________________
૧૦૮
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૦ | ગાથા-૩ અવતરણિકા :
પૂર્વમાં આત્મામાં ચેતન સ્વભાવ અને અચેતન સ્વભાવ છે તેમ યુક્તિથી સ્થાપન કર્યું. હવે જીવમાં મૂર્ત સ્વભાવ અને અમૂર્ત સ્વભાવ છે તેનું સ્થાપન કરે છે – ગાથા -. - જી હો મૂર્તભાવ મૂરતિ ધરાઈ, લાલા ઉલટ અમૂર્ત સ્વભાવ;
જી હો મૂર્તતા ન જીવનઈ, લાલા તો સંસાર અભાવ. ચતુo I/૧૨/all ગાથાર્થ :
મૂર્તિને ધારણ કરે તે મૂર્તભાવ. ઉલટ મૂર્તિને ધારણ ન કરે તે, અમૂર્તસ્વભાવ (સંસારી જીવને) છે. જીવને મૂર્તતા ન હોય તો સંસારનો અભાવ પ્રાપ્ત થાય. ll૧૨/3II ટબો : - - મૂર્તિ કo રૂપ, રસ, ગંધ, સ્પર્શાદિ, સર્વિશ તે જેહથી ધરિઈ, તે મૂર્તિ સ્વભાવ, તેહથી વિપરીત તે અમૂર્તસ્વભાવ. જો જીવનઈ કથંચિત મૂર્તતા સ્વભાવ નહીં, તો શરીરાદિ સંબંધ વિના ગત્યન્તરસંક્રમ વિના સંસારનો અભાવ થાઈં. ૧૨/૩ ટબાર્થ :
મૂર્તિ કહેતાં રૂપ, રસ, ગંધ, સ્પશદિ ભાવોનો સન્નિવેશ તે જેનાથી ધારણ થાય તે મૂર્તસ્વભાવ, તેનાથી વિપરીત તે અમૂર્ત સ્વભાવ સંસારી જીવતો છે. જો જીવને કથંચિત મૂર્તતા સ્વભાવ નથી તો શરીરાદિના સંબંધ વગર અને ગત્યતરના સંક્રમ વગર સંસારનો અભાવ થાય, I/૧૨/૩ ભાવાર્થ -
સંસારી જીવો માત્ર આત્મદ્રવ્ય નથી પરંતુ દારિક આદિ દેહ, કાર્મણ દેહ અને તેજસ દેહ સાથે કથંચિત્ એકમેકભાવને પામેલ જેવદ્રવ્ય છે. તેથી સંસારી જીવોનો દેહ રૂપ, રસ, ગંધ, સ્પર્ધાદિયુક્ત પુદ્ગલોના સંનિવેશવાળો છે. આવો સંનિવેશ જીવ જેનાથી ધારણ કરે છે તે મૂર્તસ્વભાવ છે અર્થાત્ આત્મામાં મૂર્તસ્વભાવ વિદ્યમાન હોવાને કારણે રૂપ, રસ, ગંધ, સ્પર્શાદિ સંનિવેશવાળો સંસારી જીવ દેખાય છે.
વળી, રૂપાદિ સંનિવેશના અભાવવાળો જીવનો જે સ્વભાવ છે તે અમૂર્તસ્વભાવ છે. આશય એ છે કે દેહ સાથે આત્માનો કથંચિત્ અભેદ છે, તે અપેક્ષાએ તેમાં મૂર્તસ્વભાવ છે તોપણ, સૂક્ષ્મ દૃષ્ટિથી જોવામાં આવે તો તે દેહ આત્મદ્રવ્ય બનતો નથી, તેથી શરીરાદિ પુલો સાથે અણુ-તણની જેમ મળેલા આત્મપ્રદેશો પોતાના મૂળરૂપે અમૂર્તસ્વભાવે જ વિદ્યમાન છે. આ પ્રકારની સૂક્ષ્મ દૃષ્ટિથી જોવાથી સંસારી જીવમાં અમૂર્તસ્વભાવ દેખાય છે.