________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૧ | ગાથા-૬-૭
અર્થાત્ અસત્તા તુચ્છ છે એમ કહીએ તો, ઘણો વ્યવહાર વિલોપ થાય અર્થાત્ કોઈ પુરુષને જોઈને કહેવામાં આવે કે ‘આ પુરુષ તે નથી=આ પુરુષ દેવદત્ત નથી' એ પ્રકારનો વ્યવહાર સર્વ લોકો સ્વીકારે છે તેનો લોપ થાય અને જો દેવદત્તની અસત્તા તે પુરુષમાં ન હોય તો તે પુરુષને જોઈને કરાયેલો વ્યવહાર અપ્રમાણભૂત છે તેમ માનવું પડે જે અનુભવ વિરુદ્ધ છે, તેથી પ્રામાણિક વ્યવહાર અનુસાર પદાર્થની કલ્પના કરવી જોઈએ. II૧૧/II
અવતરણિકા :
ગાથા-પથી સ્વભાવના ભેદો બતાવવાના શરૂ કર્યા. તેમાં અત્યાર સુધી અસ્તિસ્વભાવ અને નાસ્તિસ્વભાવ પદાર્થમાં છે તે બતાવ્યું. હવે પદાર્થમાં નિત્ય સ્વભાવ અને અનિત્ય સ્વભાવ કઈ રીતે છે ? તે બતાવતાં કહે છે
ગાથા:
-
નિજ નાના પર્યાયઈં “તેહ જ દ્રવ્ય એહ” ઈમ કહિŪ જી, નિત્ય સ્વભાવ અનિત્ય સ્વભાવŪ, ૫જ્જયપરિણતિ લહીĚ જી; છતી વસ્તુનઈં રૂપાંતરથી નાશÛ, દ્વિવિધા ભાસઈં જી, વિશેષનઈં સામાન્યરૂપથી, થૂલત્યંતર નાશŪ જી. ll૧૧/૭ના
600
ગાથાર્થ -
પોતાના જુદા જુદા પર્યાયમાં ‘આ તેહ જ દ્રવ્ય છે’ એમ કહેવાય છે તે નિત્ય સ્વભાવ છે. અનિત્ય સ્વભાવ પર્યાયપરિણતિ લહીએ છીએ તે છે. છતી વસ્તુને રૂપાંતરથી નાશ=કોઈરૂપે વિધમાન વસ્તુનો અન્ય રૂપથી નાશ, થાય છે તેથી દ્વિવિધા ભાસે છે=નિત્ય અને અનિત્ય એમ બે પ્રકારે ભાસે છે. વિશેષમાં સામાન્યરૂપથી=અન્વયરૂપથી, નિત્યતા છે. સ્થૂલ અર્થાતરમાં નાશ અનિત્યતા છે. II૧૧/૭||
ટબો ઃ
નિજ ક૦ આપણા, જે ક્રમભાવી નાના પર્યાય શ્યામત્વ રક્તત્વાદિક, તે ભેદક છઈં, તઈં હુતઈં પણિ “એ દ્રવ્ય તેહ જ, જે, પૂર્વિ અનુભવિઉં હુતું” એ જ્ઞાન, જેહથી થાઈ છઈ, તે નિત્યસ્વભાવ કહિઈં.
“तद्भावाव्ययं नित्यम् ५.३०” इति सूत्रम्, “प्रध्वंसाप्रतियोगित्वं नित्यत्वम्" इत्यस्याप्यत्रैव पर्यवसानम्, केनचिद् रूपेणैव तल्लक्षणव्यवस्थिते: ३.
અનિત્ય સ્વભાવ પર્યાય પરિણતિ લહિઈં. જેણઈં રૂપઈં ઉત્પાદ વ્યય છઈં, તેણઈં અનિત્ય સ્વભાવ છઈ. છતી વસ્તુનઈં રૂપાંતરથી=પર્યાવિશેષથી નાશ છઈ, તેણઈં