________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨/ ઢાળ-૧૦ | ગાથા-૩-૪ સમય નાશ પામે ત્યારે ઉત્તરનો સમય ઉત્પન્ન થાય છે. તેથી કાળનો બે સમયનો સમૂહ કે અનેક સમયોનો સમૂહ ક્યારેય પ્રાપ્ત થતો નથી, જ્યારે ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોમાં અનેક પ્રદેશોનો સમૂહ પ્રાપ્ત થાય છે. આ રીતે છ દ્રવ્યો બતાવ્યા પછી ગ્રંથકારશ્રી કહે છે કે, તે છ દ્રવ્યો દ્રવ્યજાતિથી અને પર્યાયના પ્રવાહથી આદિ અને અંત વગરનાં છે. તેથી એ પ્રાપ્ત થાય કે ધર્માસ્તિકાય દ્રવ્યરૂપે જેમ શાશ્વત છે તેમ ધર્માસ્તિકાયમાં પ્રતિક્ષણ નવા નવા પર્યાયોનો પ્રવાહ ચાલે છે, તે પ્રવાહ પણ અનાદિકાળથી છે અને અનંતકાળ સુધી રહેવાનો. આ રીતે અધર્માસ્તિકાયાદિ દ્રવ્યોમાં પણ જાણવું. વળી, છએ દ્રવ્યોમાં કઈ રીતે સાધર્મ છે અને કઈ રીતે વૈધર્મ છે ? તે ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત ગાથામાં સામાન્યથી બતાવ્યું અર્થાતુ ધર્માસ્તિકાયાદિ પાંચ દ્રવ્યો અસ્તિકાયરૂપે સાધર્મ્સવાળાં છે અને કાળદ્રવ્ય અસ્તિકાયરૂપે નથી માટે વૈધર્મવાળું છે, એ રીતે બીજા પણ સાધર્મ-વૈધર્મ “પ્રશમરતિ આદિ મહાગ્રંથથી જાણવા તેમ બતાવીને તેની ગાથા બતાવી, તે પ્રમાણે ધર્માસ્તિકાયાદિ ત્રણ દ્રવ્યો સંખ્યાથી એક છે તેથી સંખ્યારૂપે તેઓનું સાધર્મ છે. જીવ, પુદ્ગલ અને કાળ સંખ્યાથી અનંત છે તે રૂપે તે ત્રણમાં પણ અનંત સંખ્યાથી સાધર્મે છે. ધર્માસ્તિકાયાદિ ત્રણ દ્રવ્યોમાં અને જીવ, પુદ્ગલ, કાળરૂપ ત્રણ દ્રવ્યોમાં પરસ્પર સંખ્યાથી વૈધર્મ છે; કેમ કે ત્રણ એકેક છે અને અન્ય ત્રણ અનંત છે.
વળી, કાળ વગર પાંચ દ્રવ્યો અસ્તિકાયરૂપે છે તેથી કાળ અને અન્ય પાંચ દ્રવ્યોનું અસ્તિકાયરૂપ અને અસ્તિકાયના અભાવરૂપ વૈધર્યુ છે.
વળી, જીવને છોડીને પાંચ દ્રવ્યો અકર્તા છે તેથી જીવમાં કર્તુત્વ અને અન્યમાં અકર્તુત્વરૂપ વૈધર્મ છે તથા જીવ સિવાયનાં પાંચ દ્રવ્યોમાં અકર્તુત્વરૂપ સાધર્મ છે. તેથી એ પ્રાપ્ત થાય કે, જીવ સ્વપ્રયત્નથી તે તે ભાવો કરે છે, જ્યારે અન્ય દ્રવ્યો પ્રતિક્ષણ અન્ય અન્ય પર્યાયરૂપે પરિણમન પામે છે, આથી પુદ્ગલોમાંથી સ્કંધો બને છે તોપણ તેઓમાં કર્તુત્વભાવ નથી; જ્યારે જીવ સ્વવીર્યના પ્રયત્નપૂર્વક પુદ્ગલના ભાવોને કરે છે, મોહના ભાવોને કરે છે અને યોગમાર્ગની પ્રવૃત્તિ કરે છે ત્યારે મોહના ઉમૂલનપૂર્વક પોતાના શુદ્ધ સ્વભાવને પ્રગટ કરવા યત્ન કરે છે તે સર્વ, જીવનો કર્તુત્વસ્વભાવ છે આવો કર્તૃત્વ સ્વભાવ અન્ય દ્રવ્યોમાં નથી. II૧૦/all અવતરણિકા :
તિહાં-ધુરિ-ધર્માસ્તિકાય લક્ષણ કહઈ છૐ – અવતરણિકાર્ય :
તેમાં છ દ્રવ્યોમાં પહેલું ધમસ્તિકાય છે. તેનું લક્ષણ કહે છે –
ગાથા -
ગતિ પરિણામી રે પુગલ-જીવનઈ, ઝષનઈ જલ જિમ હોઈ; તાસ અપેક્ષા રે કારણ લોકમાં, ધરમ દ્રવ્ય ગઈ રે સોઈ. સમe II૧૦/૪