________________
૯૫
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૧ | ગાથા-૧૦-૧૧ તે પ્રમાણે વિચારીએ તો દ્રવ્ય એ ગુણરૂપ નથી પરંતુ ગુણ એ દ્રવ્યના અતાવરૂપ છે. વળી, પર્યાય એ દ્રવ્યરૂપ નથી પરંતુ દ્રવ્યના અતર્ભાવરૂપ છે, તેથી દ્રવ્ય, ગુણ અને પર્યાય વચ્ચે અન્યત્વરૂપ ભેદ છે માટે દ્રવ્ય, ગુણ અને પર્યાયનો ભેદસ્વભાવ છે. જો દ્રવ્ય, ગુણ અને પર્યાયનો ભેદસ્વભાવ ન હોય તો ‘દ્રવ્ય જ ગુણ છે', “દ્રવ્ય જ પર્યાય છે' તેમ એકાંત વચન કહેવાનો પ્રસંગ આવે. વસ્તુતઃ “દ્રવ્ય' શબ્દથી ગુણની અને પર્યાયની ઉપસ્થિતિ થતી નથી. “ગુણ' શબ્દથી ગુણની ઉપસ્થિતિ થવા છતાં દ્રવ્યની અને પર્યાયની ઉપસ્થિતિ થતી નથી. પર્યાય’ શબ્દથી પર્યાયની ઉપસ્થિતિ થવા છતાં દ્રવ્યની અને ગુણની ઉપસ્થિતિ થતી નથી. તેથી દ્રવ્ય, ગુણ અને પર્યાય એ ત્રણે વચ્ચે ભેદસ્વભાવ છે. II૧૧/૧ના અવતરણિકા -
વળી, પદાર્થમાં ભવ્ય સ્વભાવ અને અભવ્ય સ્વભાવ છે તે બતાવવા અર્થે કહે છે – ગાથા :
શક્તિ અવસ્થિત નિજ રૂપાન્તર, ભવનિ ભવ્ય રવભાવો જી, સિહું કાલિં મિલતા પરભાવુિં, અભવન અભવ્ય સ્વભાવો જી; શૂન્યભાવ વિણ ભવ્ય સ્વભાવિ, કટ કાર્યનઈ યોગઈ જી,
અભવ્યભાવ વિણ દ્રવ્યાન્તરતા, થાઈ દ્રવ્ય સંયોગઈ જી. II૧૧/૧૧II ગાથાર્થ :
અવસ્થિત એવા દ્રવ્યની નિજ રૂપાન્તર ભવનિ=પોતાના રૂપાંતર થવાની શક્તિ અર્થાત્ યોગ્યતા, તે ભવ્ય સ્વભાવ છે. ત્રિહું કાલિં મિલતા==ણે કાળમાં ભેગા થતા, પરભાવના અભવન= જીવદ્રવ્ય અજીવદ્રવ્યરૂપે ન થાય કે ધર્માસ્તિકાયાદિ દ્રવ્યરૂપે ન થાય તે રૂપ અભવન સ્વભાવ=તે અભવ્ય સ્વભાવ છે.
ભવ્યસ્વભાવ અને અભવ્ય સ્વભાવ એક જ વસ્તુમાં સ્વીકારવાની યુક્તિ બતાવે છે –
ભવ્યસ્વભાવ વગર ખોટા કાર્યના યોગે–દેખાતાં કાર્યો કાલ્પનિક છે એના કારણે, શૂન્યભાવ પ્રાપ્ત થાય=વસ્તુનો અભાવ પ્રાપ્ત થાય. અભવ્ય સ્વભાવ વગર=દરેક વસ્તુમાં અન્ય દ્રવ્યરૂપે થવાના અભવ્યસ્વભાવ વગર, દ્રવ્યાંતરના સંયોગથી દ્રવ્યાંતરતા થાય=તે દ્રવ્ય અન્ય દ્રવ્યરૂપે થાય. II૧૧/૧૧II રબો -
અર્વક કાર્યકરણશક્તિક જે અવસ્થિત દ્રવ્ય છÉ, તેહનઈં ક્રમિક વિષાક્તરાવિર્ભાવઈ અભિવ્યંગ્ય ભવ્ય સ્વભાવ કહિઈં. વિહું કાલિ પર દ્રવ્યમાંહિ ભિલતાં પણિ પરસ્વભાવઈં ન પરિણમવું, તે અભવ્યસ્વભાવ કહિઈં.