________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૧ | ગાથા-૬
૭૫
તુચ્છ માને છે તેના વશથી નથી. જેમ શરાવમાં ગંધ વિદ્યમાન હોવા છતાં પાણીના સ્પર્શ વિના જણાય નહીં એટલા માત્રથી અસત્ય નથી=સરાવમાં ગંધ અવિદ્યમાન નથી. કેટલાક વસ્તુના ગુણ સ્વભાવથી જ જણાય છે અને કેટલાક વસ્તુના ગુણો પ્રતિનિયત ભંજકથી વ્યંગ્ય છે. એ વસ્તુનું વૈચિત્ર્ય છે, પરંતુ એકની તુચ્છતા કહીએ=અસત્તા પ્રતિનિયત વ્યંજકથી વ્યંગ્ય છે માટે તે તુચ્છ છે એમ કહીએ, તો ઘણો વ્યવહાર વિલોપાય=ઘણા વ્યવહારો લોકમાં પ્રતીત છે તે સર્વનો અપલાપ
થાય.
૩૦ ચ અસ્મામિ: ભાષારહસ્યપ્રરત્ને=અને ‘ભાષારહસ્ય પ્રકરણ'માં અમારા વડે કહેવાયું
છે
તે—તે=કેટલાક ભાવો, પરાવેલવા કુંતિ=પરની અપેક્ષાએ થાય છે. વંનયમુસિળો ત્તિ ળ ય તુચ્છા—વ્યંજકમુખને જોનારા છે એથી તુચ્છ નથી જ=પરરૂપ વ્યંજકના મુખને જોઈને તે ભાવોનો બોધ થાય છે તેટલા માત્રથી તે ભાવો શશશૃંગ જેવા તુચ્છ નથી જ. સરાવપૂરધાળું=સરાવની અને કપૂરની ગંધનું, વિટ્ટમિળ વેવિનં=આ પ્રકારે વૈચિત્ર્ય જોવાયું છે. ।।૧।। (ભાષારહસ્ય પ્રકરણ, ગાથા-૩૦)
‘કૃતિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. ।।૧૧/૬/
ભાવાર્થ:
(૧) અસ્તિસ્વભાવના સ્વીકારની યુક્તિ -
દરેક પદાર્થોમાં અસ્તિત્વસ્વભાવ છે તેથી ‘આ પદાર્થ છે' તેવી પ્રતીતિ થાય છે. જો પદાર્થનો અસ્તિત્વસ્વભાવ ન માનીએ તો દરેક પદાર્થમાં અન્ય પદાર્થના ભાવની અપેક્ષાએ નાસ્તિતાની પ્રતીતિ થાય છે તેમ તેના પોતાના સ્વભાવની અપેક્ષાએ પણ નાસ્તિતાની પ્રતીતિ થવી જોઈએ. જો આમ સ્વીકારીએ તો વિદ્યમાન પદાર્થ પરસ્વરૂપે પણ નથી અને સ્વસ્વરૂપે પણ નથી એમ સ્વીકારવા દ્વારા સકલ શૂન્યતાની પ્રાપ્તિ થાય. જેમ શશશૃંગ ઘટ-પટાદિ સ્વરૂપે પણ નથી અને શશશૃંગ સ્વરૂપે પણ નથી માટે સર્વથા અવિદ્યમાન છે તેમ પદાર્થમાં અસ્તિસ્વભાવ ન માનીએ તો પદાર્થ સર્વથા અવિદ્યમાન છે એમ માનવું પડે. વસ્તુતઃ શશશૃંગ સર્વથા અવિદ્યમાન છે જ્યારે દેખાતો પદાર્થ પોતાના અસ્તિત્વસ્વભાવથી પ્રતીત થાય છે. માટે દરેક દ્રવ્યોમાં સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવની અપેક્ષાએ અસ્તિત્વસ્વભાવ સર્વથા છે=કોઈરૂપે પણ નથી એમ નહીં પરંતુ સર્વથા છે, એમ માનવું જોઈએ.
(૨) નાસ્તિસ્વભાવના સ્વીકારની યુક્તિ :
વળી, દરેક પદાર્થો ૫૨દ્રવ્યાદિની અપેક્ષાએ નાસ્તિસ્વભાવવાળા છે. જેમ વિવક્ષિત ઘટ અન્ય ઘટની મૃદ્રવ્યની અપેક્ષાએ નાસ્તિસ્વભાવવાળો છે, વિવક્ષિત ક્ષેત્રમાં હોવા છતાં અન્ય ક્ષેત્રની અપેક્ષાએ નાસ્તિસ્વભાવવાળો છે, વિવક્ષિત કાળમાં હોવા છતાં અન્ય કાળની અપેક્ષાએ નાસ્તિસ્વભાવવાળો છે અને વિવક્ષિત ભાવો યુક્ત હોવા છતાં અન્ય ભાવોની અપેક્ષાએ નાસ્તિસ્વભાવવાળો છે. હવે જો તે ઘટને