________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૧, ગાથા-૯ - તિમ જ તેમ જ, અનેકત્વ વિણ એક એવા આધારદ્રવ્યમાં અનેક સ્વભાવ વિના, વિશેષના અભાવથી, સતા ન ઘટે સામાન્યરૂપ સત્તા ઘટે નહીં. (માટે પદાર્થમાં એક-અનેક સ્વભાવ માનવો જોઈએ.) I/૧૧/ ટબો :
સ્વભાવ જે સહભાવી ધર્મ, તેહનઈ આધારત્વઈ, એકસ્વભાવ જિમ-રૂપ, રસ, ગંધ, સ્પર્શન આધાર ઘટાદિ એક કહિઈં. નાનાધર્માધારત્વઈ એકસ્વભાવતા નાનાક્ષણાનુગતત્વઈ નિત્યસ્વભાવતા એ વિશેષ જાણોં. ૫.
મૃદાદિક દ્રવ્યનો રસ્થાસ, કોશ, કુશૂલાદિક અનેક દ્રવ્ય પ્રવાહ છઈ, તેણઈં અનેક સ્વભાવ પ્રકાશÚ. પર્યાયપણિ આદિષ્ટદ્રવ્ય કરિઈ, તિવારઈ આકાશાદિ દ્રવ્યમાંહિં પણિ ઘટાકાશાદિભેદઈ એ (અર્નકત્વ) સ્વભાવ દુર્લભ નહીં.
એકસ્વભાવ વિના, સામાવ્યાભાવઈ વિશેષ ન પામિઈ. વિશેષાભાવઈ અર્નક સ્વભાવ વિના સત્તા પણિ ન ઘટઈ, તે માર્ટિ એકાનેક ૨. સ્વભાવ માથા ઈઈ. ૬. I/૧૧/૯ી. ટબાર્થ:
સ્વભાવ=જે સહભાવી ધર્મ, તેના આધારસ્વરૂપ એકસ્વભાવ (પદાર્થમાં વિલાસ પામે છે.) જેમ, રૂપ, રસ, ગંધ, સ્પર્શતો આધાર ઘટાદિ એક કહેવાય છે, પદાર્થમાં નાના ધર્મોના આધારત્વથી એક કાળમાં અનેક ધર્મોના આધારત્વથી, એકસ્વભાવતા છે. અનેક ક્ષણોમાં અનુગત એવા દ્રવ્યમાં રહેલી અનુગતતા એ નિત્ય સ્વભાવતા છે. એ વિશેષ જાણવો એ પ્રકારે એકસ્વભાવતા અને નિત્યસ્વભાવતાનો ભેદ જાણવો.
મૃદાદિ દ્રવ્યનો સ્થાસ, કોશ, કુશૂલાદિક અનેક દ્રવ્યોનો પ્રવાહ છે તેને કારણે અનેક સ્વભાવ પ્રકાશે છે–પદાર્થ અનેક સ્વભાવરૂપે જણાય છે.
અહીં પ્રશ્ન થાય કે, મૃદાદિ દ્રવ્યના સ્થાસ, કોશ, કશૂલાદિ પર્યાયો છે તેને દ્રવ્યનો પ્રવાહ કેમ કહી શકાય ? અર્થાત્ પર્યાયનો પ્રવાહ કહી શકાય પરંતુ દ્રવ્યનો પ્રવાહ કહી શકાય નહીં. તેના સમાધાન રૂપે કહે છે –
પર્યાય પણ આદિષ્ટ દ્રવ્ય કરીએ=જેમ જીવદ્રવ્યનો મનુષ્યપર્યાય આદિષ્ટ દ્રવ્ય કરીએ તેમ આકાશદ્રવ્યનો પણ ઘટાકાશ આદિ આદિષ્ટ દ્રવ્ય કરીએ, તે વારે–ત્યારે, આકાશાદિ દ્રવ્યમાં પણ ઘટાકાશાદિ ભેદથી તે સ્વભાવ દુર્લભ નથી=અનેક દ્રવ્યનો પ્રવાહ સ્વીકારવો તે સ્વભાવ દુર્લભ નથી. ૫.
પૂર્વમાં એકસ્વભાવ અને અનેક સ્વભાવ છે તેમ સ્થાપન કર્યું. હવે એક જ પદાર્થમાં એકસ્વભાવ અને અનેક સ્વભાવ પરસ્પર અવિરુદ્ધ સ્વીકારવા તે યુક્તિયુક્ત છે, તે બતાવતાં કહે છે –