________________
ઉજ
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨] ઢાળ-૧૧ગાથા-૩ ટબાર્થ :
જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય એ ચાર આત્માના (વિશેષગુણ છે.) સ્પર્શ, રસ, ગંધ, વર્ણ એ ચાર પુદ્ગલના વિશેષગુણ છે. શુદ્ધ દ્રવ્યમાં અવિકૃતરૂપે એ અવશિષ્ટ રહે છે આત્માના ચાર ગુણ અને પુદ્ગલના ચાર ગુણ અવશિષ્ટ રહે છે, તે માટે એ ગુણ કહ્યા. વિકૃત સ્વરૂપ તે પર્યાયમાં ભળે છે, એ વિશેષ જાણવો=ગુણ અને પર્યાયનો ભેદ જાણવો. આઠ ચાર આત્માના અને ચાર પુદ્ગલના એમ આઠ, વિશેષગુણ છે. ગતિeતુતા-૧, સ્થિતિeતુતા-૨, અવગાહના હેતુતા-૩, વર્તવાહેતતા-૪ : એ ચાર ધર્માસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, અને કાળ એ ચાર પ્રત્યેકના વિશેષગુણ છે. ૧૨ ગુણમાં=એ બાર ગુણમાં, ચેતતત્વ, અચેતતત્વ, મૂર્તત્વ અને અમૂર્તત્વ એ ચાર ગુણ ભેળવીએ તે વખતે ૧૬ વિશેષગુણ થાય. તે મધ્યેeતે ૧૬ ગુણોની મધ્યમાં, પુદ્ગલ દ્રવ્યને વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, મૂર્તત્વ અને અચેતતત્વ એ ૬ હોય=એ છ વિશેષગુણો હોય. આત્મદ્રવ્ય જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, અમૂર્તત્વ અને ચેતનત્વ એ ૬ હોય=એ છ વિશેષગુણો હોય. બીજા દ્રવ્યના ટોળામાં=સમુદાયમાં, ત્રણ ગુણ હોય=એક વિજગુણ હોય, બીજો અચેતતત્વ ગુણ હોય અને ત્રીજો અમૂર્તત્વગુણ હોય, એમ ફલાવીને ધારવું. I/૧૧/૩ ભાવાર્થ -
આત્માના વિશેષગુણો આત્મામાં જ પ્રાપ્ત થાય છે, અન્યમાં નહીં. તેથી પૂર્વના દસ ગુણો કરતાં આત્માના જ્ઞાન, દર્શન, સુખ અને વીર્ય એ ચાર ગુણો વિશેષ છે. જ્યારે પૂર્વની બે ગાથામાં બતાવેલા ગુણો અચંદ્રવ્યસાધારણ હોવાથી આત્માના વિશેષગુણો નથી.
વળી, પુદ્ગલના સ્પર્શ, રસ, ગંધ, વર્ણ એ ચાર ગુણો પુદ્ગલમાં જ પ્રાપ્ત થાય છે, અન્ય કોઈ દ્રવ્યમાં પ્રાપ્ત થતા નથી. તેથી આ ચાર ગુણો પુદ્ગલના જ વિશેષગુણો છે.
અહીં પ્રશ્ન થાય કે, આત્મામાં જ્ઞાન, દર્શન આદિને ગુણ કેમ કહ્યા? પર્યાય કેમ ન કહ્યા? તેથી કહે છે –
શુદ્ધ એવા આત્મદ્રવ્યમાં અને શુદ્ધ એવા પુદ્ગલદ્રવ્યમાં અવિકૃત રીતે એ ચાર ગુણો સદા અવશિષ્ટ રહે છે તેથી એ ચાર-ચાર ગુણોને કહ્યા છે. વળી, આત્માનું વિકૃત સ્વરૂપ અને પુદ્ગલનું વિકૃત સ્વરૂપ તે પર્યાયમાં ભળે છે તેથી આત્માની પરિવર્તન પામતી જ્ઞાનાદિની પરિણતિ એ પર્યાયમાં ભળે છે અને પુદ્ગલના પરિવર્તન પામતા રૂપાદિ ભાવો પર્યાયમાં ભળે છે. આથી જ પુદ્ગલમાં વર્તતું સફેદ રૂપ ઘડીક રક્ત બને છે અને ઘડીક શ્યામ બને છે તેથી તે રક્ત, શ્યામ વગેરે ગુણ નથી, પર્યાય છે.
વળી, ધર્માસ્તિકાયાદિમાં પોતપોતાના ગતિeતુતાદિ ગુણો છે તે ચાર દ્રવ્યને આશ્રયીને ચાર છે. તેથી કુલ બાર વિશેષગુણો પ્રાપ્ત થયા. વળી, ચેતનત્વ, અચેતનત્વ, મૂર્તત્વ અને અમૂર્તત્વ એ ચાર વિશેષગુણો છે. આથી સર્વ ચેતનદ્રવ્યમાં ચેતનત્વગુણ રહે છે અને સર્વ અચેતનદ્રવ્યમાં અચેતનત્વગુણ રહે છે. મૂર્તિ એવા પુદ્ગલદ્રવ્યમાં મૂર્તત્વગુણ રહે છે અને સર્વ અમૂર્તદ્રવ્યોમાં અમૂર્તત્વગુણ રહે છે. તે અપેક્ષાએ મૂર્તત્વ