________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૧ | ગાથા-૫
ગાથાર્થ :
અહીં દિગંબરના ગ્રંથોમાં, ધર્મની અપેક્ષાએ ગુણથી સ્વભાવ અલગા ભાખ્યા છે. પોતપોતાના રૂપની મુખ્યતા લઈને સ્વભાવ ગુણ કરીને દેખાડ્યા છે. ત્યાં સ્વભાવના વિષયમાં, અસિસ્વભાવમાં નિજ રૂપથી ભાવરૂપતા જુઓ. પરના અભાવની જેમ નિજના ભાવ પણ અર્થના અનુભવથી લેખોજી=સ્વીકારોજી. II૧૧/પII
રબો :
અનુવૃત્તિ-વ્યાવૃત્તિ સંબંધઈ ધર્મમાત્રની વિવક્ષા કરીનઈ ઈહાં સ્વભાવ ગુણથી અલગા પંડિર્ત ભાષા, નિજ નિજ ક આપ-આપણા રૂપની મુખ્યતા લેઈ. અનુવૃતિ સંબંધ માત્ર અનુસરીનઈં સ્વભાવ છઈ, તે જ ગુણ કરી દાખ્યા–દેખાડ્યા.
તે માટિ ગુણવિભાગ કહીનઈ, સ્વભાવવિભાગ કહિઈ છઈ– તિહાં પ્રથમ અસ્તિસ્વભાવ તે નિજરૂપઈં=સ્વ-દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવસ્વરૂપઈ, ભાવરૂપતા દેખો. જિમ પર અભાવઈં નાસ્તિત્વસ્વભાવ અનુભવિ છૐ, તિમ નિજભાવઈ અંસ્તિત્વસ્વભાવ પણિ અનુભવિઈ કઈં; તે માટિ અસ્તિસ્વભાવ લેખઈં છd. /૧૧/પા. ટબાર્થ -
અનુવૃત્તિ-વ્યાવૃત્તિ સંબંધથી ધર્મમાત્રની વિવક્ષા કરીને પદાર્થમાં વર્તતા ધર્મમાત્રની વિરક્ષા કરીને, અહીં=દિગંબર મતાનુસાર, સ્વભાવને ગુણથી અલગા=જુદા, પંડિતે ભાગા=પ્રસ્તુત ગ્રંથમાં ગ્રંથકારશ્રીએ કહ્યા છે.
નિજ નિજ કહેતાં પોતપોતાના રૂપની મુખ્યતા લઈને અતુવૃત્તિ સંબંધમાત્રને અનુસરીને=પદાર્થમાં વર્તતા અનુવૃત્તિધર્મને અનુસરીને, સ્વભાવ છે તે જ ગુણ કરીને દેખાડ્યા છે.
તે માટે–પરમાર્થથી ગુણ અને સ્વભાવનો ભેદ નહીં હોવા છતાં વિવક્ષાથી ગુણથી સ્વભાવનો ભેદ છે તે માટે, ગુણવિભાગ કહીને હવે સ્વભાવવિભાગ કહીએ છીએ.
ત્યાં=સ્વભાવવિભાગમાં, ‘અસ્તિ'સ્વભાવ તે છે, જે નિજરૂપથી અર્થાત્ સ્વદ્રવ્ય-સ્વક્ષેત્ર-સ્વકાલસ્વભાવ સ્વરૂપે ભાવરૂપ છે તે જુઓ=પદાર્થમાં વર્તતી ભાવરૂપતા છે તે “અસ્તિત્વ સ્વભાવ જુઓ, જેમ પરના અભાવથી=પરસ્વરૂપના અભાવથી, પદાર્થમાં નાસ્તિત્વ સ્વભાવ અનુભવીએ છીએ તેમ નિજ ભાવથી “અસ્તિત્વ સ્વભાવ પણ અનુભવીએ છીએ, તે માટે–તેથી, અસ્તિત્વસ્વભાવ લેખાઈ છઈ=અસ્તિત્વસ્વભાવ પણ ઉચિત છે. II૧૧/૫
અસ્તિસ્વભાવ અસ્તિ એ પ્રકારનો સ્વભાવ, અસ્તિત્વસ્વભાવ અસ્તિત્વરૂપ સ્વભાવ, તેથી અર્થભેદ નથી.