________________
ઉ૮
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૧, ગાથા-૪ નાનું જ વંસમાં વેવ, ચરિત્ત તવો તદા વીરિયં ૩વો =જ્ઞાન અને દર્શન અને ચરિત્ર અને તપ અને વીર્ય અને ઉપયોગ, ઈર્ષ નીવર્સ નવ એ જીવનું લક્ષણ છે. ll૧૫ (નવતત્વ પ્રકરણ, ગાથા-૫)
ધયાર૩ોડા=શબ્દ-અંધકાર-ઉદ્યોત, 1 ઘા છાતવે ફ્રિ અને પ્રભા-છાયા-આતપ (દિ' પાદપૂર્તિ અર્થે છે) વળriધરસ/સા=વર્ણ-રસ-ગંધ-સ્પર્શ, અજ્ઞાળ તુ નવુ એ પુદ્ગલોનું લક્ષણ છે. રા(નવતત્વ પ્રકરણ, ગાથા-૧૨)
રૂતિ તુ ઇત્યાદિ વળી, સ્વમાવવિભાવનક્ષયોઃ=સ્વભાવવિભાવ લક્ષણનું, ગોચનાન્તરીયત્વપ્રતિપાદિના=અન્યોન્ય તાતરીકપણાના પ્રતિપાદન માટે છે. ફુચા િષિૉર્વિવારથ=ઈત્યાદિ પંડિતો વડે વિચારવાયોગ્ય છે. ll૧૧/૪ ભાવાર્થ
ચેતનત્વ ગુણ સર્વ ચેતન દ્રવ્યમાં અનુગત વ્યવહાર કરાવે છે, અચેતનત્વ ગુણ સર્વ અચેતનદ્રવ્યમાં અનુગત વ્યવહાર કરાવે છે, મૂર્તત્વગુણ સર્વ મૂર્તદ્રવ્યમાં અનુગત વ્યવહાર કરાવે છે અને અમૂર્તત્વગુણ સર્વ અમૂર્તદ્રવ્યમાં અનુગત વ્યવહાર કરાવે છે તે દૃષ્ટિથી તે સામાન્યગુણ કહેવાય; કેમ કે અનુગત બુદ્ધિનું જે કારણ છે તે સામાન્ય છે. વળી, આ ચેતનત્વ આદિ ચાર ગુણો પરજાતિની અપેક્ષાએ સ્વઆશ્રયની વ્યાવૃત્તિ કરાવે છે તેથી ચેતનત્વ ગુણ અચેતન દ્રવ્યથી ચેતન દ્રવ્યની વ્યાવૃત્તિ કરાવે છે અર્થાત્ ભેદનો બોધ કરાવે છે માટે તે દૃષ્ટિથી ચેતનત્વ વિશેષગુણ છે અને અચેતનત્વ ગુણ ચેતન દ્રવ્યથી અચેતન દ્રવ્યની વ્યાવૃત્તિ કરાવે છે માટે તે દૃષ્ટિથી અચેતનત્વ વિશેષગુણ છે. વળી, મૂર્તત્વગુણ અમૂર્તદ્રવ્યથી મૂર્તદ્રવ્યની વ્યાવૃત્તિ કરાવે છે માટે તે દૃષ્ટિથી મૂર્તિત્વ વિશેષગુણ છે અને અમૂર્તત્વગુણ મૂર્તદ્રવ્યથી અમૂર્તદ્રવ્યની વ્યાવૃત્તિ કરાવે છે માટે તે દૃષ્ટિથી અમૂર્તત્વ વિશેષગુણ છે. આ કથનને દૃષ્ટાંતથી સ્પષ્ટ કરે છે –
જેમ પર-અપર સામાન્ય કોઈક અપેક્ષાએ સામાન્ય હોય છે, કોઈક અપેક્ષાએ વિશેષ હોય છે તે રીતે ચેતનતાદિ ચાર કોઈક અપેક્ષાએ સામાન્યગુણ છે અને કોઈક અપેક્ષાએ વિશેષગુણ છે. જેમ મૃત્ત્વ જાતિ પુદ્ગલત્વ જાતિની અપેક્ષાએ અપરસામાન્ય છે અને ઘટત્વ જાતિની અપેક્ષાએ પરસામાન્ય છે, તેથી પરસામાન્યની અપેક્ષાએ સામાન્ય કહેવાય અને અપરસામાન્યની અપેક્ષાએ વિશેષ કહેવાય. આ રીતે બધા ચેતનમાં વર્તતી ચેતનવજાતિને પણ સામાન્યરૂપે ગ્રહણ કરીને સામાન્યગુણ પણ કહેલ છે અને વિશેષરૂપે ગ્રહણ કરીને વિશેષગુણ પણ કહેલ છે.
વળી, દિગંબરો આત્માના જ્ઞાન, દર્શન, સુખ અને વીર્યરૂપ ચાર વિશેષગુણો સ્વીકારે છે અને પુદ્ગલના સ્પર્શ, રસ, ગંધ, વર્ણરૂપ ચાર વિશેષગુણો સ્વીકારે છે તે કથન સ્કૂલ વ્યવહારથી કહી શકાય. વાસ્તવિક રીતે વિચારીએ તો સિદ્ધના આઠ કર્મના ક્ષયથી આઠ ગુણો શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે અને આવશ્યકનિયુક્તિમાં અપેક્ષાએ સિદ્ધના એકત્રીસ ગુણો બતાવ્યા છે જ્યારે સૂક્ષ્મતાથી વિચારીએ તો આત્મામાં શેયના અનંતપણાને કારણે સિદ્ધના અનંત ગુણો પણ છે. વળી, પુદ્ગલમાં એકગુણકાલાદિ અનંત ગુણો છે. આ રીતે જીવમાં અને પુદ્ગલમાં અનંતા વિશેષગુણો પ્રાપ્ત થાય છે, તે બધા છબસ્થ ગણી શકે નહીં, તેથી એમ જ કહેવું જોઈએ કે ધર્માસ્તિકાયાદિ છ દ્રવ્યોમાં જે તેનું લક્ષણ છે તે લક્ષણરૂપ એક-એક ગુણ છે. જેમ, ધર્માસ્તિકાયમાં