________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૦ | ગાથા-૧૦-૧૧
૨૭
વિલંબથી થાય છે એમ કહેવાય છે. આ પ્રકારે સર્વ કાર્યો પ્રત્યે કાળને કારણ બતાવવા અર્થે ઉપચારથી કાળને દ્રવ્ય તરીકે સ્વીકાર્યું છે અને તેમાં ઉત્તરાધ્યયનસૂત્રની સાક્ષી આપે છે. ત્યાં ઉત્તરાધ્યયનસૂત્રમાં કાળને અનંત દ્રવ્ય કહ્યું છે તે ઉપચારથી જ છે, પરંતુ ધર્માસ્તિકાયની જેમ સ્વતંત્ર દ્રવ્ય નથી એ પ્રકારનો ઉત્તરાધ્યયનનો અર્થ છે એમ અન્ય ગ્રંથોથી ગ્રંથકારશ્રીએ નિર્ણય કરેલો છે. તેથી કાળને ઉપચારથી દ્રવ્ય સ્થાપન કરવા માટે આગળ પણ ગ્રંથકારશ્રી અનેક યુક્તિઓ બતાવે છે.
આ કથનથી શું ફલિત થાય ? તે બતાવવા માટે કહે છે
જગતમાં જીવ અને અજીવ-બે દ્રવ્યો સંખ્યાથી અનંત છે અને તે સર્વ દ્રવ્યો દ્રવ્યપર્યાયસ્વરૂપ છે. વળી, પર્યાય પ્રતિક્ષણ અન્ય-અન્ય ભાવે પરિવર્તન પામે છે તેથી તે દ્રવ્યોમાં વર્તના નામનો પર્યાય છે. તે વર્તનાપર્યાયને આશ્રયીને સૂત્રમાં કાળદ્રવ્યને અનંતા કહ્યા છે એમ જાણવું. II૧૦/૧૦/
અવતરણિકા :
કંઠથી પણિ સૂત્રઈં-જીવાજીવથી અભિન્ન કાલ કહિઉં છઈં, તે દેખાડઈં છઈ . અવતરણિકાર્ય :
કંઠથી પણ=સાક્ષાત્ શબ્દોથી પણ, સૂત્રમાં=આગમમાં, જીવ-અજીવથી અભિન્ન=જીવ-અજીવના પર્યાયરૂપ કાલ કહ્યું છે, તે દેખાડે છે
ગાથા:
જીવ અજીવ જ સમય તે કહિઓ, તિણિ કેમ જુદો રે તેહ ? । એક વખાણઈં રે ઈસ્યુ આચારય, ધરતા શ્રુતમતિરેહ. સમ૦ ||૧૦/૧૧॥
ગાથાર્થ ઃ
સમયમાં=શાસ્ત્રમાં, તે=કાળદ્રવ્ય, જીવ-અજીવ જ કહ્યો છે, તિણિ=તેથી, તેહ=કાળદ્રવ્ય, જુદો કેમ થાય ? અર્થાત્ જુદો ન થાય. એક આચારય=એક આચાર્ય, શ્રુતમતિરેખાને ધારણ કરતા=જિનવચનાનુસાર શુભમતિની રેખાને ધારણ કરતા, ઈસ્યું વખાણઈં રે=‘કાળ જીવઅજીવરૂપ છે' એ પ્રમાણે કહે છે. II૧૦/૧૧||
ટબો ઃ
સમયઈં ક॰ સૂત્રઈં, તે=કાલ, જીવ-અજીવ રૂપ જ કહિઉં છઈ, તેણઈ કારણઈ જુર્દા=ભિન્નદ્રવ્યરૂપ, કિમ કહિઈં ? તથા ચોń નીવામિનાવિસૂત્રે
“વિમય મંતે ! જાતો ત્તિ પબુવ્વરૂ ? ગોયમા ! નીવા ચેવ અનીવા જેવ” ત્તિ ।
એક આચાર્ય ઈમ કાલરીૢવ્ય વખાણઈં છઈ, સ્યું કરતા ? સિદ્ધાંતપાઠ અનુસારઈં શુભમતિની રેખા ધરતા. ૧૦/૧૧/