________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૧ | ગાથા-૪-૫ જીવોમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય દેખાય છે. આ જ્ઞાન, દર્શનાદિ ગુણો ક્ષયોપશમભાવરૂપ હોવાથી જીવના વિભાવરૂપ લક્ષણ છે જ્યારે સિદ્ધ અવસ્થામાં ક્ષાયિકભાવનું વીર્ય ક્ષાયિકભાવરૂપે વર્તે છે તે સ્વભાવરૂપ લક્ષણ છે, તે બન્ને અવિનાભાવિરૂપે જીવમાં રહેનારા છે તે બતાવવા માટે આ પ્રકારે જીવનાં લક્ષણો બતાવ્યાં છે. તેથી બોધ થાય કે, સંસારી જીવોને જે જ્ઞાન, દર્શનાદિ ભાવો ઉપલબ્ધ થઈ રહ્યા છે, તે વિભાવસ્વરૂપ છે અને તે જ ભાવો સિદ્ધ અવસ્થામાં ક્ષાયિકરૂપે સ્વભાવસ્વરૂપ થશે.
9.
વળી, પુદ્ગલમાં પણ દરેક પુદ્ગલમાં વર્ણ, ૨સ, ગંધ, સ્પર્શ સ્વભાવરૂપે રહેલા છે; કેમ કે દરેક પરમાણુમાં આ ચાર ભાવો સદા વર્તે છે અને તે પુદ્ગલોમાંથી કંધો બને છે ત્યારે સ્કંધ અવસ્થામાં તે પુદ્ગલોના શબ્દ, અંધકાર આદિ ભાવોની પ્રાપ્તિ થાય છે, જે ભાવો પરમાણુમાં નથી તેથી તે ભાવો વિભાવરૂપ છે જ્યારે પુદ્ગલમાં રહેલા વર્ણ, ગંધાદિ સ્વભાવરૂપ ગુણો છે. વળી, તે બન્ને=સ્વભાવગુણો અને વિભાવગુણો, પરસ્પર અવિનાભાવી રહેનારા છે; કેમ કે જ્યારે કંધોમાં શબ્દ, અંધકાર આદિ ભાવો થાય છે, ત્યારે સ્વભાવભૂત વર્ણાદિ ભાવો પણ અવશ્ય રહે છે અને જ્યારે પરમાણુઓ છુટા પડે છે ત્યારે શબ્દાદિ ભાવો નહીં હોવા છતાં તે પરમાણુ જ્યારે ધરૂપ થશે ત્યારે ફરી તે શબ્દાદિ ભાવો થશે. તેથી પુદ્ગલમાં શબ્દાદિ ભાવો વિભાવરૂપ હોવા છતાં પુદ્ગલના રૂપાદિ સ્વભાવભૂત ભાવો સાથે પરસ્પર અવિનાભાવીરૂપે રહેલા છે તે બતાવવા માટે જીવનું અને પુદ્ગલનું એક એક લક્ષણ ગ્રહણ ન કરતાં, ‘નવતત્ત્વ પ્રકરણ’ની ગાંથામાં અનેક લક્ષણો બતાવ્યાં છે, જ્યારે દિગંબરોએ દસ સામાન્યગુણો અને જીવપુદ્ગલના ચાર-ચાર વિશેષગુણો બતાવ્યા, તે સ્થાનમાં ‘નવતત્ત્વ પ્રકરણ’ગ્રંથની જેમ વિવક્ષા નહીં હોવાથી તે વિભાગ ઉચિત નથી છતાં સ્કૂલ વ્યવહારથી તે સ્વીકારવામાં કોઈ વિરોધ નથી એ પ્રકારનો ગ્રંથકારશ્રીનો આશય છે. II૧૧/૪
અવતરણિકા :
પૂર્વમાં દિગંબર મતાનુસાર સામાન્યગુણો અને વિશેષગુણો કયા કયા છે ? તે બતાવ્યા અને તે વિષયમાં સ્યાદ્વાદની મર્યાદા અનુસાર શું સ્વીકારવું ઉચિત છે ? તે ગ્રંથકારશ્રીએ ગાથા-૪માં કહ્યું.
હવે સામાન્યગુણને અને વિશેષગુણને કહ્યા પછી દિગંબરો સ્વભાવના ભેદો બતાવે છે એ બતાવતા પૂર્વે ગુણથી સ્વભાવને કઈ રીતે જુદા કહી શકાય ? તેની સ્પષ્ટતા કરે છે
-
ગાથા:
ધર્મ અપેક્ષાઈ ઈહાં અલગા, સ્વભાવ ગુણથી ભાખ્યાં જી, નિજ નિજ રૂપમુખ્યતા લેઈ, ગુણ સ્વભાવ કરી દાખ્યા જી; અસ્તિસ્વભાવ તિહાં નિજ રૂપÛ, ભાવરૂપતા દેખો જી,
પર અભાવ પરિનિજ ભાવğ, પણિ અરથ અનુભવી લેખો જી. II૧૧/૫/