________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૧ | ગાથા-૭ અનિત્યતા છે; કેમ કે “પટરૂપે પૃના ”=ાટરૂપે મૃ૬ નાશ પામ્યું, કૃતિ પ્રતીતે =એ પ્રકારની પ્રતીતિ છે. ૧૧/૭ના ભાવાર્થ:(૩) નિત્ય સ્વભાવ :
પદાર્થમાં નિત્ય સ્વભાવ કઈ અપેક્ષાએ છે ? તે દૃષ્ટ અનુભવ અનુસાર બતાવે છે –
જેમ કોઈ એક વસ્તુમાં ક્રમસર જુદા જુદા પર્યાયો થતા હોય તે સર્વ પર્યાયમાં ‘તે જ આ દ્રવ્ય છે એ પ્રકારની પ્રતીતિ થાય છે, એ પ્રતીતિ બતાવે છે કે પદાર્થમાં નિત્ય સ્વભાવ છે. જેમ, કુંભાર શ્યામ ઘટને ભઠ્ઠીમાં તપાવીને રક્તરૂપે કરે છે ત્યારે તે ઘડામાં શ્યામત્વ અને રક્તત્વ પર્યાયો ભેદક હોવા છતાં “આ તે જ ઘડો છે, જે પૂર્વમાં મેં અનુભવેલો એ પ્રકારનું જ્ઞાન થાય છે. તેનાથી એ પ્રાપ્ત થાય છે કે શ્યામત્વ અને રક્તત્વ પર્યાયમાં અનુગત પણ દ્રવ્ય છે, જેમાં નિત્ય સ્વભાવ રહેલો છે.
આ કથનને જ તત્ત્વાર્થ સૂત્રની સંમતિથી બતાવે છે – તત્ત્વાર્થસૂત્રકારશ્રીએ “તદ્માવાશ્રયં નિત્યં’ એ પ્રકારે નિત્યનું લક્ષણ કહ્યું છે. તેથી સ્પષ્ટ થાય છે કે જુદા જુદા ભાવો રૂપે પરિણમન પામતી વસ્તુમાં પણ કોઈક ભાવનો વ્યય થતો નથી; પરંતુ તે ભાવ અવસ્થિત રહે છે તે નિત્ય છે. આવું નિત્યનું લક્ષણ કરેલું હોવાથી ‘અપ્રગ્યુત સ્થિર એકસ્વભાવવાળું નિત્ય” એ પ્રકારનું નિયાયિકનું લક્ષણ સંગત નથી તેમ ફલિત થાય છે; કેમ કે ક્રમભાવી જુદા જુદા પર્યાયોમાં અનુગત ભાવ જ નિત્ય છે પરંતુ ક્યારેય નાશ ન પામતું હોય કે ક્યારેય ઉત્પન્ન ન થતું હોય એવું નિત્ય જગતમાં ક્યાંય નથી, કેવળ કલ્પનાથી જ તેની ઉપસ્થિતિ થાય છે. આથી જ તૈયાયિક “અપ્રચુત અનુત્પન્ન સ્થિર એકસ્વભાવવાળું નિત્ય છે એમ કહ્યા પછી નિત્યનું લક્ષણ કરે છે કે “જે પ્રધ્વસનું અપ્રતિયોગી હોય તેમાં રહેલું પ્રધ્વંસઅપ્રતિયોગિત્વ નિત્યત્વ છે. તેના વચનાનુસાર એ પ્રાપ્ત થાય છે, જે વસ્તુનો ક્યારેય નાશ થવાનો ન હોય તે પ્રધ્વંસનો અપ્રતિયોગી છે અને જેનો નાશ થાય છે તે પ્રધ્વસનો પ્રતિયોગી છે. જેમ આકાશનો ક્યારેય નાશ થવાનો નથી માટે આકાશ પ્રધ્વંસનો અપ્રતિયોગી છે અને ઘટાદિનો નાશ થાય છે માટે ઘટાદિ પ્રધ્વસનો પ્રતિયોગી છે. પ્રધ્વસના અપ્રતિયોગી એવા આકાશમાં પ્રધ્વસનું અપ્રતિયોગિત્વરૂપ નિત્યત્વ છે એમ જે નૈયાયિક કહે છે તે લક્ષણ પણ તત્ત્વાર્થકારશ્રીના નિત્યના લક્ષણમાં પર્યવસાન પામે છે, પરંતુ તૈયાયિકના નિત્યના લક્ષણમાં પર્યવસાન પામતું નથી; કેમ કે દરેક પદાર્થોમાં પ્રધ્વસનું અપ્રતિયોગિત્વ કોઈક સ્વરૂપે જ રહેલું છે, સર્વ સ્વરૂપે રહેલું નથી. આથી જ આકાશ પણ સર્વથા નિત્ય નથી, પરંતુ આકાશમાં વર્તતા ક્રમભાવી પર્યાયોમાં આકાશરૂપે જે આકાશનો અવ્યય છે તે સ્વરૂપે જ આકાશ નિત્ય છે; પરંતુ કોઈ સ્વરૂપે પરાવર્તન ન જ પામતું હોય તેવું નિત્યપણું આકાશમાં પણ નથી. (૪) અનિત્ય સ્વભાવ :
વળી, દરેક પદાર્થમાં પર્યાયની પરિણતિથી અનિત્ય સ્વભાવ પ્રાપ્ત થાય છે, પરંતુ દ્રવ્યની પરિણતિથી અનિત્ય સ્વભાવ પ્રાપ્ત થતો નથી.