________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૧ | ગાથા-૩-૪
અને અમૂર્તત્વગુણ પણ વિશેષ પ્રાપ્તિ થઈ.
૬૫
તેથી પૂર્વના બાર સાથે ચાર વિશેષગુણો ભેળવવાથી સોળ વિશેષગુણોની
હવે તે સોળ ગુણોનો તે તે દ્રવ્યોમાં વિભાગ બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે
પુદ્ગલદ્રવ્યમાં વર્ણાદિ ચાર અને મૂર્તત્વ અને અચેતનત્વ એ બે મળી કુલ છ વિશેષગુણો પ્રાપ્ત થાય છે. તેમાં વર્ણાદિ ચાર અને મૂર્તત્વ એક મળી કુલ પાંચ ગુણો માત્ર પુદ્ગલમાં જ રહે છે અને અચેતનત્વ ગુણ ધર્માસ્તિકાયાદિસાધારણ હોવા છતાં જીવથી ભિન્ન એવા સર્વ અચેતનમાં રહેલા હોવાથી અચેતન દ્રવ્યનો વિશેષગુણ છે અને તે વિશેષગુણ પુદ્ગલમાત્રમાં વર્તે છે.
વળી, આત્મદ્રવ્યમાં જ્ઞાનાદિ ચાર અને ચેતનત્વ એક મળી કુલ પાંચ ગુણો માત્ર આત્મદ્રવ્યમાં છે તેથી આત્માનો વિશેષગુણ છે. વળી, અમૂર્તત્વગુણ ધર્માસ્તિકાયાદિસાધારણ હોવા છતાં પુદ્ગલથી ભિન્ન એવાં સર્વ દ્રવ્યોમાં વર્તે છે, તેથી વિશેષગુણ છે. વળી, અમૂર્તત્વગુણ ચેતનદ્રવ્ય અને ધર્માસ્તિકાયાદિ સાધારણ છે. બાકી, ધર્માસ્તિકાયાદિ ચાર દ્રવ્યોમાં પોતપોતાના ગતિહેતુતાદિ ગુણ છે. વળી, અચેતનત્વ અને અમૂર્તત્વ એ ગુણો ધર્માસ્તિકાયાદિ ચારે દ્રવ્યોમાં છે તોપણ અચેતનત્વગુણ જીવદ્રવ્ય સિવાયના અચેતન દ્રવ્યમાં રહેનાર હોવાથી વિશેષગુણ છે અને અમૂર્તત્વગુણ ધર્માસ્તિકાયાદિ ચારે દ્રવ્યો અને જીવદ્રવ્યમાં રહેનાર હોવા છતાં મૂર્ત એવા પુદ્ગલ સિવાયના ધર્માસ્તિકાયાદિ દ્રવ્યમાં વર્તે છે માટે વિશેષગુણ છે. II૧૧/૩/ અવતરણિકા :
ચેતનત્વાદિ ચાર (૪), સામાન્યગુણમાંહિં પણિ કહિયા, અનઈં વિશેષગુણમાંહિં પણિ કહિયા, તિહાં સ્યું કારણ ? તે કહઈં છઈ -
અવતરણિકાર્ય -
ચેતનત્વાદિ ચાર સામાન્યગુણમાં પણ કહ્યા=ગાથા-૨માં બતાવેલા સામાન્યગુણમાં પણ કહ્યા, અને વિશેષગુણમાં પણ કહ્યા=ગાથા-૩માં બતાવેલ વિશેષગુણમાં પણ કહ્યા, ત્યાં શું કારણ ? તે કહે છે–તે ગાથા-૪માં કહે છે
ગાથા:
ચેતનતાદિક ચ્યાર સ્વજાતિ, ગુણ સામાન્ય કહાઈ જી, વિશેષ ગુણ પરજાતિ અપેક્ષા, ગ્રહતાં ચિત્તિ સુહાĚ જી; વિશેષ ગુણ છઈં સૂત્રŪ ભાષિઆ, બહુસ્વભાવ આધારો જી, અર્થ તેહ કિમ ગણિઆ જાઈં, એહ થૂલ વ્યવહારો જી. II૧૧/૪]
ગાથાર્થઃ
ચેતનતાદિક ચાર=ચેતનત્વ અચેતનત્વ-અને મૂર્તત્વ-અમૂર્તત્વ એ ચાર, સ્વજાતિગુણ સામાન્ય