકારની વિવેક્ષાથી અહીં આત્માનો અચેતન સ્વભાવ સ્વીકારેલ નથી. સંસારી જીવોમાં સ્પષ્ટ જ્ઞાનપરિણામ દેખાય છે તે અંશથી તેનો ચેતન સ્વભાવ છે. આ ચેતન સ્વભાવ કર્મબંધનું કારણ નથી, છતાં અચેતન એવા કર્મમલના સંશ્લેષને કારણે ચેતનામાં જે વિકાસ થઈ રહ્યા છે તે વિકારઅંશને સામે રાખીને “અચેતન એવા કર્મનો કંઈક સ્વભાવ ચેતનમાં વર્તે છે તે અર્થને સામે રાખીને “અચેતન આત્મા છે' એમ પણ કથંચિતુ કહેવાય છે. જેમ “મીઠાવાળી પણ રાબ'ને અલ્પ મીઠું હોવાને કારણે “મીઠા વગરની” કહેવાય છે તેમ અલ્પચેતનવાળા આત્માને કથંચિત્ ચેતન વગરનો પણ કહેવાય છે તેથી “અચેતન આત્મા છે' એમ કહેવાય છે. ll૧૨/સા